Apr 19, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-792

 

અધ્યાય-૧૩૬-વિદુલાનો પુત્રને ઉપદેશ (ચાલુ)


II विदुलोवाच II नैव राज्ञा दरः कार्यो जातु कस्यांचिदायाधे I अथ चेदपि दीर्णः स्यावैव वर्तेत दोर्णवर II १ II

વિદુલાએ કહ્યું-રાજાએ કોઈ પણ આપત્તિમાં કદી ડરી જવું નહિ અને કદાચ ડર લાગે તો પણ તેને ભયભીતના જેવું વર્તન રાખવું નહિ કારણકે રાજાને ભયભીત જોઈને સૈન્ય,રાષ્ટ્ર અને અમાત્યો એ સર્વે પણ ભયભીત થઇ જાય છે.તેમાંના કેટલાએક શત્રુને મળી જાય છે,કેટલાએક કે જેઓનું અપમાન થયેલું હોય તેઓ રાજા પર જ પ્રહાર કરવાની ઈચ્છા કરે છે.હે પુત્ર,મેં તારો પ્રભાવ,તારો પુરુષાર્થ અને તારી બુદ્ધિ જાણવાની ઈચ્છાથી તથા તારા તેજ અને ધૈર્યની વૃદ્ધિ કરવા માટે જ આ વચનો કહ્યાં છે.

Apr 18, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-791

 

અધ્યાય-૧૩૫-વિદુલાનો પુત્રને ઉપદેશ (ચાલુ)


II पुत्र उवाच II कृष्णायसस्येव च ते संहत्य ह्रदयं कृतं I मम मातस्त्वकरुणे वीरप्रज्ञे ह्यमर्षणे II १ II

પુત્રે કહ્યું-ઓ મારી વીર બુદ્ધિવાળી,નિર્દય તથા અસહનશીલ માતા,તારું હૃદય તો તીક્ષ્ણ લોખંડને ટીપીટીપીને,તેનું ઘડેલું લાગે છે.અહો,ક્ષત્રિયનો આચાર કેવો વિલક્ષણ છે કે જેને લીધે તું પરાઈ માતા હોય તેમ મને યુદ્ધ કરવા પ્રેરણા કરે છે.હું તારો એક્નોએક પુત્ર છું,ને યુદ્ધમાં હું મરીશ તો તને આખી પૃથ્વીના વૈભવો કે જીવનનું પણ શું પ્રયોજન રહેશે?

Apr 17, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-790

 

અધ્યાય-૧૩૪-વિદુલાનો પુત્રને ઉપદેશ (ચાલુ)


II विदुलोवाच II अथैतस्यामवस्थायं पौरषं हातुमिच्छसि I निहितसेवितं मार्ग गमिष्यमिरादिव II १ II

વિદુલા બોલી-તું આ અવસ્થામાં પુરુષાતનનો ત્યાગ કરવા ઈચ્છે છે,પરંતુ એથી તું ઠોસ સમયમાં જ અતિ નીચ મનુષ્યોએ સેવેલા માર્ગ પર ચાલ્યો જઈશ.જે ક્ષત્રિય પોતાના જીવનની ઈચ્છાથી શક્તિ પ્રમાણે પોતાનું પરાક્રમ કરીને પોતાનું તેજ દેખાડતો નથી તેને પંડિતો ચોર જ સમજે છે.જેમ,મરવાની અણી પર આવેલાને ઔષધો અસર કરતા નથી,તેમ મારાં અર્થયુક્ત ઉપર કહેલાં વાક્યો તને અસર કરતાં નથી.તું જો,હમણાં સિંધુરાજની પ્રજા તેના પર સંતુષ્ટ નથી,ને પોતાની દુર્બળતાને લીધે તેનાથી છૂટવાના ઉપાયથી અજાણ હોવાથી,તે રાજા પર દુઃખનો ઓઘ આવી પડે તેની વાટ જોયા કરે છે.એકવાર તું પુરુષાર્થ પ્રગટ કર એટલે તે જોઈને બીજાઓ પણ તારી પાછળ તેની સામે યુદ્ધ કરવા તૈયાર થશે.એ સિંધુરાજ કંઈ અજરામર નથી.(6)

Apr 16, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-789

 

અધ્યાય-૧૩૩-વિદુલાનો પુત્રને ઉપદેશ 


II कुन्त्युवाच II अत्राप्युदाहरंतिममितिहासं पुरातनम् I विदुलायाश्च संवादं पुत्रस्य च परंतप II १ II

કુંતીએ કહ્યું-હે કૃષ્ણ,આ વિષયમાં વિદુલા અને તેના પુત્રના સંવાદરૂપ એક પુરાતન ઇતિહાસ કહેવામાં આવે છે.

આ સંવાદ મારાં વાક્યો કરતાં પણ શ્રેષ્ઠ અને વિશાળ છે,માટે એ તમારે યુધિષ્ઠિરને સંપૂર્ણ કહેવો.

પૂર્વે,વિદુલા નામે એક યશસ્વિની ક્ષત્રિયાણી હતી,તે કુલીન,દીનતાવાળી,ક્ષાત્રધર્મમાં તત્પર,ઉગ્ર સ્વભાવવાળી,દીર્ઘ દ્રષ્ટિવાળી,યશસ્વી ને પંડિતા હતી.એક વખતે,સિંધુરાજાથી હારીને ચિત્તમાં ખિન્ન થઈને સૂતેલા પોતાના ઔરસ પુત્રની નિંદા કરતી તે તેને કહેવા લાગી કે-

Apr 15, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-788

 

અધ્યાય-૧૩૨-કુંતીએ સંદેશો કહ્યો 


II वैशंपायन उवाच II प्रविश्याथ गृहं तस्याश्चरणावभिवाद्य च I आचख्यौ तत्समासेन यद्व्रुत्तं कुरुसंसदि II १ II

વૈશંપાયને કહ્યું-શ્રીકૃષ્ણે કુંતીના ઘરમાં પ્રવેશ કરીને,તેમના ચરણમાં પ્રણામ કર્યા અને કુરુસભામાં જે વૃતાન્ત થયો હતો તે કહ્યો.

વાસુદેવે કહ્યું કે-મેં તથા બીજા સર્વેએ હેતુવાળાં અને ગ્રહણ કરવા યોગ્ય બહુ પ્રકારના વચનોઓ કહ્યાં પણ દુર્યોધને તે સ્વીકાર્યાં નહિ,એ પરથી સમજાય છે કે,દુર્યોધનને અનુસરનારા સર્વે કાળ વડે પરિપક્વ થઇ ગયા છે.હવે હું તમારી રજા લઈશ અને ત્વરાથી પાંડવો પાસે જઈશ,માટે તમારે જે પાંડવોને કહેવું હોય તે મને કહો.હું તમારું કહેવું સાંભળવા ઈચ્છું છું.

Apr 14, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-787

 

અધ્યાય-૧૩૧-વિશ્વરૂપનું દર્શન 


II वैशंपायन उवाच II विदूरेणैवमक्त्स्तु केशवः शतपुगहा I दुर्योधनं धार्तराभम्यभषत वीर्यवान II १ II

વૈશંપાયને કહ્યું-વિદુરે એ પ્રમાણે વર્ણવેલા એવા,શત્રુસમૂહને હણનાર તે વીર્યવાન શ્રીકૃષ્ણ,ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધન પ્રત્યે બોલ્યા કે-'હે અતિદુર્બુદ્ધિવાળા દુર્યોધન,તું મોહને લીધે હું એકલો છું-એમ માને છે અને મને પકડવાની ઈચ્છા કરે છે,પરંતુ જો તો ખરો કે સર્વ પાંડવો,સર્વ અંધકો,યાદવો,આદિત્યો,રુદ્રો,વસુઓ ને મહર્ષિઓ અહીં મારામાં જ છે' આમ કહી શ્રીકૃષ્ણે ખડખડાટ હાસ્ય કર્યું.તે જ વખતે શ્રીકૃષ્ણનાં અંગોમાંથી વીજળીના જેવા રૂપવાળા,અંગુઠા જેવડા દેહવાળા અને અગ્નિની જ્વાળા જેવા તેજસ્વી સર્વ દેવો પ્રગટ થયા.

Apr 13, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-786

 

અધ્યાય-૧૩૦-દુર્યોધનનો દુર્વિચાર અને તેની ઝાટકણી 


II वैशंपायन उवाच II तत्तु वाक्यमनादत्य सोर्थवन्मातृभाषितम् I पुनः प्रतस्थे संरंभात्सकाशमकृतात्मना II १ II

વૈશંપાયને કહ્યું-પછી,તે દુર્યોધન,માતાનાં કહેલાં વચનનો અનાદર કરીને પાછો તેના મંત્રીઓની પાસે ચાલ્યો ગયો.અને ત્યાં કર્ણ,શકુનિ,દુઃશાસન સાથે મળીને તેણે વિચાર કર્યો કે-'આ ચાલાક કૃષ્ણ,ધૃતરાષ્ટ્ર ને ભીષ્મની સાથે મળીને પ્રથમ આપણને પકડી લેવા ધારે છે પરંતુ,જેમ,ઇન્દ્રે બલિને બળાત્કારથી બાંધી લીધો હતો તેમ,આપણે જ પ્રથમ તે કૃષ્ણને બળાત્કારથી બાંધી લઈએ.કૃષ્ણને કેદ કરેલા સાંભળીને પાંડવોનાં મન ભાગી જશે ને ઉત્સાહ વિનાના થઇ જશે.માટે ચાલો આપણે તે કૃષ્ણને અહીં જ બાંધી લઈએ,પછી યુદ્ધ કરીશું,એ ધૃતરાષ્ટ્ર ભલે બૂમો માર્યા કરે'

Apr 12, 2025

Sundar Kaand-Gujarati-With Translation-સુંદરકાંડ-અર્થ સાથે


Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-785

 

અધ્યાય-૧૨૯-ગાંધારીનું ભાષણ 


II वैशंपायन उवाच II कृष्णस्य तु वचः श्रुत्वा धृतराष्ट्रो जनेश्वरः I विदुरं सर्वधर्मज्ञं त्वरप्राणोभ्यभाषत II १ II

વૈશંપાયને કહ્યું-શ્રીકૃષ્ણનાં વચન સાંભળીને ધૃતરાષ્ટ્ર રાજા,ઉતાવળથી વિદુરને કહેવા લાગ્યા કે-તું જા,ને ગાંધારીને બોલાવી લાવ.એટલે તેની સાથે મળીને દુર્યોધનને સમજાવું.ગાંધારી જો એ દુષ્ટચિત્ત દુરાત્માને શાંત પાડે તો પછી,આપણે સર્વ શ્રીકૃષ્ણના કહેવા પ્રમાણે કરી શકીએ' પછી,વિદુર જઈને ગાંધારીને બોલાવી લાવ્યા,ત્યારે ધૃતરાષ્ટ્રે તેને કહ્યું કે-'મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનારો.દુરાત્મા દુર્યોધન,ઐશ્વર્યના લોભથી જીવિતનો ત્યાગ કરશે.મર્યાદા વિનાનો તે મૂર્ખ,સ્નેહીઓનાં વચનોનો અનાદર કરીને હમણાં પાપીઓની સાથે ઉદ્ધત થઈને સભામાંથી નીકળી ગયો છે' ત્યારે ગાંધારીએ કહ્યું કે-(9)

Apr 11, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-784

 

અધ્યાય-૧૨૮-શ્રીકૃષ્ણનો પ્રત્યુત્તર 


II वैशंपायन उवाच II ततः प्रशम्य दाशार्ह: क्रोधपर्याकुलेक्षण:I दुर्योधनमिदं वाक्यमब्रवीत्कुरुसंसदि  II १ II

વૈશંપાયને કહ્યું-દુર્યોધનનો એ ઉત્તર સાંભળીને શ્રીકૃષ્ણનાં નેત્રો ક્રોધથી વ્યાકુળ થઇ ગયાં,પણ તે કૈંક ગમ ખાઈને,સભામાં દુર્યોધનને કહેવા લાગ્યા કે-તું જે વીરશૈય્યાની ઈચ્છા કરે છે તે તારો મનોરથ પૂર્ણ થશે,થોડા જ સમયમાં સંગ્રામ શરુ થશે.

ઓ મૂર્ખ,તું એમ માને છે કે-પાંડવો તરફ તેં કોઈ અપરાધ કર્યો નથી,પરંતુ હે રાજાઓ,આના સર્વ અન્યાયોને તમે સાંભળો.

હે ભરતવંશી,તું પાંડવોના વૈભવને જોઈને તપી ઉઠ્યો અને તેં તથા શકુનિએ દ્યુત રમવાની દુષ્ટ વિચાર ઉભો કર્યો.

પાંડવો કે જે સદાચારી,સજ્જનોને માન્ય અને સરળ આચરણવાળા છે,તેઓની સાથે કપટપૂર્વક અન્યાયથી વર્તવું એ કેમ યોગ્ય ગણાય? તેં સદાચારીઓની સલાહ ન લેતાં,પાપીઓની સાથે મળીને,દ્યુતદ્વારા આ ભયંકર સંકટ વહોરી લીધું છે.(7)