અધ્યાય-૧૮-દ્રૌપદીનો યુધિષ્ઠિર સંબંધી વિલાપ
II द्रौपदी उवाच II अशोच्यत्वं कुतस्तस्या यस्या भर्ता युधिष्ठिरः I जानन्सर्वाणि दुःखानि किं मां त्वं परिप्रुच्छसि II १ II
દ્રૌપદી બોલી-જેનો ભર્તા યુધિષ્ઠિર હોય તે સ્ત્રીને સુખ તે ક્યાંથી હોય? બધાં દુઃખ તમે જાણો છો,છતાં શા માટે મને
પૂછો છો? દુર્યોધનની સભામાં મને દાસી કહીને તાણી લાવવામાં આવી તે દુઃખ મારા કાળજાને બાળી રહ્યું છે.
આવાં દુઃખ અનુભવીને મારા સિવાય કઈ રાજાની છોકરી જીવતી રહે?


