અધ્યાય-૩૧૩-યક્ષના પ્રશ્નો અને યુધિષ્ઠિરના ઉત્તરો
II वैशंपायन उवाच II स ददर्श हतान भ्रातृन लोकपालानिव च्युतान् I युगान्ते समनुप्राप्ते शक्रप्रतिमगौरवान II १ II
વૈશંપાયન બોલ્યા-જેમ,યુગનો અંતકાળ આવતાં લોકપાલો સ્વર્ગમાંથી નીચે પડે,તેમ,ઇન્દ્રના જેવા ગૌરવવાળા
પોતાના ભાઈઓને યુધિષ્ઠિરે ત્યાં મૃત્યુ પામીને પડેલા જોયા.શોકથી આંસુભર્યા થયેલા તે યુધિષ્ઠિર,ચિંતાથી ઘેરાઈને
વિલાપ કરવા લાગ્યા ને વિચારવા લાગ્યા કે-અપરાજિત એવા આ ભાઈઓને કોણે માર્યા હશે?
તેમના શરીર પર કોઈ અસ્ત્ર પ્રહારના ચિહ્નો ન જોઈને તેમણે વિચાર્યું કે-કદાચ દુર્યોધને જળને વિષમય કર્યું હોય
કે જે જળ પીવાથી જ આ ભાઈઓ મૃત્યુ પામ્યા હોય.









