Apr 2, 2025

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-૧



યોગવાશિષ્ઠ માં શું છે?


યોગવાશિષ્ઠ શું છે?


જેણે માત્ર  “યોગવાશિષ્ઠ” નામ  જ સાંભળ્યું  હોય -તો તે એમ પણ કદાચ વિચારે કે-
કોઈ “યોગ” વિષે “વશિષ્ઠ મુનિએ”  લખેલ ગ્રંથ હશે.


પણ “યોગવાશિષ્ઠ” કે જેને  “યોગવાશિષ્ઠ-મહારામાયણ”--અથવા--”ઉત્તર રામાયણ” પણ કહે છે,
તે આદિ કવિ વાલ્મીકિજી એ લખેલ ગ્રંથ છે.


“વાલ્મીકિ રામાયણ” તરીકે અતિ પ્રખ્યાત થયેલ વાલ્મીકિજી એ લખેલ રામાયણ ના ગ્રંથ ને
“પૂર્વ-રામાયણ" પણ કહે છે -કે જેમાં-
શ્રીરામ ના જન્મ થી માંડી રાવણ-વધ સુધી રામની લીલાઓ વર્ણવી છે.
શ્રીરામજી નું છ કાંડો માં -જીવન ચરિત્ર વર્ણવ્યું  છે.  


ત્યાર બાદ વાલ્મીકિજીએ  “યોગવાશિષ્ઠ” (ઉત્તર-રામાયણ) નું  સર્જન કર્યું,કે
જેમાં શ્રી રામને આવેલા “તીવ્ર વૈરાગ્ય" ના પ્રસંગે વશિષ્ઠે,
શ્રીરામને આપેલા ઉપદેશ નું વર્ણન કર્યું છે.
કે જેમાં -
“સંસાર માં રહી સંસાર ના કાર્યો કરવા છતાં સંસારથી અલિપ્ત (અનાસક્ત) રહી ને
જીવન-મુક્તિ (વિદેહ અવસ્થા) નો અનુભવ કેવી રીતે લઇ શકાય?”
તેનું અદભૂત અને સુંદર વર્ણન કર્યું છે.


સામાન્ય બુદ્ધિ ને અઘરા લાગતા ઉચ્ચ આધ્યાત્મિક સિદ્ધાંતો ને સહેલાઈ થી સમજી શકાય તે માટે-
અનેક દૃષ્ટાંતો અને ઉપમા ઓ આપીને સરળ શૈલીમાં લોકભોગ્ય બને તે રીતે વાલ્મિકીજીએ
યોગવાશિષ્ઠ નું નિર્માણ કર્યું છે.


પૂર્વ-રામાયણ (વાલ્મીકિ રામાયણ) માં જેમ છ કાંડો માં મર્યાદા પુરુષોત્તમ રામજી નું જીવન ચરિત્ર છે,
તેમ
ઉત્તર-રામાયણ (યોગવાશિષ્ઠ-મહારામાયણ) પણ છ પ્રકરણો માં વિભાજીત છે.
(૧) વૈરાગ્ય (૨) મુમુક્ષુ (૩) ઉત્પત્તિ (૪) સ્થિતિ (૫) ઉપશમ (૬) નિર્વાણ ---(કુલ-૩૨૦૦૦ શ્લોક)
(બધું ના વંચાય તો-યોગવાશિષ્ઠ નું પહેલું વૈરાગ્ય પ્રકરણ તો દરેકે એક વખત કે વારંવાર વાંચવા જેવું છે)


ગીતા કે જે મહાભારતમાંથી અલગ કરી ને રજુ થઇ છે,કે જેમાં ઈશ્વર (કૃષ્ણ) જીવ (અર્જુન) ને બોધ આપે છે,
જયારે અહીં રામાયણમાં- રામજી ને આવેલા તીવ્ર વૈરાગ્ય ના -એક પ્રસંગ ને અલગ કરી ને લીધો છે કે-જેમાં
જીવ (વશિષ્ઠ) એ ઈશ્વર (રામ) ને બોધ આપે છે!!!!


શ્રીરામ ના તીવ્ર વૈરાગ્ય નો પ્રસંગ કંઈક આવો છે.
શ્રીરામ વિદ્યાભ્યાસ પુરો કરી તીર્થયાત્રા કરવા જાય છે,ત્યાંથી પાછા ફરવા બાદ,તેમને સંસારના પદાર્થો પ્રત્યે
તીવ્ર વૈરાગ્ય પેદા થયો.અને તે સંસારિક કર્યો અને ભોજન થી પણ ઉદાસીન થઇ એકાંત સેવન કરવા લાગ્યા,
દિન-પ્રતિદિન તેમનું શરીર કૃશ અને નિર્બળ થવા લાગ્યું.પિતા દશરથ ને અત્યંત ચિંતા થાય છે.


એવે સમયે વિશ્વામિત્ર મુનિએ દશરથ રાજા ની સભામાં આવી ને પોતાના યજ્ઞ-કાર્ય માં વિઘ્ન કરનારા
રાક્ષસોને મારવા માટે શ્રીરામચંદ્રજી ની માગણી કરી.રાજા દશરથે પોતાના પુત્ર શ્રીરામ પ્રત્યેના અત્યંત સ્નેહ ને
કારણે દીનતા પ્રગટ કરી ને શ્રી રામને આપવામાં સંકોચ કર્યો.વળી તેમણે રામની દશા પણ વર્ણવી.


ત્યારે વિશ્વામિત્રે રામજી ને સભામાં બોલાવી તેમની મનો-વ્યથા નું કારણ પૂછ્યું.
ત્યારે શ્રી રામ પોતાના સંસાર પ્રત્યે અરુચિ  ધરાવતા મન ની દશાનું વર્ણન કરતાં કહે છે કે-


આ સંસારમાં કોઈ પણ વસ્તુ અવિનાશી ને આનંદદાયક નથી.બાળપણ,જુવાની,વૃદ્ધત્વ અવસ્થાઓ અને
ધન,ભોગ વગેરે પદાર્થો માં પણ કોઈ સ્થાયી રમણીયતા (આનંદ) નથી.છતાં પણ આપણે મોહિત થઇ ને,
તેમાં જ જન્મ ગુમાવી દઈ આત્મ ચિંતન માં લક્ષ્ય આપતા નથી.આ સર્વ નું કારણ આપણી વાસના જ છે.
અને તે વાસના થી હું મુક્ત થવા ઈચ્છું છું.


પછી સભામાં બેઠેલા વશિષ્ઠ,વિશ્વામિત્ર વગેરે જે ઋષિઓ ઉપસ્થિત હતા તેમને પ્રાર્થના કરી કે-
આપ મને એવો ઉપદેશ આપો કે જે વડે હું આ શોક-સાગર થી પાર ઉતરી શકું.
ત્યારે વિશ્વામિત્રે,વશિષ્ઠજી ને કહ્યું કે-આપ શ્રી રામ ને એવો ઉપદેશ આપો કે જેથી એમનો અજ્ઞાન-રૂપી
અંધકાર દૂર થાય.
આથી વશિષ્ઠજી એ રામચંદ્રજી ને આ “યોગવાશિષ્ઠ-મહારામાયણ" શાસ્ત્ર નો ઉપદેશ આપ્યો.
કે જેનું વર્ણન વાલ્મીકિ જી એ આ સંક્ષિપ્તમાં “યોગવાશિષ્ઠ” ના નામે ઓળખાતા આ ગ્રંથ માં કર્યું છે.


 
    INDEX PAGE
     NEXT PAGE

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-775

 

અધ્યાય-૧૧૪-યયાતિની પાસે યાચના


II नारद उवाच II अथाह गालवं दीनं सुपर्णः पततां वरः I निर्मितं वह्विना भृमौ वयुआ शोधितं तथा I 

यस्माद्विरमण्यं सर्व हिरण्यं तेन चोच्यते  II १ II

નારદે કહ્યું-પછી,તે પક્ષીશ્રેષ્ઠ ગરુડે તે દીન થયેલા ગાલવને કહ્યું કે-અગ્નિએ ભૂમિમાં સુવર્ણનું નિર્માણ કર્યું છે,વાયુએ તેને શુદ્ધ કર્યું છે ને તે સુવર્ણ જગતમાં મુખ્ય છે તેથી તેની નામ હિરણ્ય (કે ધન) કહેવાય છે.એ ધન ત્રણે લોકમાં નિત્ય રહેલું છે.

શુક્રવારે,પૂર્વા અથવા ઉત્તરા ભાદ્રપદા નક્ષત્રનો યોગ આવતાં,અગ્નિ,પોતાના વીર્યરૂપ ધન,કુબેરના ભંડારની વૃદ્ધિ માટે મનુષ્યોને નિયમથી આપે છે,માટે ધનાર્થી મનુષ્યે અગ્નિની પ્રાર્થના કરવી.કુબેર અને બંને નક્ષત્રોના દેવતા (અજૈકપાત-અહિરબુધન્ય)એ ધનનું રક્ષણ કરે છે,માટે એ દેવોની પ્રાર્થના કરનારને ધન મળી શકે છે.ધન મહાદુર્લભ છે ને આમ બેસી રહેવાથી મળે તેવું નથી અને ધન વિના તને ઘોડાઓ મળવાના નથી.માટે તું કોઈ રાજાની પાસે ધનની યાચના કર.સોમવંશમાં ઉત્પન્ન થયેલો,નહુષનો પુત્ર,યયાતિ મારો મિત્ર છે,તેની પાસે કુબેર જેવો વૈભવ છે,માટે તેની પાસે આપણે જઈએ.હું કહીશ તો તે તને ધન આપશે.

Apr 1, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-774

 

અધ્યાય-૧૧૨-ગરુડનો વેગ 


II गालव उवाच II गरुत्मन्म न्भुजगेन्द्रारे सुपर्ण विनतात्मज I नय मां ताक्षर्य पूर्वेण यत्र धर्मस्य चक्षुषी II १ II

ગાલવે કહ્યું-'હે ગરુડ,હે નાગેન્દ્રશત્રુ,હે સુંદર પીંછાવાળા વિનતાપુત્ર,જ્યાં ધર્મનાં બે ચક્ષુઓ છે ત્યાં પૂર્વ દિશામાં તમે મને લઇ જાઓ,તમે સર્વ પ્રથમ એ દિશાનું  વર્ણન કર્યું છે અને દેવતાઓનો નિવાસ પણ એ દિશામાં જ કહ્યો છે,અને ધર્મ તથા સત્યની સ્થિતિ પણ એ દિશામાં જ છે.હું એ દિશામાં રહેલા સર્વ દેવોનાં દર્શન અને તેમના સમાગમ કરવાની ઈચ્છા રાખું છું.'

આમ,કહી,ગરુડના કહેવાથી ગાલવ મુનિએ ગરુડના પર સવારી કરી,ને ગરુડ અતિવેગથી ઉડવા લાગ્યો ત્યારે તેને કહ્યું કે-

Mar 31, 2025

Okha-Haran-Gujarati Book-ઓખાહરણ

This book is for Archive and online reading only-not downloadable

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-773

 

અધ્યાય-૧૧૧-ઉત્તર દિશાનું વર્ણન 


II गरुड उवाच II यस्मादुत्तार्यते पापाद्यस्मान्निः श्रेय्सोश्नुते I अस्मादुत्तारणबलादुत्तरेत्युच्यते द्विज II १ II

ગરુડે કહ્યું-હે દ્વિજ,આ દિશા પુરુષને પાપમાંથી તારે છે ને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે,આ ઉદ્ધાર કરવાના સામર્થ્યને લીધે એ ઉત્તર દિશા કહેવાય છે.આ દિશા ઉત્તમ સુવર્ણની ખાણ છે અને પૂર્વ તથા પશ્ચિમ દિશાની વચ્ચે જઈને જનારો સ્વર્ગમાર્ગ કહેવાય છે.

આ દિશામાં ક્રૂર,અવશ ચિત્તવાળા અને અધર્મી લોકોને સ્થાન મળતું નથી.આ દિશામાં બ્રહ્મા અને વિષ્ણુ બદરિકાશ્રમમાં વાસ કરે છે.આદિપુરુષ મહાદેવ પણ પ્રકૃતિરૂપ પાર્વતીની સાથે આ દિશામાં જ હિમાલયની સપાટી ઉપર નિત્ય નિવાસ કરે છે.તે મહાદેવને નરનારાયણ સિવાય બીજા મુનિગણો,ઇન્દ્રસહિત દેવો,ગંધર્વો કે સિદ્ધો પણ જોઈ શકતા નથી.(6)

Mar 30, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-772

 

અધ્યાય-૧૦૯-દક્ષિણ દિશાનું વર્ણન 


II गरुड उवाच II इयं विवस्वता पूर्व श्रोतेन विधिना किल I गुरवे दक्षिणा दत्ता दक्षिनेत्युच्यते च दिक् II १ II

ગરુડે કહ્યું-પૂર્વે,સૂર્યે વેદોક્ત વિધિથી આ દિશા કશ્યપ ગુરુને ગુરુદક્ષિણામાં આપી હતી તેથી આ દિશા દક્ષિણ કહેવાય છે.

ત્રણલોકના પિતૃગણો આ દિશામાં રહે છે.ઉષ્ણ અન્નનું ભોજન કરનારા ઉષ્મપ દેવોનો નિવાસ અહીં છે.અહીં વિશ્વદેવા દેવો પિતૃઓની સાથે રહે છે.આ દિશાને ધર્મનું બીજું દ્વાર કહેવામાં આવે છે અને અહીં ત્રુટિ તથા લય પર્યંત સૂક્ષ્મ કાળનો નિશ્ચય કરવામાં આવે છે.આ દિશામાં દેવર્ષિઓ,પિતૃલોકના ઋષિ અને સર્વ રાજર્ષિઓ સુખથી નિવાસ કરે છે,

Mar 29, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-771

 

અધ્યાય-૧૦૭-ગાલવનો શોક 


II नारद उवाच II एवमुक्तस्तदा तेन विश्वामित्रेण धीमता I नास्ते न शेते नाहारं कुरुते गालवस्तदा II १ II

નારદે કહ્યું-બુદ્ધિમાન વિશ્વામિત્રે એ પ્રમાણે કહ્યું તે વખતથી ગાલવ,નિશ્ચિન્તપણાથી સૂતો નહોતો કે આહાર પણ કરતો નહતો.તેનું શરીર માત્ર હાડકાં -ચામડાંરૂપે જ બાકી રહ્યું.તે દુઃખને વિલાપ કરતો કે-મારે ધનાઢ્ય મિત્રો નથી અને મારી પાસે ધન પણ નથી તો આવા આઠસો ઘોડા ક્યાંથી મળે? મારી જીવવાની શ્રદ્ધા પણ હવે નાશ પામી છે અને મારે જીવનનું શું પ્રયોજન છે? હું ગુરુની પાસેથી પોતાનું કાર્ય સાધી લઈને હવે તેમનું કહેલું કાર્ય કરતો નથી તેથી હું,પાપી,કૃતઘ્ન,કૃપણ,તથા જુઠ્ઠો ઠર્યો છું.માટે હું અતિ પ્રયત્ન કરીને પ્રાણોનો ત્યાગ કરીશ.મેં આજ સુધી કોઈ વખતે પણ દેવોની પાસે કોઈ યાચના કરી નથી,તેથી દેવો મને યજ્ઞ ચાલતો હોય ત્યારે માન આપે છે,માટે તેઓની પાસે યાચના કરવી ઠીક નથી.પણ કદી હું હવે દેવ શ્રેષ્ઠ વિષ્ણુને શરણે જાઉં,કે જેમનાથી સર્વ દેવ તથા દૈત્યોને પહોંચી વળે તેટલા વૈભવો ઉત્પન્ન થાય છે.

Mar 28, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-770

 

અધ્યાય-૧૦૬-ગાલવ ચરિત્ર-વિશ્વામિત્રની પરીક્ષા 


II जनमेजय उवाच II अनर्थे जातनिर्बन्धं परार्थे लोभमोहितं I अनार्यकेष्व भिरतं मरणे कृतनिश्चयम् II १ II

જન્મેજયે પૂછ્યું-અનર્થમાં હઠે ભરાયેલો,પરદ્રવ્યમાં લોભને લીધે મોહિત થયેલો,અનાર્યોમાં પ્રીતિવાળો,મરણને માટે નિશ્ચય  કરી બેઠેલો,જ્ઞાતિજનોને દુઃખ કરનારો,બંધુઓના શોકને વૃદ્ધિ પમાડનારો,સ્નેહીઓને ક્લેશ આપનારો અને શત્રુઓના હર્ષમાં વધારો કરનારો દુર્યોધન,આડે માર્ગે જતો હતો,છતાં બાંધવોએ તેને વાર્યો કેમ નહિ? કોઈ પ્રેમાળ સ્નેહીએ કે પિતામહ ભગવાન વ્યાસે પણ સ્નેહને લીધે તેને કેમ વાર્યો નહિ?

વૈશંપાયન બોલ્યા-તેને વ્યાસે કહ્યું,ભીષ્મે પણ જેટલું કહેવાય તેટલું કહ્યું અને પછી,નારદે પણ જે વચન કહ્યું તે સાંભળો.(4)

Mar 27, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-769

 

અધ્યાય-૧૦૫-વિષ્ણુએ ગરુડનો ગર્વ ઉતાર્યો 


II कण्व उवाच II गरुडस्तत्र शुश्राव यथावृतं महाबलः I आयुःप्रदानं शक्रेण कृतं नागस्य भारत II १ II

કણ્વ બોલ્યા-હે ભરતવંશી,ઇન્દ્રે નાગને આયુષ્ય આપ્યું એ સાંભળી,ક્રોધાયમાન થયેલો ગરુડ,ઇન્દ્ર પાસે દોડી આવી કહેવા લાગ્યો કે-'હે ભગવન,તમે અપમાન કરીને મારી આજીવિકા શા માટે નષ્ટ કરી? તમે મને યચેચ્છ વર્તનનો વર આપ્યો હતો અને હવે એ વચનથી કેમ ડગી જાઓ છો? અમારી જાતિને માટે સર્પોનો સ્વાભાવિક આહાર નિર્માણ કરેલો છે તે તમે શા માટે અટકાવો છો? વળી,મેં સુમુખનો આહાર કરવાનો નિશ્ચય કર્યો હતો,ને એના દેહ વડે મારે મારા મોટા પરિવારનું પોષણ કરવાનું હતું.પણ તમે એને લાબું આયુષ્ય આપી દીધું.

Mar 26, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-768

 

અધ્યાય-૧૦૩-નાગલોકનું વર્ણન 


II नारद उवाच II इयं भोगवती नाम पुरी वासुकिपालिता I यादशि देवराजस्य पुरीवर्याअमरावती II १ II

નારદે કહ્યું-જેવી,દેવરાજ ઇન્દ્રની શ્રેષ્ઠ અમરાવતી નગરી છે તેવી વાસુકિએ પાલન કરેલી આ 'ભોગવતી' નામની નગરી છે.

જે,શેષનાગ,પોતાના તપ વડે પૃથ્વીને સર્વદા ધારણ કરે છે તે અહીં રહેલા છે.મહાબળવાન શેષનાગનો દેહ ધવલગિરિના જેવો તથા દિવ્ય અલંકારોથી શોભાયમાન છે,એમને હજાર ફણાઓ છે ને અગ્નિની જ્વાળા જેવી જિહવાઓ છે.આ નગરીમાં અનેક પ્રકારના આકારવાળા,સુરસાના પુત્ર નાગો,નિર્ભય થઈને નિવાસ કરે છે.તેઓના દેહ પર મણિ,સાથીઆ,ચક્ર ને કમંડલુનાં ચિહ્નો છે,તેઓ હજારોની સંખ્યામાં છે અને તે સર્વે બળવાન ને ભયંકર સ્વભાવવાળા છે (5)