Aug 31, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-610

 

અધ્યાય-૪૩-અર્જુનનો ઉત્તર 


II बृहन्नला उवाच II यन्मां पुर्वमिहाप्रुच्छ: शत्रुसेनापहारिणीम I गाण्डिवमेतत्पार्थस्य लोकेषु विदितं धनुः II १ II

બ્રહન્નલા બોલ્યો-તેં મને પ્રથમ આ જે ધનુષ્ય વિશે પૂઢહ્યું તે શત્રુસેનાને સંહારનારું અને ત્રણે લોકમાં પ્રસિદ્ધ એવું અર્જુનનું ગાંડીવ ધનુષ્ય છે,આ ધનુષ્ય આગળ સર્વ ધનુષ્યો પાણી ભરે છે,અર્જુનનું આ પરમ આયુધ લાખ ધનુષ્યોની બરાબરી કરનારું છે,કે જેનાથી અર્જુન દેવો ને મનુષ્યો પર વિજય મેળવે છે.પૂર્વે આ ગાંડીવને બ્રહ્માએ એક હજાર વર્ષ સુધી ધારણ કર્યું હતું,પછી પ્રજાપતિએ પાંચસો ને ત્રણ વર્ષ,ઇન્દ્રે પંચ્યાશી વર્ષ,સોમરાજાએ પાંચસો વર્ષ,વરુણે સો વર્ષ સુધી ધારણ કર્યું હતું ને પછી અર્જુને વરુણ પાસેથી તે મેળવી,પાંસઠ વર્ષથી તેને ધારણ કર્યું છે.

Aug 30, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-609

 

અધ્યાય-૪૧-ઉત્તરે અસ્ત્રો ઉતાર્યા 


II उत्तर उवाच II अस्मिन् वृक्षे किलोदबद्वं शरीरमिति नः श्रुतम् I तदहं राजपुत्रः सन् स्पृशेयं पाणिना कथम् II १ II

ઉત્તર બોલ્યો-'મેં સાંભળ્યું છે કે આ ઝાડ પર કોઈનું મડદું બાંધ્યું છે,તો હું રાજપુત્ર કેમ તેને હાથથી અડું?

હું ક્ષત્રિયવંશમાં જન્મ્યો છું,મંત્ર-તંત્ર ને યજ્ઞોનો જાણકાર છું,તો હું તેને અડકું તે યોગ્ય નથી,હું તેને સ્પર્શ કરું તો શબના

ખાંધિયાની જેમ અપવિત્ર થઈશ,તો એ સ્થિતિમાં તું મારી સાથે સ્પર્શાદિક વ્યવહાર કરી શકે નહિ.

Aug 29, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-608

 
અધ્યાય-૩૯-અર્જુનની પ્રશંસા 

II वैशंपायन उवाच II तं दष्ट्वा क्लीववेषेण रथस्थं नरपुंगवम I शमीमभिमुखं यांतं रथमारोप्य चोत्तरम्  II १ II

વૈશંપાયન બોલ્યા-આમ ઉત્તરને રથમાં બેસાડીને નપુંસક વેશમાં રહેલો તે ધનંજય પોતે રથમાં બેઠો અને શમીવૃક્ષ તરફ જવા લાગ્યો.

તેને જોઈને ભીષ્મ,દ્રોણ આદિ શ્રેષ્ઠ મહારથીઓ 'આ અર્જુન છે' એવી બીકથી મનમાં થરથર્યા.

આમ ઉત્સાહભંગ થયેલા તેમને જોઈને ને અદ્ભૂત ઉત્પાતોને નીરખીને ગુરુ ભારદ્વાજ બોલ્યા કે-

Aug 28, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-607

 

અધ્યાય-૩૮-કૌરવોની સેનાએ જોઈને ઉત્તર ગભરાયો 


II वैशंपायन उवाच II स राजधान्या निर्याय वैराटिरकुतोभय: I प्रयाहीत्यब्रवित्सुतं यत्र ते कुरवो गता II १ II

વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે નિર્ભય વિરાટપુત્ર ઉત્તર,રાજધાનીમાંથી બહાર નીકળ્યો ને સારથિને કહેવા લાગ્યો કે-'પેલા કુરુઓ જ્યાં ગયા હોય ત્યાં તું રથને હાંકીને લઇ જા.તે સર્વને હું હરાવીને,ગાયો પાછી મેળવીને જલદીથી આ નગરમાં પાછો આવીશ' ત્યારે અર્જુને ઉત્તમ અશ્વોને હાંક્યા ને રથ વેગથી દોડવા લાગ્યો.

Aug 27, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-606

 

અધ્યાય-૩૬-ઉત્તરની બડાઈ 


II उत्तर उवाच II अद्याहमनुगच्छेयम् द्रढधन्वा गवां पदम् I यदि मे सारथिः कस्चिद्भवेदश्वेषु कोविदः II १ II

ઉત્તર બોલ્યો-'અહો,મારી પાસે જો કોઈ અશ્વનિષ્ણાત સારથિ હોય,તો હું આ જ ઘડીએ ધનુષ્ય ધારણ કરીને

ગાયોની પાછળ જાઉં.પણ એવો કોઈ પુરુષ મારી નજરમાં આવતો નથી,માટે કોઈ સારથિને શીઘ્ર શોધી કાઢો,

પૂર્વે થયેલા યુદ્ધમાં મારો સારથિ તો મારાં પામ્યો છે,હવે જો અશ્વગતિને જાણનારો બીજો કોઈ સારથિ મળે તો હું પલકવારમાં નીકળી પડું ને તે કુરુઓને નિર્વીર્ય કરી નાખી,પશુઓને પાછાં વાળી લાવું.તે એકઠા થયેલા કુરુઓ મારુ પરાક્રમ જોશે તો તેઓ એમ માનશે કે શું સાક્ષાત અર્જુન જ આપણને પીલી રહ્યો છે કે શું?

Aug 26, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-605

 

અધ્યાય-૩૪-વિરાટની કૃતજ્ઞતા અને જયઘોષણા 


II वैशंपायन उवाच II एवमुक्ते तु सव्रिडः सुशर्मासीदधोमुखः I समुक्तोभ्येत्य राजानमभिवाद्य प्रतस्थिवान II १ II

વૈશંપાયન બોલ્યા-યુધિષ્ઠિરના આમ કહેવાથી સુશર્માએ શરમથી પોતાનું માથું નીચે કર્યું.ભીમસેને તેને છોડી દીધો

ત્યારે તે વિરાટરાજને અભિનંદન આપી ત્યાંથી ચાલ્યો ગયો.આમ,યુદ્ધ જીતીને તે પાંડવો તે રાત્રે તે સંગ્રામના

મધ્ય ભાગમાં સુઈ રહ્યા.વાંચી,વિરાટરાજે તે પાંડવોને માન અને ધનથી સન્માન આપતાં કહ્યું કે-આ જે મારાં

રત્નો છે તે તમારાં જ છે તો તમે તમને સુખ થાય તેમ કરો.હું તમને શણગાર સજેલી કન્યાઓ ને વિવિધ ધનો

આપું છું.ને વળી તમારી જે કોઈ બીજી ઈચ્છા હોય તે પૂરવાને હું તૈયાર છું.કેમ કે તમારા પરાક્રમથી જ

હું મુક્ત ને સ્વાધીન થયો છું.આથી તમે જ મત્સ્યદેશના સ્વામી થાઓ (6)

Aug 25, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-604

 

અધ્યાય-૩૩-ભીમસેને વિરાટરાજને છોડાવ્યો 


II वैशंपायन उवाच II तमसाभिप्लुते लोके रजसा चैव भारत I अतिष्ठन्वै मुहूर्त तु व्यूढानिकाः प्रहारिणः II १ II

વૈશંપાયન બોલ્યા-હે ભારત,આ પ્રમાણે જયારે આ લોક ધૂળ અને અંધકારમાં ડૂબી ગયો ત્યારે વ્યુહબદ્ધ યોદ્ધાઓ ઘડીભર વિરામ લઈને ઉભા.પછી,ચંદ્રમા ઉગ્યો એટલે તેના પ્રકાશમાં ફરીથી ભયંકર યુદ્ધ શરુ થયું.ને સુશર્માએ પોતાના નાના ભાઈઓને સાથે લઈને વિરાટરાજની સેના પર બધી બાજુએથી ધસારો કર્યો,ને સર્વ સેનાને બળપૂર્વક છિન્નભિન્ન કરીને તેને હરાવીને વિરાટરાજ પર એકદમ હલ્લો કર્યો.તેણે વિરાટરાજના રથના ઘોડાઓને 

મારી નાખ્યા અને તેની પાછળના અંગરક્ષકોને પણ મારી નાખ્યા ને આમ રથ વગરના ને સહાય વગરના તે મત્સ્યરાજને એણે જીવતો જ પકડી પડ્યો,ને તેને પોતાના રથમાં નાખીને ઉતાવળે ત્યાંથી ચાલી નીકળ્યો.(9)

Aug 24, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-603

 

અધ્યાય-૩૨-વિરાટરાજ અને સુશર્માનુ યુદ્ધ 


II वैशंपायन उवाच II निर्याय नगराच्छुरा व्यूढानिकाः प्रहारिणः I त्रिगर्तानस्पृशन्मत्स्या: सूर्ये परिणते सति II १ II

વૈશંપાયન બોલ્યા-આમ,મત્સ્યદેશના શૂર યોદ્ધાઓ નગરની બહાર નીકળ્યા અને સેનાને વ્યુહબદ્ધ કરીને તેમણે સૂર્ય અસ્ત પામે તે પહેલાં જ ત્રિગર્તોને પકડી પાડ્યા.ત્રિગર્તો અને મત્સ્યોને ક્રોધમાં આવીને યુદ્ધ કરવા માટે ભારે મદ ચડ્યો હતો,ને બંને ગાયો લઇ જવા તત્પર હતા.ત્યાં તેઓ એકબીજા સામે ગર્જના કરવા લાગ્યા,ને પછી,

પરસ્પર અસ્ત્રોના પ્રહાર કરીને ભયંકર યુદ્ધની શરૂઆત થઇ.રણસંગ્રામમાં આવેશમાં આવેલા તે યોદ્ધાઓ,

તલવારો,પ્રાસો,શક્તિઓ,બાણો આદિ જાતજાતનાં અસ્ત્રો વડે એકબીજાને હણવા લાગ્યા.

Aug 23, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-602

 

અધ્યાય-૩૧-વિરાટરાજનો રણઉદ્યોગ 


II वैशंपायन उवाच II ततस्तेषां महाराज तत्रैवामिततेजसाम् I छद्मलिंग[प्रविष्टानां पांडवानां महात्मानम् II १ II

વૈશંપાયન બોલ્યા-હે મહારાજ,અમાપ તેજવાળા અને કપટવેશમાં રહેલા તે મહાત્મા પાંડવોનો,અજ્ઞાતવાસનો સમય ત્યાં,વિરાટનગરમાં રહેતાં ને રાજાના કાર્યો કરતાં સારી રીતે વીતી ગયો.કીચક માર્યો ગયો પછી વિરાટરાજા યુધિષ્ઠિર પર સારી આશા રાખી રહ્યો હતો.ત્યાં તેરમા વર્ષની આખરે,સુશર્માએ આવીને વિરાટરાજના પુષ્કળ ગોધનને વેગપૂર્વક કબ્જે કરી લીધું.ત્યારે ગોપોનો અઘ્યક્ષ સભામાં દોડી આવ્યો ને વિરાટરાજને કહેવા લાગ્યો કે-

'સુશર્માએ અમારા બાંધવોને પરાભવ આપીને તે તમારી એકલાખ ગાયોને હાંકી જાય છે,તો તેનું રક્ષણ કરો'

Aug 22, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-601

 

અધ્યાય-૩૦-ત્રિગર્તરાજે વિરાટની ગાયોનું કરેલું હરણ 


II वैशंपायन उवाच II अथ राजा त्रिगर्तानां सुशर्मा रथयुथपः I प्राप्तकालमिदं वाक्यमुवाच त्वरितो बली II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,રથસમૂહનો પાલક ત્રિગર્તરાજ સુશર્મા ઉતાવળો આવીને સમયોચિત વચન કહેવા લાગ્યો કે-મત્સ્યરાજના સેનાપતિ કીચકે  મારા રાજ્યને અનેકવાર રંજાડ્યું છે,પણ હવે તે કીચકોને ગંધર્વોએ મારી નાખ્યો છે

એટલે વિરાટરાજનો આધાર તૂટી ગયો હશે એમ હું માનું છું.આથી તમને સર્વ કૌરવો ને કર્ણને રુચે તો આપણે

તેના રાજ્ય પર ચડાઈ કરી એનાં રત્નો,વિવિધ ધનને કબ્જે કરી ભાગ પાડી વહેંચી લઈએ.અથવા આપણે બળપૂર્વક

તેના નગરને સારી રીતે પીડીએ ને તેની જાતજાતની અત્યંત સુંદર એવી ગાયોનું હરણ કરીએ.

આપણે સેનાના વિભાગ કરીને,ચારે બાજુથી આક્રમણ કરી તેના સૈન્યને હણીને,તેમને આધીન કરવાથી 

તમારા બળમાં નિઃસંશય વૃદ્ધિ થશે.અને આપણે સુખેથી રહી શકીશું (13)