Aug 14, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-269

અધ્યાય-૬૨-વિદુરનાં હિતવચન 

II वैशंपायन उवाच II एवं प्रवर्तिते ध्युते घोरे सर्वापहारिणी I सर्वसंशयनिर्मोक्ता विदुरो वाक्यमब्रवीत II १ II

વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે સર્વસ્વનું હરણ કરનારું જુગટુ ચાલી રહ્યું હતું,ત્યારે સર્વ સંશયોને છેદનારા,

વિદુરજીએ,ધૃતરાષ્ટ્રને કહ્યું કે-હે મહારાજ,આ જાણી લો કે,જેમ,મારવા પડેલા મનુષ્યને ઓસડની રુચિ રહેતી નથી,તેમ,હું જે વાત કહીશ,તે તમને ગમશે નહિ,છતાં પણ તમે સાંભળો.જે જન્મતાં જ,શિયાળવાની જેમ ભૂંડું ભૂંક્યો હતો,તે પાપી ચિત્તવાળો અને ભરતવંશનો નાશ લાવનારો આ દુર્યોધન તમારા સર્વનાશના હેતુરૂપ થયો છે.

તમે મોહને લીધે એને ઓળખતા નથી,પણ આ વિશેના શુક્રાચાર્યના જે નીતિવચન છે તે કહું છું,સાંભળો.(4)

Aug 13, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-268

 
અધ્યાય-૬૦-દ્યુતક્રીડાનો આરંભ 

II वैशंपायन उवाच II उपोह्यमाने ध्युते तु राजान: सर्व एव ते I धृतराष्ट्र पुरस्कृत्य विविशुस्तां सभां ततः II १ II 

વૈશંપાયન બોલ્યા-આમ,જયારે જુગારનો પ્રરામઃ થયો ત્યારે સર્વ રાજાઓ ધૃતરાષ્ટ્રની આસપાસ થવા આગળ આવ્યા.ભીષ્મ,દ્રોણ,કૃપ અને વિદુર પણ અસંતુષ્ટ ચિત્તથી તેમની પાછળ પાછળ આવ્યા ને આદાન ગ્રહણ કર્યા.

બધાએ આસાન ગ્રહણ કર્યા પછી જુગારનો પ્રારંભ થયો (5)

Aug 12, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-267

અધ્યાય-૫૯-યુધિષ્ઠિર અને શકુનિનો સંવાદ 

II वैशंपायन उवाच II प्रविश्य तां सभां पार्था युधिष्ठिरपुरोगमाः I समेत्व पार्थिवान सर्वान् पुजार्हानभि पूज्य च II १ II 

વૈશંપાયન બોલ્યા-પછી,યુધિષ્ઠિરને આગળ રાખીને પાંડવોએ તે સભામાં પ્રવેશ કર્યો,ને સર્વ પુજાયોગ્ય રાજાઓને મળી,તેમનું પૂજન કર્યું,ને વય પ્રમાણે તેમને નમસ્કાર આદિ કરીને,તેઓ મૂલ્યવાન પાથરણાં વાળા વિચિત્ર આસનો પર બેઠા.ત્યારે સુબલપુત્ર શકુનિ,યુધિષ્ઠિરને કહેવા લાગ્યો કે-'હે રાજન,તમારા પર સર્વ મીટ માંડી બેઠા છે,

હવે તમે પાસા નાખીને જુગતાની શરત થવા દો (4)

Aug 11, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-266

 
અધ્યાય-૫૮-યુધિષ્ઠિરનું દ્યુત માટે આવવું 

II वैशंपायन उवाच II

ततः प्रायाद्विदुरोSश्चैरुदारैर्महाजवैर्बलिभिः साधुदान्तैः I बलान्नियुक्तो धृतराष्ट्रेण राज्ञामनिपिणां पांडवानां सकाशे II १ II 

વૈશંપાયન બોલ્યા-આમ,બળજબરીથી ધૃતરાષ્ટ્રની આજ્ઞાથી,વિદુરજી,ઊંચી જાતના,મહાવેગવાળા ઘોડાઓ

જોડેલા રથમાં બેસીને પાંડવો પાસે ગયા.નગરમાં સર્વેનો સત્કાર પામીને તેઓ યુધિષ્ઠિર પાસે ગયા.

યુધિષ્ઠિરે તેમને યથાવિધિ માનપૂજા આપીને ધૃતરાષ્ટ્ર-આદિ સર્વના કુશળ પૂછ્યા (4)

Aug 10, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-265

અધ્યાય-૫૬-દ્યુત રમવાની ધૃતરાષ્ટ્રે આપેલી સંમતિ

II शकुनिरुवाच II यां त्वमेवां श्रियं द्रष्ट्वा पांदुपुत्रे युधिष्ठिरे I तप्यसे तां हरिष्यामि ध्यूतेन जयतांवर II १ II

શકુનિ બોલ્યો-હે દુર્યોધન,પાંડુપુત્ર યુધિષ્ઠિરની લક્ષ્મી જોઈને તું સંતાપ કરી રહ્યો છે,પણ તેને હું દ્યુત વડે,તારા માટે 

હરી લઈશ.સંશય પામ્યા વિના,તેને અહીં બોલાવો.દ્યુતવિદ્યાને જાણનારો હું,તે દ્યુતવિદ્યાને ન જાણનારા પાંડવોને હું પાસા નાખીને જીતી લઈશ.પાસા મારાં બાણ છે,ને દાવ મારુ ધનુષ્ય છે,પાસાના દાણા મારી પણછ છે,ને પાસા ઢાળવાનું સ્થાન મારો રથ છે,કે જેથી સેના કે યુદ્ધ વિના હું તેમને જીતી લઈશ.એમ તું જાણ.(3)

Aug 9, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-264

 
અધ્યાય-૫૫-દુર્યોધનનો પ્રલાપ 

II दुर्योधन उवाच II यस्य नास्ति निजा प्रज्ञा केवलं तु बहुश्रुतः I न स जानाति शास्त्रार्थं दवीं सूपरमानिव II १ II

દુર્યોધન બોલ્યો-જેને પોતાની બુદ્ધિ જ નથી ને જેણે માત્ર ખુબ ભણી જ જાણ્યું છે,તે મનુષ્યને શાસ્ત્રના રહસ્યની સમજ

હોતી નથી.એતો જેમ કડછી,ખીરનો સવડ જાણી ન શકે-તેના જેવું જ છે.હે પિતા,તમે સમજો છો,છતાં 

મને,એક નાવે બાંધેલી બીજી નાવની જેમ વમળમાં નાખી રહયા છો.તમને શું સ્વાર્થની પડી જ નથી? કે તમે મારો દ્વેષ

કરી રહયા છો? આ ધૃતરાષ્ટ્ર પુત્રો હવે નાશ જ પામ્યા છે કેમ કે દ્યુતકાર્યથી,શત્રુની લક્ષ્મી હરી લેવાનું જે 

આપણું પ્રયોજન છે તેને તમે ભવિષ્ય પર નાખો છો.ને તેને બદલે તમે યજ્ઞની વાત કરવા બેઠા છો.(3)

Aug 8, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-263

અધ્યાય-૫૪-દુર્યોધનને ધૃતરાષ્ટ્રનો ઉપદેશ 

II धृतराष्ट्र उवाच II त्वं वै ज्येष्ठो ज्यैष्ठिनेयः पुत्र मा पांडवान् द्विपः I द्वेष्टा ह्यसुखमादत्ते यथैव निवनं तथा II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-બેટા,તું સર્વથી મોટી પટરાણીનો પુત્ર છે,તું પાંડવોનો દ્વેષ કર નહિ.કેમ કે દ્વેષ કરનારો જ મરણના જેવું દુઃખ ભોગવે છે.તે કપટને ન જાણનારા,તારા સમાન ધનવાળા ને મિત્રોવાળા,ને કોઈનો પણ દ્વેષ ન કરનારા 

યુધિષ્ઠિરનો તારા જેવાએ શા માટે દ્વેષ કરવો જોઈએ? કુટુંબીપણા ને પરાક્રમમાં તું યુધિષ્ઠિરની સમાન છે.તો 

તું મુરખાઇથી ભાઈની લક્ષ્મીની શા માટે ઈચ્છા કરે છે? તું એમ ન કર,શાંત પડ ને શોક કર નહિ (3)

Aug 7, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-262

અધ્યાય-૫૩-યજ્ઞના ઐશ્વર્યનું વર્ણન 

II दुर्योधन उवाच II आर्यास्तु ये वै राजानः सन्यसंघ महाव्रताः I पर्याप्तविद्यावक्तारो वेदांतावभृथप्लनाः II १ II

દુર્યોધન બોલ્યો-સત્યવચની,મહાવ્રતી,પૂર્ણ વિદ્યાવાન,વક્તા,વેદાંતવેત્તા,અવભૃથ સ્નાન પામેલા,ધૃતિમાન,

લજ્જાશીલ,ધર્માત્મા અને યશસ્વી એવા જે મુગટધારી આર્ય રાજાઓ યજ્ઞમાં આવ્યા હતા તે યુધિષ્ઠિરની સેવા 

કરી રહ્યા હતા.ત્યાં યુધિષ્ઠિરના અભિષેક માટે રાજાઓ વ્યગ્રતારહિત રહીને પોતે જ જળપાત્રોને ઊંચકી લાવતા હતા.બાહલીકરાજ સોનાથી શણગારેલો રથ લાવ્યા હતા.સુદક્ષિણ રાજાએ તે રથને કામ્બોજ દેશના સફેદ ઘોડાઓ જોડ્યા હતા.સુનિધે તે રથને નીચે લાકડાનો ટેકો મુક્યો હતો,ચેદિરાજે રથ પર ધજા ચડાવી હતી.

Aug 6, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-261

અધ્યાય-૫૨-યજ્ઞમાં આવેલી વિવિધ ભેટોનું વિશેષ વર્ણન 

II दुर्योधन उवाच II दावं तु विविधं तस्मै शृणु मे गदनोSनघ I यज्ञार्थं राजभिर्दत्तं महान्तं धनसंचयम् II १ II 

દુર્યોધન બોલ્યો-હે રાજન,રાજાઓએ યજ્ઞનિમિત્તે,યુધિષ્ઠિરને જે મહાન ધનસંચય આપ્યો હતો ને તેમને જે ભેટો આપી હતી,તે હું તમને કહું છું તમે સાંભળો.મેરુ અને મંદર પર્વતોની વચ્ચે રહેતી ખસ,પારદ,કુલિંદ આદિ જાતિના રાજાઓ,પિપીલક નામના સોનાના ઢગને વાસણોમાં ભરીને લાવ્યા હતા,પહાડી રાજાઓ ચામરો,હિમાલયના પુષ્પોમાંથી થયેલું અતિ સ્વાદિષ્ટ મધ,ઔષધિઓ,માળાઓ લઈને આવ્યા હતા,ને દ્વારે શિર નમાવી ઉભા હતા.

Aug 5, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-260

 
અધ્યાય-૫૧-દુર્યોધને કરેલું યજ્ઞની ભેટોનું વર્ણન 

II दुर्योधन उवाच II यन्मया पांडवेयनां दृष्टं तच्छृणु भारत I आह्वतं भूमिपालैहि वसुमुख्यं ततस्ततः II १ II 

દુર્યોધન બોલ્યો-હે ભારત,દેશદેશના રાજાઓ,પાંડુનંદનો માટે જે ધન લાવતા હતા તે જોઈને હું મૂઢ થઇ ગયો હતો,

મને યાદ પણ નથી કે કયા દેશથી,કોણ,કેટલું ધન લાવ્યા હતા ! તો પણ જે મુખ્ય હતું તે તમે સાંભળો.

કાંબોજરાજે સોનાથી મઢેલી અનેક શાલો,શ્રેષ્ઠ મૃગચર્મો,ત્રણસો ઘોડાઓ ને ત્રણસો ઊંટો ભેટ ધર્યા હતાં.

ગાયબળદથી આજીવિકા ચાલાવનાર ગોવાસન બ્રાહ્મણો,ત્રણ ખર્વ જેટલા ધનની ભેટ લાવ્યા હતા,

તેમને દરવાજે રોકવામાં આવ્યા હતા,તેથી તેઓ ત્યાં જ ઉભા રહ્યા હતા.ને ગાયો પાળનારા સેંકડો બ્રાહ્મણોના 

ટોળાઓ,સુવર્ણના સ્વચ્છ કમંડલુંઓ ઘીથી ભરીને આવ્યા હતા,ને તેઓ પણ અંદર પ્રવેશ કરી શક્યા નહોતા.

Aug 4, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-259

 
અધ્યાય-૫૦-દ્યુત માટે ધૃતરાષ્ટ્રનો નિષેધ-દુર્યોધનનો બળાપો 

II जनमेजय उवाच II कथं समभवदध्युतं भ्रातृणां तन्महात्ययम् I यत्र तद्वयमनं पांडवैमें पितामहैः II १ II 

જન્મેજય બોલ્યા- જે જૂગટામાં,મારા પિતામહ પાંડવોને મહાસંકટ આવી પડ્યું હતું,તે ભાઈઓના મહાવિનાશ 

લાવનારું,જુગટુ કેવી રીતે રમાયું હતું?તેમાં કયાકયા સભાસદો હતા? કોણે કોણે તેને અનુમોદન આપ્યું હતું?

મેં કોણે કોણે તેનો વિરોધ કર્યો હતો? હું આ સર્વ વિસ્તારથી સાંભળવા ઈચ્છું છું (3)

Aug 3, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-258

 
અધ્યાય-૪૯-દુર્યોધને ધૃતરાષ્ટ્રને કહેલી વાત 

II वैशंपायन उवाच II अनुभृय तु राज्ञस्तं राजसूयं महक्रतुम् I युधिष्ठिरस्य नृपतेगांधारीपुत्रर्भुयतः II १ II 

વૈશંપાયન બોલ્યા-ગાંધારીપુત્ર દુર્યોધનની મનોદશા અને તેનો મત જાણી,તે શકુનિ,રાજા ધૃતરાષ્ટ્ર પાસે ગયો 

અને તેમને કહેવા લાગ્યો કે-'હે મહારાજ,દુર્યોધન ફિક્કો પાંદડી ગયો છે,પીળો થઇ ગયો છે ને સુકાઈ ગયો છે.

હે રાજન,તે રાંક થઇ ગયો છે ને ચિંતાથી ઘેરાઈ ગયો છે,તમે તેની સંભાળ લો.શત્રુના કારણે તમારા પાટવીકુંવરના હૃદયમાં જે શોક ઉપજ્યો છે તેની તમે કેમ સારી રીતે તપાસ કરી જાણી લેતા નથી? (5)

Aug 2, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-257

 
અધ્યાય-૪૮-શકુનિએ દુર્યોધનને આપેલું આશ્વાસન 

II शकुनि उवाच II दुर्योधन न तेSमर्पः कार्यः प्रति युधिष्ठिरम् I भागवेयानि हि म्लानि पांडवा भुंजतेसदा II १ II

શકુનિ બોલ્યો-હે દુર્યોધન,તારે યુધિષ્ઠિર બાબતમાં ચિંતા કરવાની જરૂર નથી,કેમ કે પાંડવો સદૈવ પોતાના ભાગ્યને જ ભોગવે છે.પૂર્વે,તેં,એમના નાશ માટે અનેક ક્રિયાઓ કરી હતી,પણ તું એમનો નાશ કરી શક્યો નથી.

વળી,તેઓ દ્રૌપદીને પત્ની તરીકે પામ્યા છે,ને સાથે તેઓ પૃથ્વીજય મેળવવામાં સહાયભૂત થાય એવા દ્રુપદને,

તેના પુત્રોને ને વાસુદેવને તેમણે મેળવ્યા છે.કાર્યમાં નિરાશ ન થયેલા તે પાંડવોએ પોતાના પિતાના રાજ્યમાંથી  

ભાગ મેળવ્યો છે ને પોતાના પ્રતાપથી તેને વધાર્યો છે,તો તેનો શોક શો? (5)