Oct 30, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-325

 

અધ્યાય-૩૬-યુધિષ્ઠિરનો ઉત્તર અને કામ્યક વનમાં પ્રયાણ 


II वैशंपायन उवाच II भीमसेनवचः शृत्वा कुन्तीपुत्रो युधिष्ठिरः I निःश्चस्य पुरुषव्याघ्र संप्रदध्पौ परंतपः II १ II

વૈશંપાયન બોલ્યા-ભીમસેનનાં વચન સાંભળીને,શત્રુઓને તાપ આપનારા અને પુરુષોમાં સિંહ એવા યુધિષ્ઠિરે નિશ્વાસ નાખ્યો ને મનમાં વિચારવા લાગ્યા કે-'મેં રાજધર્મોને તથા વર્ણોના ધર્મનિશ્ચયો સાંભળ્યા છે.પણ,જે મનુષ્ય વર્તમાનમાં ને ભવિષ્યમાં જુએ છે તે જ સાચું જુએ છે.કઠિનતાએ જાણી શકાય એવી,ધર્મની મર્મગતિને ને 

હું જાણું છું,તો પછી હું બલાત્કારે તે ધર્મને કેમ કરીને નકારી શકું?' પછી થોડીવાર ધ્યાન કરીને 

અને કર્તવ્ય કર્મનો નિશ્ચય કરીને તેમણે તરત જ ભીમસેનને કહ્યું કે-(4) 

Oct 29, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-324

 

અધ્યાય-૩૫-ભીમનાં વળતાં વચન 


II भीमसेन उवाच II संधिं कृत्यैव कालेन ह्यन्तकेन पतत्रिणा I अनन्तेनाप्रमेयेण स्त्रोतसा सर्वविहारिणा II १ II

ભીમસેન બોલ્યો-હે મહારાજ,તમે પણ મરણધર્મવાળા છો,કાળના બંધનથી બંધાયેલા છો,ફીણના જેવા ક્ષણભંગુર છો ને ફળના જેવા પતનશીલ છો.ને છતાં એ સર્વહારી કાળ સાથે તમે સંધિ કરી હોય તેમ માનો છો.

હે કૌંતેય,જેમ ઘણું બારીક કાજળ,એક સળી લગાડવાથી પણ ઓછું થાય છે તેમ પુરુષનો આવરદા એક પલકારામાં એ ઓસરી જાય છે.તો તેણે સમયની વાટ શા માટે જોવી જોઈએ? સાચે જ જે અમાપ આવરદાવાળો હોય,અથવા જે આયુષ્યનું પ્રમાણ જાણતો હોય,કે જે સર્વને પ્રત્યક્ષ જોતો હોય તે જ કાળની પ્રતીક્ષા કરી શકે.(4)

Oct 28, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-323

 

અધ્યાય-૩૪-યુધિષ્ઠિરનાં વાક્યો 


II वैशंपायन उवाच II 

स एवमुक्तस्तु महानुभावः सत्यव्रतो भीमसेन राजा I अज्ञातशत्रुस्तदनन्तरं वै धैर्यान्वितो वाक्यमिदं चमापे II १ II

વૈશંપાયન બોલ્યા-ભીમસેને આ પ્રમાણે કહ્યું ત્યારે મહાનુભાવ,સત્યપ્રતિજ્ઞ અને અજાતશત્રુ યુધિષ્ઠિર બોલ્યા કે-

'હે ભારત,તું મને વાગ્બાણોથી વીંધીને ક્ષીણ કરે છે,તું કહે છે તે નિઃસંશય સાચું છે,ને તું પ્રતિકૂળ થયો છે તે માટે હું તને ઠપકો આપતો નથી.મારા દુર્વર્તનથી જ તમને સંકટ આવ્યું છે.મેં દુર્યોધન સામે મેં જુગટાનો સ્વીકાર કર્યો,પણ કપટી શકુનિ દુર્યોધનને બદલે મારી સામે રમવા આવી બેઠો,ને કપટથી એણે સભા વચ્ચે પાસા નાખીને,નિષ્કપટી એવા મને હરાવ્યો.ને તેથી આવેલી આપત્તિ હું જોઉં છું.શકુનિના પાસાઓને તેની ઈચ્છા મુજબ પડતા જોઈને પણ,હું મારી જાતને (મનને) વશમાં રાખી શક્યો નહિ.હે ભાઈ,આ મનને વશ કરી શકાતું નથી.

Oct 27, 2023

MANDIR SATHE PARANI MIRA--BY JHARNA VYAS

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-322

 

હે મહારાજ,દાન,યજ્ઞો,સત્પુરુષોનો સત્કાર,વેદાધ્યન અને સરળતા એ પરમ ધર્મ જરૂર છે,પણ આ સર્વ ગુણો હોય તો પણ ધનહીન મનુષ્ય આ ધર્મને સેવી શકતો નથી.ને એવું ધન,ભીખ માગ્યે કે નપુંસકતા રાખવાથી મળતું નથી,

બ્રાહ્મણો જે યાચના કરીને ધનસિદ્ધિ કરે છે તે તમારે માટે નિષિદ્ધ છે,તમે પરાક્રમપૂર્વક જ અર્થપ્રાપ્તિનો પ્રયત્ન કરો.કેમ કે ક્ષત્રિય માટે ભીખ માંગવાનું વિધાન નથી,તે જ રીતે તે વૈશ્ય ને શુદ્રની જીવિકા પણ ન જીવી શકે.

એનું પોતાનું બળ એ એનો વિશિષ્ટ ધર્મ છે.માટે હે પાર્થ,તમે એ સ્વધર્મને સ્વીકારો ને સામે આવેલા શત્રુઓને 

હણી નાખો.કે મારા અને અર્જુનના હાથે તમે ધૃતરાષ્ટ્રપુત્રો રૂપી વનનો નાશ કરાવો (52)

Oct 26, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-321

 

અધ્યાય-૩૩-ભીમસેનનાં વાક્યો 


II वैशंपायन उवाच II याज्ञसेन्या वचः श्रुत्वा भीमसेनो ह्यमर्पण: I निश्चसन्नुपसंगम्य रुद्वो राजानमब्रवीत् II १ II

વૈશંપાયન બોલ્યા-દ્રૌપદીના વચન સાંભળીને અસહનશીલ ભીમસેન ક્રોધમાં આવીને યુધિષ્ઠિર પાસે ગયો ને 

નિશ્વાસ નાખતો બોલ્યો કે-'સત્પુરુષોને યોગ્ય અને ધર્મથી યુક્ત એવી રાજ્યપદવીને માટે તમે કંઈ કરો.

ધર્મ,કામ અને અર્થથી હીન થયેલા આપણે શા માટે તપોવનમાં વસવું જોઈએ? દુર્યોધને આપણું રાજ્ય કંઈ ધર્મથી,સરળતાથી કે તેજસ્વીતાથી થોડું જ જીતી લીધું હતું? તેણે તો જુગટામાં કપટનો આશ્રય લઈને છીનવી લીધું છે.

એઠું ખાનારો શિયાળ જેમ બળવાન સિંહોનું માંસ લઇ જાય છે તેમ દુર્બળ દુર્યોધન આપણું રાજ્ય હરી બેઠો છે.

Oct 25, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-320

 

અધ્યાય-૩૨-દ્રૌપદીનો નીતિવાદ 


II द्रौपदी उवाच II नावमन्ये न गर्हे च धर्म पार्थ कथंचन I ईश्वरं कृतएवाहमयर्मस्ये प्रजापतिम II १ II

દ્રૌપદી બોલી-હે પૃથાનંદન,હું ધર્મનું કોઈ રીતે અપમાન કરતી નથી,કે તેને કોઈ રીતે નિંદતી નથી.તો પછી,

પ્રજાપતિ ઈશ્વરને તો હું કેમ અવમાનું? હે ભારત,હું તો દુઃખની મારી જ આ પ્રલાપ કરી રહી છું,એમ જાણો.

ફરી હું કેટલોક પ્રલાપ કરીશ તે તમે સાંભળો.હે શત્રુનાશન,આ લોકમાં જાણકારે કર્મ અવશ્ય કરવાં જ જોઈએ,

કર્મ કર્યા વિના તો માત્ર સ્થાવરો જ જીવે છે,બીજાં પ્રાણીઓ જીવતાં નથી.વાછરડું જન્મતાંની સાથે જ ગાયના આંચળ ધાવે છે અને તાપ લાગે ત્યારે છાંયે જઈને બેસે છે,એ પરથી સમજાય છે કે પ્રાણીઓ 

પોતાના પૂર્વકર્મોના સંસ્કારોને અનુસરે છે.હે ભરતોત્તમ,વળી,જંગમોમાં ખાસ કરીને મનુષ્યો 

આ લોક ને પરલોકમાં પોતાના કર્મથી જ આજીવિકા મેળવવા ઈચ્છે છે.(5)

Oct 24, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-319

અધ્યાય-૩૧-યુધિષ્ઠિરનો ઉત્તર 


II युधिष्ठिर उवाच II वल्गु चित्रपदं श्लक्ष्णं याज्ञसेनि त्वया वचः I उक्तं तछ्रुतमस्माभिर्नास्तिक्यं तु प्रभाषसे II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે યાજ્ઞસેની,તેં જે સુંદર પણ વિચિત્ર પદવાળાં વચનો કહ્યાં,તે અમે સાંભળ્યા,તું તો વેદવિરુદ્ધ ને નાસ્તિક વાતો કરે છે.હું કોઈ કર્મના ફળને શોધતો દોડતો નથી પણ 'દેવું જોઈએ' એટલે જ દાન કરું છું 

ને 'યજવું જોઈએ' એટલે યજ્ઞ કરું છું,હે કૃષ્ણા,આમાં ફળ મળો કે ન મળો,પણ ગૃહસ્થાશ્રમમાં વસતા પુરુષે જે કરવું જોઈએ તે યથાશક્તિ હું કરું છું.હું કંઈ ધર્મના ફળને કારણે ધર્મ આચરતો નથી,પણ હું તો શાસ્ત્રોને અનુસરીને અને સત્પુરુષોના વર્તનને જોઈને તેવું આચરણ કરું છું.મારુ મન સ્વભાવથી જ ધર્મપરાયણ છે.જે,ધર્મ કરીને ફળની આકાંક્ષા રાખે છે તે હીન મનુષ્ય,તો ધર્મવાદીઓમાં અધમત્તમ છે.(5)

Oct 23, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-318

 

અધ્યાય-૩૦-દ્રૌપદીનાં વળતાં વચનો 


II द्रौपदी उवाच II नमो धात्रे विधात्रे च मोहं चक्र्तुस्तव I पितृपैतामहं पृत्ते चोढवये तेSन्यथामतिः II १ II

દ્રૌપદી બોલી-એ ધાતા.એ વિધાતાને નમસ્કાર કે જે બંનેએ બાપદાદાથી ઉતરી આવેલા રાજયપ્રાપ્તરૂપી-ધારણ કરવા યોગ્ય આચારમાં તમારી ઉલટી મતિ કરી છે.કર્મથી જ ઉત્તમ,મધ્યમ ને નીચ-એ જુદીજુદી યોનિઓમાં,

ને જુદાજુદા લોક મળે છે,તેથી કર્મો જ નિત્ય છે અને લોભ વડે જ માણસ મોક્ષની ઈચ્છા કરે છે.આ લોકમાં પુરુષ,ધર્મથી,દયાળુતાથી,ક્ષમાથી,સરળતાથી કે લોકોપવાદના ભયથી લક્ષ્મીને પામતો નથી.(3)

Oct 22, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-317

 

અધ્યાય-૨૯-યુધિષ્ઠિરે કરેલી ક્ષમાની પ્રશંસા 


II युधिष्ठिर उवाच II क्रोधो हंता मनुष्याणां क्रोधो भावयिता पुनः I इति विद्धि महाप्राज्ञे क्रोधमूलौ भवाभवौ II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે મહાબુદ્ધિશાળી,ક્રોધ મનુષ્યોનો ઘાતક છે.મનુષ્યની વૃદ્ધિ ને વિનાશ એ બેઉનું મૂળ ક્રોધ છે.

જે ક્રોધને મારે છે તે અભ્યુદયને મેળવે છે.વળી,જે ક્રોધને વશ થઇ જાય,તેનો ક્રોધ જ તેના વિનાશનું કારણ બને છે.

આ જગતમાં પ્રજાઓના વિનાશનું કારણ ક્રોધ જ જોવામાં આવે છે,તો મારે શા માટે ક્રોધને પ્રગટ કરવો જોઈએ?

ક્રોધમાં આવી બેસેલો મનુષ્ય પાપ કરી બેસે છે ને ગુરુઓને પણ મારી નાખે છે,ક્રોધને વશ થયેલો મનુષ્ય કઠોર વચનો બોલીને શ્રેષ્ઠ પુરૂષોનું પણ અપમાન કરે છે,તે શું બોલવું ને શું ન બોલવું એ સમજતો નથી.

Oct 20, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-316

 

અધ્યાય-૨૮-દ્રૌપદીનો સંતાપ 


II द्रौपदी उवाच II अत्राप्युदाहरंतीममितिहासं पुरातनम् I प्रहलादस्य संवादं बलेर्वैरोचनस्य च II १ II

દ્રૌપદી બોલી-આ વિષયમાં પુરાણવિદો,પ્રહલાદ ને વિરોચનપુત્ર બલિનો સંવાદ ઉદાહરણમાં આપે છે.

અસુરોમાં ઇન્દ્ર જેવા,મહાબુદ્ધિમાન,અને ધર્મોના રહસ્યને જાણનારા દૈત્યેન્દ્ર પ્રહલાદને બલિએ પૂછ્યું હતું-

'હે પિતા,ક્ષમા ચડિયાતી છે કે તેજ ચડિયાતું છે?મને આ વિષે સંશય છે,તો તમે તે વિષે કહો,

કે જેથી તમારા ઉપદેશ પ્રમાણે તે બધું હું યથાર્થ રીતે કરીશ' (4)

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-315

 

અધ્યાય-૨૭-દ્રૌપદીનાં પરિતાપ વચન 


II वैशंपायन उवाच II ततो वनगता: पार्थाः साह्याद्वे सः कृष्णया I उपविष्टा: कथाश्चत्कृदुःख शोकपरायणा: II १ II

વૈશંપાયન બોલ્યા-તે પછી,વનવાસી થયેલા ને દુઃખશોક્મા ડૂબેલા પૃથાનંદનો સંધ્યાકાળે કૃષ્ણા સાથે બેસીને વાતો કરી રહ્યા હતા.ત્યારે તે કૃષ્ણા યુધિષ્ઠિરને કહેવા લાગી કે-દુષ્ટચિત્ત,ઘાતકી અને પાપી તે ધુતરાષ્ટ્રપુત્રને,આપણે દુઃખી થયા,તેથી જરાયે દુઃખ થતું નથી.કેમ કે હે રાજન,તે દુરાત્માએ તમને મૃગચર્મો પહેરાવ્યાં.અને મારી સાથે વનમાં ધકેલ્યા,છતાં તે દુર્મતિયાને કશો પશ્ચાતાપ થયો નહિ.તે દુષ્ટનું હૈયું ખરે,લોખંડનું છે,કેમ કે ધર્મપરાયણ અને જ્યેષ્ઠ એવા તમને,તે વખતે કડવા બોલ સંભળાવ્યા હતા.સુખને યોગ્ય અને દુઃખને અયોગ્ય એવા તમારા પર આવું દુઃખ લાવીને તે દુષ્ટચિત્ત પાપી તેના સ્નેહીસમૂહો સાથે લહેર કરે છે.(6)

Oct 19, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-314

 

અધ્યાય-૨૬-બકદાલભ્યનો ઉપદેશ 


II वैशंपायन उवाच II वतत्सु ते वै द्वैतवने पांडवेपु महात्मसु I अनुकीर्ण महारण्यं ब्राह्मणैः संपद्यत II १ II

વૈશંપાયન બોલ્યા-મહાત્મા પાંડવો દ્વૈતવનમાં વસવા લાગ્યા,ત્યારથી તે મહાન અરણ્ય બ્રાહ્મણોથી જાણે ઉભરાઈ ગયું.હતું.ચારે બાજુ ગાજી રહેલા બ્રહ્મઘોષને લીધે એ દ્વૈતવન સરોવર બ્રહ્મલોકના જેવું પાવનકારી થયું હતું.

આમ એક બાજુ બ્રાહ્મણોના વેદધ્વનિ ગાજતા હતા તો બીજી બાજુ પાંડવોના ધનુષ્યટંકાર સાંભળતા હતા.

એક વખતે,ઋષિઓથી વીંટાયેલા ને સંધ્યોપાસનામાં બેઠેલા યુધિષ્ઠિરને બકદાલભ્ય મુનિએ કહ્યું કે-

Oct 14, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-313

 

અધ્યાય-૨૫-પાંડવોને માર્કેન્ડેય મુનિનો ઉપદેશ 


II वैशंपायन उवाच II 

तत्काननं प्राप्य नरेन्द्रपुत्राः सुखोचितावासमुपेत्य क्रुच्छम् Iविजह्रुरिन्द्रप्रतिमाः शिवेपुसरस्वतीशालवनेपु तेपु II १ II

વૈશંપાયન બોલ્યા-સુખને યોગ્ય,છતાં વનવાસના કષ્ટને પ્રાપ્ત થયેલા તે ઇન્દ્રના જેવા રાજપુત્રો,તે વનમાં પહોંચીને સરસ્વતી નદી પરનાં સાગના વનોમાં વિહાર કરવા લાગ્યા.તેઓ યતિઓ,મુનિઓ અને બ્રાહ્નણોને ઉત્તમ ફળમૂળથી તૃપ્ત કરતા હતા.ને ધૌમ્ય પુરોહિત વનમાં વસતા તે પાંડવોની યજ્ઞ ને પિતૃ સંબંધી ક્રિયાઓ કરતા હતા.

એક વખતે અમાપ તેજસ્વી એવા માર્કન્ડેય મુનિ તેમના  અતિથિરૂપે આવ્યા.(4)

Oct 12, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-312

અધ્યાય-૨૪-પાંડવોનો દૈત્યવનમાં પ્રવેશ 


II वैशंपायन उवाच II ततस्तेषु प्रयातेषु कौन्तेयः सत्यसंगरः I अभ्यमापत धर्मात्मा भ्रातृन्सर्वान युधिष्ठिर II १ II

વૈશંપાયન બોલ્યા-આમ તેઓ ત્યાંથી ચાલ્યા ગયા પછી,સત્યપ્રતિજ્ઞ અને ધર્માત્મા એવા કુંતીનંદન યુધિષ્ઠિરે સર્વ ભાઈઓને કહ્યું કે-'આપણે હવે બાર વર્ષ સુધી નિર્જન વનમાં વસવાનું છે એટલે તમે એવી જગા શોધી કાઢો કે જેમાં અનેક મૃગો,પક્ષીઓ,ફૂલો,ફળો હોય,જે રમણીય હોય,કલ્યાણકારી હોય,પવિત્ર મનુષ્યોથી ભરપૂર હોય,

ને જેમાં આપણે સર્વ સુખરૂપ વસી શકીએ તેમ હોય' ત્યારે અર્જુને તેમને માન આપી કહ્યું કે-