Oct 11, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-311

 

અધ્યાય-૨૩-પાંડવો દ્વૈતવન તરફ 


II वैशंपायन उवाच II 

तस्मिन्दशार्हाधिपतौ प्रपाते युधिष्ठिरो भीमसेनार्जुनो च I यमौ च कृष्णा च पुरोहितश्च रथान्महार्हान परमाश्चयुक्तान् II १ II

વૈશંપાયન બોલ્યા-તે યાદવાપતિ  શ્રીકૃષ્ણ ગયા પછી,યથાકાળે,યુધિષ્ઠિર,ભીમસેન,અર્જુન,નકુલ,સહદેવ,કૃષ્ણા ને ધૌમ્ય પુરોહિત,ઊંચા ઘોડાઓ જોડેલા રથમાં બેઠા.પાંડવોએ બ્રાહ્મણોને સુવર્ણ,વસ્ત્રો,ગાયો આદિનું  દાન કર્યુ અને 

ત્યાંથી વનમાં જવા માટે નીકળ્યા.ઉદારચિત્ત કુરુજાંગલના નગરજનોએ યુધિષ્ઠિર આવીને તેમની પ્રદિક્ષણા કરી.

ને તેમનું અભિવાદન કર્યું.યુધિષ્ઠિરે પણ તે લોકોને પિતા જેમ પુત્રોને સ્નેહ કરે તેમ,સ્નેહભાવ કર્યો.

Oct 10, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-310

અધ્યાય-૨૨-શાલ્વનો વધ 


II वासुदेव उवाच II ततोऽहं भरतश्रेष्ठ प्रगृह्य रुचिरं धनुः I शरैरपातुयं सौभाच्छिरांसि विबुधद्विषाम II १ II

વાસુદેવ બોલ્યા- હે ભરતશ્રેષ્ઠ,પછી સુંદર ધનુષ્ય લઈને મેં બાણો વડે દેવદ્વેષી દૈત્યોનાં માથાં,તે સૌભમાંથી ખેરવવા માંડ્યાં.પણ,તે વખતે એકાએક તે સૌભ વિમાન ત્યાંથી અદૃશ્ય થઇ ગયું,એટલે હું વિસ્મિત થયો.પછી,ત્યાં દાનવોના અવાજો (બૂમબરાડા) સંભળાવવા માંડ્યા.એટલે મેં સત્વરે શબ્દવેધી અસ્ત્ર યોજ્યું,એટલે અનેક દાનવોનો નાશ થઈને તે શોરબકોર શાંત થયો.ત્યારબાદ,પ્રાગ્જ્યોતિષ જઈને મેં ઈચ્છાગતિવાળું સૌભ વિમાન ફરીથી જોયું,ત્યારે તે દાનવે મારા પર એકદમ મોટા પથ્થરની ઝડી વરસાવીને મને ઢાંકી દીધો.ને હું સૈન્યની નજર બહાર થઇ ગયો.(12)

Oct 9, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-309

 

અધ્યાય-૨૧-શાલવે રચેલી માયા 

II वासुदेव उवाच II एवं स पुरुषव्याघ्रः शाल्वराजो महारिपु: I युध्दयानो मया संख्ये वियदम्यगमत्पुनः  II १ II

વાસુદેવ બોલ્યા-આ રીતે પુરુષોમાં સિંહ જેવો તે મહાન શત્રુ શાલ્વરાજ,મારી સાથે રણમાં યુદ્ધ કરતાં કરતાં,

આકાશમાં ચાલ્યો ગયો.પછી,જયના અભિલાષી એવા તે મંદબુદ્ધિ શાલ્વરાજે,મારા પર રોષપૂર્વક ગદાઓ,

ત્રિશૂળો,મૂસળો અને તલવારો ફેંક્યા,કે જેના મેં મારા તીવ્ર ગતિવાળા બાણોથી આકાશમાં જ ટુકડા કરી નાખ્યા,

ને જેથી આકાશમાં શોર મચી ગયો.ત્યારબાદ તેણે દારુક,ઘોડાઓ ને રથ પર,લખો બાણો ફેંક્યાં,કે જેથી દારુક ગભરાઈ ગયો ને તે બોલ્યો કે-શાલ્વનાં બાણોથી હું વીંધાઈ રહ્યો છું,ને તેની સામે ઉભા રહેવાની મારી શક્તિ નથી.

મારાં અંગો ભાગી રહ્યાં છે,આમ છતાં,મારે ઉભા રહેવું જ જોઈએ તેથી હું ઉભો રહ્યો છું.(5)

Oct 8, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-308

 

અધ્યાય-૨૦-શાલ્વ સાથે શ્રીકૃષ્ણનું યુદ્ધ 


II वासुदेव उवाच II आनर्तनगरं मुक्तं ततोहमगमं तदा I महाक्रतो राजसूये निवृत्ते नृपते तव  II १ II

વાસુદેવ બોલ્યા-હે નૃપતિ,તમારો રાજસૂય યજ્ઞ પૂરો થયો એટલે હું જયારે દ્વારકા -પાછો આવ્યો ત્યારે મેં દ્વારકાને નિસ્તેજ થઇ ગયેલું જોયું.એ જોઈને મને શંકા થઇ ને મેં કૃતવર્માને તેનું કારણ પૂછ્યું.ત્યારે કૃતવર્માએ શાલ્વની ચડાઈ વિશે કહ્યું.અને તેનું વૃતાન્ત સાંભળીને તે જ વખતે મેં તે શાલ્વરાજનો વિનાશ કરવાનો મનમાં નિશ્ચય કર્યો.

પછી,મેં નગરજનોને,ઉગ્રસેનને ને વસુદેવને ધીરજ આપી ને કહ્યું કે- 'તમે સર્વ નગરમાં સાવધાનીથી રહેજો,હું તે શાલ્વરાજને મારવા માટે જાઉં છું,ને તેને માર્યા વિના હું પાછો દ્વારકા આવીશ નહિ'

Oct 7, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-307

અધ્યાય-૨૦-શાલ્વનો પરાજય અને તેનું પલાયન થવું 


II वासुदेव उवाच II एवमुक्तस्तु कौन्तेय सूतपुत्रस्ततोSब्रवीत I प्रद्यम्नं बलिनां श्रेष्ठं मधुरं ष्लक्ष्णमंजसा  II १ II

વાસુદેવ બોલ્યા-હે કૌંતેય,પ્રદ્યુમ્ને આમ કહ્યું,ત્યારે સુતપુત્રે કોમળતા ને મધુરતા સાથે કહ્યું કે-

'હે રુકિમણીપુત્ર,સંગ્રામમાં ઘોડાઓ હાંકવામાં મને ભય નથી,પણ,સારથિકર્મમાં રહેનારા માટે એ ઉપદેશ કહયો 

છે કે-તેણે સર્વ કાર્યોમાં રથીને રક્ષવો જોઈએ,હે વીર,તમે જયારે ખુબ પીડિત થયા હતા,ને મૂર્છામાં પટકાયા હતા,

એટલે હું તમને ત્યાંથી ખસેડીને અહીં લાવ્યો હતો.પણ હવે તમે દૈવયોગે સચેત થયા છો,એટલે હવે તમે મારી અશ્વ ચલાવવાની કળાને જુઓ.હું દારુકનો દીકરો છું,ને મેં યથાર્થ શિક્ષણ મેળવ્યું છે.હું નિર્ભયતાથી હવે શાલ્વની આ વિશાલ સેનામાં પ્રવેશું છું'  આમ કહી તે દારુકપુત્રે વેગપૂર્વક ઘોડાઓને દોડાવ્યા.(7)

Oct 6, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-306

અધ્યાય-૧૫-યુદ્ધસમયની તૈયારી 


II युधिष्ठिर उवाच II वासुदेव महाबाहो विस्तरेण महामते I सौमस्य वधमाचक्ष्वन न हि तृप्यामि कथ्यतः II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે મહાબાહુ,હે મહામતિ,હે વાસુદેવ,તમે સૌભઅધિપતિ શાલ્વના વધ વિશે 

વિસ્તારથી કહો.કેમ કે તમે કહ્યું તેટલાથી મને તૃપ્તિ થતી નથી.

વાસુદેવ બોલ્યા-હે ભરતશ્રેષ્ઠ,મેં આગળ કહ્યું તેમ,શ્રુતશ્રવાપુત્ર શિશુપાલને મેં મારી નાખ્યો છે,તે સાંભળીને શાલ્વ દ્વારકા પર ચડી આવ્યો હતો.તેણે દ્વારકાને ચારે તરફથી ઘેરીને,પોતે પોતાના આકાશચારી વિમાનમાં બેસી 

સર્વ શસ્ત્રોથી યુદ્ધ રચ્યું હતું.દ્વારકા નગરી,સંરક્ષણ માટે શાસ્ત્ર દ્રષ્ટિથી રચવામાં આવી છે,ને તે અનેક રથો,ને 

સામ્બ,ઉદ્ધવ આદિ વીર પુરુષોથી સુરક્ષિત છે,વળી,મધ્યકેન્દ્રી છાવણીમાં રહેલા સંરક્ષકો વડે ને શત્રુની છાવણીઓને ઉડાવી દેનારા યોદ્ધાઓ વડે પણ તે સંરક્ષિત છે.તે વખતે ઉગ્રસેન અને ઉદ્ધવ આદિએ 

નગરમાં ઘોષણા કરાવી હતી કે-'નગરમાં કોઈએ સુરા પીવી નહિ ને પ્રમાદમાં રહેવું નહિ'

Oct 5, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-305

 

અધ્યાય-૧૫-યુદ્ધસમયની તૈયારી 
II युधिष्ठिर उवाच II वासुदेव महाबाहो विस्तरेण महामते I सौमस्य वधमाचक्ष्वन न हि तृप्यामि कथ्यतः II १ II
યુધિષ્ઠિર બોલ્યા-હે મહાબાહુ,હે મહામતિ,હે વાસુદેવ,તમે સૌભઅધિપતિ શાલ્વના વધ વિશે વિસ્તારથી કહો.
કેમ કે તમે કહ્યું તેટલાથી મને તૃપ્તિ થતી નથી.

વાસુદેવ બોલ્યા-હે ભરતશ્રેષ્ઠ,મેં આગળ કહ્યું તેમ,શ્રુતશ્રવાપુત્ર શિશુપાલને મેં મારી નાખ્યો છે,તે સાંભળીને શાલ્વ દ્વારકા

પર ચડી આવ્યો હતો.તેણે દ્વારકાને ચારે તરફથી ઘેરીને,પોતે પોતાના આકાશચારી વિમાનમાં બેસી 

સર્વ શસ્ત્રોથી યુદ્ધ રચ્યું હતું.દ્વારકા નગરી,સંરક્ષણ માટે શાસ્ત્ર દ્રષ્ટિથી રચવામાં આવી છે,ને તે અનેક રથો,ને 

સામ્બ,ઉદ્ધવ આદિ વીર પુરુષોથી સુરક્ષિત છે,વળી,મધ્યકેન્દ્રી છાવણીમાં રહેલા સંરક્ષકો વડે ને શત્રુની છાવણીઓને ઉડાવી દેનારા યોદ્ધાઓ વડે પણ તે સંરક્ષિત છે.તે વખતે ઉગ્રસેન અને ઉદ્ધવ આદિએ 

નગરમાં ઘોષણા કરાવી હતી કે-'નગરમાં કોઈએ સુરા પીવી નહિ ને પ્રમાદમાં રહેવું નહિ'

Oct 4, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-304

 
અધ્યાય-૧૩-વાસુદેવનાં વચન 

II वासुदेव उवाच II नैतरकृच्छमनुप्राप्तो भवान्स्याद्वसुधाधिप I यद्यहं द्वारकायां राजन्सत्रिहित: पुरा II १ II

વાસુદેવ બોલ્યા-હે વસુધાપતિ યુધિષ્ઠિરરાજ,હું જો પૂર્વે દ્વારકામાં હાજર હોત,તો તમને આ દુઃખ આવત નહિ.

ધૃતરાષ્ટ્ર,દુર્યોધન અને બીજા કૌરવોના આમંત્રણ વગર પણ હું દ્યુતસભામાં આવ્યો હોત,તો અનેક દોષો બતાવીને મેં જુગટાને ખાળ્યું હોત.ધૃતરાષ્ટ્રને હું કહેત કે-'તમારા પુત્રોનો આ જુગાર હવે બસ થાઓ' જે દોષોથી તેઓ અવળી દશામાં આવી પડયા,ને જે દોષોને લીધે પૂર્વે નળરાજા રાજ્યથી ભ્રષ્ટ થયા હતા તે હું ત્યાં બતાવી આપત.

જુગારથી કલ્પનામાં ન હોય તેવો વિનાશ આવે છે,ને તેથી થતી સતત દોષધારા હું વર્ણવત.(6)

Oct 3, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-303

 'અસિતદેવલે કહ્યું છે કે-પૂર્વે પ્રજાના સર્જનકાળે એક તમે જ હતા,તમે જ પ્રજાપતિ છો,ને સર્વ લોકના સર્જનાર છો.

પરશુરામે મને કહ્યું છે કે તમે વિષ્ણુ છો.હે મધુસુદન,તમે જ યજ્ઞ છો,તમે જ યજ્ઞકર્તા છો ને તમે જ યજનયોગ્ય છો.

ઋષિઓ તમને ક્ષમારૂપ ને સત્વરૂપ કહે છે.કશ્યપે તમારા સંબંધમાં કહ્યું છે કે-તેમ તમે સત્વથી ઉત્ત્પન્ન થયેલા યજ્ઞરૂપ છો.નારદે તમારા વિશે,કહ્યું છે તેમ,હે ભૂતભાવન,તમે સાધ્યદેવોના તથા રુદ્રોના ઈશ્વરેશ્વર છો.

તમે બ્રહ્મા,શંકર અને ઇન્દ્ર સાથે,જેમ,બાળક રમકડાં સાથે રમત કરે તેમ ક્રીડા કરો છો.(54)

Oct 2, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-302

 
અર્જુનાભિગમન પર્વ 

અધ્યાય-૧૨-શ્રીકૃષ્ણે કરેલું દ્રૌપદીને સાંત્વન 

II वैशंपायन उवाच II भोजाः प्रव्रजितान श्रुत्वा वृष्णयश्चाधकैः सह I पांडवान् दुःखसंतप्तान समाजग्मुर्महावने I १ II

વૈશંપાયન બોલ્યા-પાંડવો વનવાસે ગયા છે,એવું સાંભળીને ભોજવંશી,વૃષ્ણિવંશી,અને અંધકવંશી યાદવો,દુઃખથી સંતાપ પામીને પાંડવોને મળવા માટે મહાવનમાં આવ્યા.પાંચાલરાજનો પુત્ર ધૃષ્ટદ્યુમ્ન,ચેદિનરેશ ધૃષ્ટકેતુ અને કૈકેય ભાઈઓ પણ પાંડવોને મળવા વનમાં ગયા.ક્રોધ અને અસહનતાથી યુક્ત થઈને તેઓ ધૃતરાષ્ટ્ર પુત્રોની નિંદા કરવા લાગ્યા અને 'હવે અમે શું કરીએ?' એમ પૂછવા લાગ્યા.વાસુદેવ શ્રીકૃષ્ણ કહેવા લાગ્યા કે-(4)

Oct 1, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-301

 
કિર્મીર વધ પર્વ 

અધ્યાય-૧૧-વિદુરનાં વાક્યો 

II धृतराष्ट्र उवाच II किर्मीरस्य वधं क्षत: श्रोतुमिच्छामि कथ्यतां I रक्षसा भीमसेनस्य कथमासी त्समागमः II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે વિદુર,હું કિર્મીરના વધ વિશે સાંભળવા ઈચ્છું છું.તો તે તમે કહો.

ભીમસેનનો એ રાક્ષસ સાથે કેવી રીતે ભેટો થયો?

વિદુર બોલ્યા-મનુષ્યોથી ન થાય એવું કર્મ કરવાવાળા ભીમનું એ કામ તમે સાંભળો.દ્યુતમાં હારેલા તે પાંડવો અહીંથી નીકળો ત્રણ દિવસે કામ્યક નામે વનમાં ગયા ત્યારે ગાઢ અંધકારવાળી રાત્રિનો અડધો સમય વહી ગયો હતો,અને ઘોરકર્મી રાક્ષસોનો સંચાર થવા મંડ્યો હતો,ત્યારે એક બળતી આંખવાળો રાક્ષસ હાથમાં,ઉંબાડિયું 

લઈને માર્ગ રોકતો તેમને સામે મળ્યો.તે રાક્ષસી માયા રચતો હતો,ને મહાનાદથી ગર્જતો હતો,તેની ગર્જનાથી 

સર્વ દિશાનાં પ્રાણીઓ,ચીસો પાડતાં ભાગી જતાં હતાં.આ રાક્ષસ પાંડવો માટે પણ એક અપરિચિત મહારિપુ થયો.

તેને સામે આવેલો જોઈને દ્રૌપદી ગભરાઈ ગઈ ને પોતાની બંને આંખો મીંચી દીધી.(16)

Sep 30, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-300

અધ્યાય-૧૦-મૈત્રેયનો શાપ 

II धृतराष्ट्र उवाच II एतमेवतन्महाप्राज्ञ यथा वदसि नो मुने I अहं चैव विजानामि सर्वे चेमे नराधिपाः II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે મહાપ્રાજ્ઞ,તમે અમને કહો છો તેમ જ છે,હું અને આ સર્વ રાજાઓ તેને જાણે છે,તમે કુરુઓના હિત માટે જે વિચારણા રાખો છો તે મને વિદુરે,ભીષ્મએ ને દ્રોણે કહી હતી,હું જો તમારી કૃપાને લાયક હોઉં અને 

કૌરવો પ્રત્યાએ તમને દયા હોય,તો મારા દુષ્ટ પુત્ર દુર્યોધનને તમે ઉપદેશ આપો (3)

Sep 29, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-299

 
અધ્યાય-૮-વ્યાસનો ઉપદેશ 

II व्यास उवाच II धृतराष्ट्र महाप्राज्ञ निबोध वचनं मम I वक्ष्यामि त्वां कौरवाणां सर्वेषां हितमुत्तमम् II १ II

વ્યાસ બોલ્યા-હે મહાબુદ્ધિમાન ધૃતરાષ્ટ્ર,મારાં વચન સાંભળો,હું તમને ને સર્વ કૌરવો માટે હિતકારી કહીશ.

દુર્યોધન આદિઓએ કપટથી હરાવેલ પાંડવો વનમાં ગયા એ મને ગમ્યું નથી.પોતાને પડેલાં દુઃખોને સંભારી  રાખીને તેઓ તેર વર્ષ પૂરાં થયે ક્રોધપૂર્વક કૌરવો પર વેર વરસાવશે.પણ,અત્યારે તમારો આ મંદબુદ્ધિ ને પાપી મનવાળો દુર્યોધન,હજુ એ નિત્ય ક્રોધમાં રહીને રાજ્યના કારણે પાંડવોને મારવાની ઈચ્છા કરે છે,

તે શું કહેવાય? તે તો પાંડવોના ક્રોધમાં,બળતામાં ઘી હોમવાનું કાર્ય કરી રહ્યો છે.(4)

Sep 28, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-298

 
અધ્યાય-૭-પાંડવોના નાશ માટે દુર્યોધન મંડળીની વિચારણા 

II वैशंपायन उवाच II श्रुत्वा च विदुरं प्राप्तं राज्ञा च परिसान्विम् I धृतराष्ट्रात्मजो राजा पर्यतत्पत दुर्मति:II १ II

વૈશંપાયન બોલ્યા-'વિદુર પાછા આવ્યા છે ને ધૃતરાષ્ટ્રે તેમને સારી રીતે સાંત્વન આપ્યું છે' એ સાંભળીને 

ધૃતરાષ્ટ્રનો દુર્બુધ્ધિ પુત્ર દુર્યોધન ભારે સંતાપ કરવા લાગ્યો.તેણે શકુનિ,કર્ણ ને દુઃશાસનને બોલાવી તેમને કહ્યું કે-

'પાંડુપુત્રોનો હિતૈષી વિદુર પછી આવ્યો છે.ને પાંડવોને પાછા લાવવા વિશે તે ધૃતરાષ્ટ્રનુ મન ફેરવી નાખે 

તે પહેલાં તમે મારા હિતનો વિચાર કરો.પાંડવોને હું કોઈ પણ રીતે અહીં પાછા આવેલા જોઇશ 

તો હું અન્નજળ છોડી દઈશ,ઝેર ખાઈશ,ગળે ફાંસો નાખીશ,કે આગમાં કૂદી આત્મઘાત કરીશ,

તેમને સમુદ્ધ થતા જોવાની હું ઈચ્છા કરતો નથી. (6)

Sep 27, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-297

 
અધ્યાય-૬-વિદુરનું ફરીથી હસ્તિનાપુર જવું 

II वैशंपायन उवाच II गते तु विदुरं राजन्नाश्रमं पम्दवान्प्रति I धृतराष्ट्रो महाप्राज्ञः पर्यतप्तत भारत II १ II

વૈશંપાયન બોલ્યા-હે રાજન,વિદુર પાંડવોના આશ્રમ તરફ ગયા,ત્યારે મહાપ્રાજ્ઞ ધૃતરાષ્ટ્ર મનમાં અત્યંત સંતાપ કરવા લાગ્યો,વિદુરનો નીતિપ્રભાવ અને પાંડવોની ભવિષ્યમાં થનારી પરમ ઉન્નતિ વિચારીને તે સભામાં આવ્યો,

પણ અત્યંત દુઃખિત એવો તે,ત્યાં બેઠેલા રાજાઓની સમક્ષ જ બેભાન થઈને ઢળી પડ્યો,ફરીથી તે જ્યારે ભાનમાં આવ્યો ત્યારે પાસે ઉભેલા સંજયને કહેવા લાગ્યો કે-'મારા ભાઈ,મારા મિત્ર ને સાક્ષાત બીજા ધર્મ જેવા વિદુરના સ્મરણથી મારું હૃદય આજે ફાટી જતું હોય તેમ લાગે છે,સ્વધર્મને જાણનારા મારા તે ભાઈને તત્કાળ લઇ આવ.

હે સંજય,તું જા અને મેં પાપીએ રોષ કરીને જેને હડસેલી મુક્યો છે,તેને લઇ આવ નહિતો હું મારો જીવ કાઢીશ'