અધ્યાય-૬૨-વિદુરનાં હિતવચન
II वैशंपायन उवाच II एवं प्रवर्तिते ध्युते घोरे सर्वापहारिणी I सर्वसंशयनिर्मोक्ता विदुरो वाक्यमब्रवीत II १ II
વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે સર્વસ્વનું હરણ કરનારું જુગટુ ચાલી રહ્યું હતું,ત્યારે સર્વ સંશયોને છેદનારા,
વિદુરજીએ,ધૃતરાષ્ટ્રને કહ્યું કે-હે મહારાજ,આ જાણી લો કે,જેમ,મારવા પડેલા મનુષ્યને ઓસડની રુચિ રહેતી નથી,તેમ,હું જે વાત કહીશ,તે તમને ગમશે નહિ,છતાં પણ તમે સાંભળો.જે જન્મતાં જ,શિયાળવાની જેમ ભૂંડું ભૂંક્યો હતો,તે પાપી ચિત્તવાળો અને ભરતવંશનો નાશ લાવનારો આ દુર્યોધન તમારા સર્વનાશના હેતુરૂપ થયો છે.
તમે મોહને લીધે એને ઓળખતા નથી,પણ આ વિશેના શુક્રાચાર્યના જે નીતિવચન છે તે કહું છું,સાંભળો.(4)