અધ્યાય-૧૯૦-દ્રોણાચાર્યને અશ્વત્થામાના વધની શંકા
II संजय उवाच II पंचालानां ततो द्रोनोप्यकरोत्कदनं महत् I यथा कृद्वो रणे शक्रो दानवानां क्षयं पुरा II १ II
સંજય બોલ્યો-જેમ,પૂર્વે દેવાસુરના રણમાં ક્રોધાયમાન થયેલા ઇન્દ્રે દાનવોનો મહાન ક્ષય કરી નાખ્યો હતો,તેમ ક્રોધાયમાન થયેલા દ્રોણાચાર્યે પણ પાંચાલોનો મહાન ક્ષય કરી નાખ્યો.જયારે તેમનાં અસ્ત્રો સંગ્રામમાં પ્રગટ થવા લાગ્યાં ત્યારે પાંડવોમાં ભયનો પેસારો દાખલ થયો.યુદ્ધમાં પોતાના ઘોડાઓ,હાથીઓ તથા યોદ્ધાઓનો મોટો સંહાર થઇ રહેલો જોઈને પાંડવોની વિજયની આશા નિરાશામાં બદલાઈ ગઈ.ત્યારે બુદ્ધિમાન શ્રીકૃષ્ણ મનમાં વિચારવા લાગ્યા કે-





