Dec 9, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-361

 

અધ્યાય-૭૪-નળ ને દાસી કેશિનીનો સંવાદ 


II दमयन्ती उवाच II गच्छ केशिनि जानीहि क एय रथवाहक I उपविष्टो रथोपस्ये विकृतो ह्रस्वबाहुकः II १ II

દમયંતી બોલી-'હે કેશીની,તું જા અને રથ પર જે ટૂંકા હાથવાળો ને બેડોળ સારથી બેઠો છે તેની ભાળ કાઢ.

તું તેની પાસે સ્વસ્થતાપૂર્વક જઈને તેના કુશળ સમાચાર પૂછજે.મારા મનમાં જે સંતોષ ને હૃદયમાં જે સુખ થાય છે તેથી મને શંકા પડે છે કે તે પુરુષ નળરાજા હશે.હે દાસી,વાતચીત થઇ રહ્યા પછી તું પર્ણાદને કહેલાં મારા વચનો તેને સંભળાવજે ને ત્યારે તે જે ઉત્તર આપે તે તું બરોબર ધ્યાનમાં રાખીને મને આવીને કહેજે.'

Dec 8, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-360

 

અધ્યાય-૭૩-કુંડિનપુરમાં રાજા ઋતુપર્ણ 


II बृहदश्च उवाच II ततो विदर्भान्संप्राप्तं सायाह्ये सत्यविक्रमं I ऋतुपर्ण जना राज्ञे भीमाय प्रत्यवेदयन II १ II

બૃહદશ્વ બોલ્યા-'સત્યપરાક્રમી ઋતુપર્ણ વિદર્ભનગરી પહોંચ્યો,ત્યારે સેવકોએ રાજા ભીમને તેના સમાચાર આપ્યા.ભીમના આદેશથી ઋતુપર્ણ રાજાએ કુંડિનનગરીમાં પ્રવેશ કર્યો.રથઘોષથી નળે,સર્વ દિશાઓને ગજવી મૂકી.દમયંતીએ પણ તે ઘોષ સાંભળ્યો ને તે પરમ આશ્ચર્ય પામી કેમ કે પૂર્વે જયારે નળ અશ્વોને હાંકતા હતા તે સમયના જેવો જ તે ઘોષ હતો.ઘોડાઓ,હાથીઓ ને મોરો પણ મોં ઊંચાં કરી નાદ કરવા લાગ્યા.(7)

Dec 7, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-359

અધ્યાય-૭૨-નળના દેહમાંથી કલિનું નાસવું 


II बृहदश्च उवाच II स नदीपर्वताश्चैव वनानि च सरांसि च I अचिरेणातिचक्राम खेचरः खेचरन्निव II १ II

બૃહદશ્વ બોલ્યા-'ઋતુપર્ણનો તે રથ,આકાશચારી પંખીની જેમ,નદીઓ,પર્વતો અને સરોવરોને પલકારામાં વટાવી ગયો.તેવામાં ઋતુપર્ણે પોતાનું ઉપરણું નીચે પડી જતું જોયું.એટલે તેણે નળને કહ્યું કે-'તું રથ ઉભો રાખ,આ વાર્ષ્ણેય 

મારો ઉડી ગયેલો દુપટ્ટો લઇ આવે' નળે ઉત્તર આપ્યો કે-'આપણે ત્યાંથી એક જોજન દૂર આવી ગયા છીએ,એટલે તે

પાછું લાવી શકાય તેમ નથી.કેમ કે તેથી સમય બરબાદ થશે ને આપણે સમયસર પહોંચી શકીશું નહિ'

Dec 6, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-358

 

અધ્યાય-૭૧-વિદર્ભ દેશ તરફ ઋતુપર્ણનું પ્રસ્થાન 


II बृहदश्च उवाच II श्रुत्वा वचः सुदेवस्य ऋतुपर्णो नराधिपः I सान्त्ययन् श्लक्ष्णया वाचा बाहुकं प्रत्यभाषत II १ II

બૃહદશ્વ બોલ્યા-'સુદેવની વાત સાંભળીને રાજા ઋતુપર્ણે મધુર વાણીમાં બાહુકને કહ્યું કે-'હે બાહુક,દમયંતીના સ્વયંવરમાં જવા માટે વિદર્ભદેશમાં હું એક જ દિવસમાં પહોંચવા માગું છું,તો તું સારા અશ્વોથી જોડેલો 

રથ સત્વરે તૈયાર કર તું અશ્વવિદ્યામાં નિષ્ણાત છે,તો મારુ આટલું કામ કર'

Dec 5, 2023

Vishnu Sahastra Namavali and Viahnu sahastr Stotra Book-Gujarati-વિષ્ણુ સહસ્ત્ર નામાવલી અને વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્ર-બુક

This book is downloadable

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-357

 

અધ્યાય-૭૦-નળરાજાની ભાળ મળી 


II बृहदश्च उवाच II अथ दीर्घस्य कालस्य पर्णादो नाम वै द्विजः I प्रत्येत्य नगरं भैमीमिदं वचनमब्रवीत II १ II

બૃહદશ્વ બોલ્યા-પછી,લાંબા સમયે પર્ણાદ નામનો બ્રાહ્મણ નગરમાં પાછો આવીને દમયંતીને કહેવા લાગ્યો કે-

'હે દમયંતી,નૈષધનાથને શોધતો હું અયોધ્યા નગરીમાં ઋતુપર્ણ રાજાને ત્યાં ગયો હતો ને સભામધ્યે મેં તમારાં કહેલાં

વચનો યથાવત કહ્યાં,પણ કોઈએ કશું કહ્યું નહિ એટલે રાજાની રજા લઈને હું બહાર નીકળયો ત્યારે 

બાહુક નામના સારથિએ મને એકાંતમાં બોલાવ્યો.તે કદરૂપો ને ટૂંકા હાથવાળો છે ને વાહન ચલાવવામાં 

ને રસોઈ બનાવવામાં ઉત્તમ છે.તે અનેકવાર નિસાસા નાખીને રુદન કરીને બોલ્યો હતો કે-

Dec 4, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-356

અધ્યાય-૬૯-દમયંતી પિતાને ત્યાં,અને નળરાજાની શોધ 


II सुदेव उवाच II विदर्भराजो धर्मात्मा भीमो नाम महाधुतिः I सुतेयं तस्य कल्याणी दमयन्तीति विश्रुता II १ II

સુદેવ બોલ્યો-'ધર્માત્મા અને મહાતેજસ્વી એવા વિદર્ભદેશના રાજા ભીમની આ પુત્રી દમયંતી નામે પ્રસિદ્ધ છે.

તે નિષધદેશના રાજા નળની પત્ની છે,જેના રાજ્યને તેના ભાઈએ જુગટામાં જીતી લીધું હતું એટલે તે આ દમયંતી સાથે રાજ્યમાંથી ચાલ્યો ગયો હતો ને તેમની કોઈ ભાળ મળતી નહોતી,તેથી રાજા ભીમની આજ્ઞાથી આ દમયંતીને ખોળવા અમે બ્રાહ્મણો પૃથ્વી પર વિચરી રહ્યા હતા,તે અહીં મને તે તમારા ભવનમાં મળી આવી છે,

આની બે ભંવર વચ્ચે જન્મથી જ એક ઉત્તમ કમલાકાર તલ છે,કે જે મેલથી ઢંકાયેલો છે,છતાં મેં તે નિશાનથી તેને

ઓળખી લીધી છે' સુદેવના આવા વચનથી સુનંદાએ તે તલ પરના મેલને દૂર કરવાનો પ્રયત્ન કર્યો.

Dec 3, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-355

 

અધ્યાય- ૬૮-દમયંતી ને સુદેવનો સંવાદ 


II बृहदश्च उवाच II ह्रतराज्ये नले भीमः सभाये प्रेष्यतां गते I द्विजान्प्रस्थापपामास नलदर्शनकांक्षया II १ II

બૃહદશ્વ બોલ્યા-આમ,હરાઈ ગયેલા રાજયવાળો નળ ને તેની પત્ની દમયંતી દાસપણું પામ્યા હતા,ત્યારે નળના દર્શનની આકાંક્ષાથી ભીમે બ્રાહ્મણોને પુષ્કળ ધન આપીને તેમને કહ્યું કે -'તમે નળ-દમયંતીને શોધી કાઢો.જે તેમને શોધીને અહીં લઇ આવશે તેમને હું વધુ ધન,સહસ્ત્ર ગાયો ને ગામ આપીશ' 

Dec 2, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-354

 

અધ્યાય-૬૭-નળરાજાનો ગુપ્તવાસ અને વિલાપ 


II बृहदश्च उवाच II तस्मिन्नंतर्हिते नागे प्रपयौ नलः I ऋतुपर्णस्य नगरं प्राविशदशमेSहनि II १ II

બૃહદશ્વ બોલ્યા-તે નાગના અંતર્ધાન થયા પછી,નૈષધરાજ નળ ત્યાંથી નીકળીને દશમે દિવસે ઋતુપર્ણના નગરે પહોંચ્યો.

ને રાજાની પાસે જઈને બોલ્યો કે-'હું બાહુક નામે સારથી છું.ઘોડાઓ હાંકવામાં,પૃથ્વી પર મારો કોઈ બરોબરિયો નથી.ચતુરાઈના કામોમાં સલાહ આપવા હું યોગ્ય છું,ભોજન બનાવવામાં,શિલ્પ કલામાં ને બીજાં 

જે દુષ્કર કામો છે તે સર્વ કરવાને હું હું પ્રયત્ન કરીશ,હે રાજા તમે મારુ ભરણ પોષણ કરો. (4)

Dec 1, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-353

 

અધ્યાય-૬૬-નળ અને કર્કોટકનો સંવાદ 


II बृहदश्च उवाच II उत्सृज्य दमयन्ति तु नलो राज विशांपते I ददर्शं दावं दह्यन्तं महान्तं गहने वने II १ II

બૃહદશ્વ બોલ્યા-હે પૃથ્વીનાથ,દમયંતીને છોડીને નીકળેલા નળરાજાએ તે ગહન વનમાં મહાન દવ બળતો જોયો.

ને ત્યાં તે દાવાગ્નિના મધ્યમાં ગૂંચળું વાળીને બેઠેલા એક નાગને મદદ માટેની બૂમો મારતો જોયો.એટલે 

'તું બીશ નહિ' એમ કહીને નળે તે અગ્નિના મધ્યમાં પ્રવેશ કર્યો.નળને જોતાં જ તે નાગ ધ્રૂજતો ધ્રૂજતો કહેવા લાગ્યો કે-હે રાજન,મને કર્કોટક નાગ જાણો.મેં નારદને છેતર્યા હતા,તેથી તેમણે ક્રોધે ભરાઈને શાપ આપ્યો હતો કે-

Nov 30, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-352

 

અધ્યાય-૬૫-દમયંતી ચેદિરાજના દેશમાં 


II बृहदश्च उवाच II सा तच्छ्रुत्वा नवध्यांगी सार्थवाहवश्वस्तदा I जगाम सः तेनैव सार्थेन पतिलालसा II १ II

બૃહદશ્વ બોલ્યા-તે સાર્થવાહનાં વચન સાંભળીને સુંદશંગી દમયંતી,પતિદર્શનની લાલસાએ તે વખતે જ સંઘની સાથે ચાલી.પછી,બહુ દિવસો પછી,તે વણિકોના મહાસંઘે તે દારુણ વનમાં 'પદ્મસૌગન્ધિક'નામના એક સરોવરના કિનારે નિવાસ કર્યો.થાકેલો સંઘ રાત્રે સૂતો હતો ત્યારે તેમના પાળતુ હાથીઓ પર જંગલી હાથીઓ ત્યાં ધસી આવ્યા.સંઘ માટે હાથીઓનો વેગ દુઃસહ થઇ પડ્યો ને અનેક લોકો તેમના પગ નીચે કચરાઈ ગયા.

Nov 29, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-351

 

અધ્યાય-૬૩-દમયંતીની દુર્દશા 


II बृहदश्च उवाच II अपक्रान्ते नले राजन्दंमयंति गतक्लमा I अयुध्यत घरारोहा संत्रस्ता विलने वने II १ II

બૃહદશ્વ બોલ્યા-હે રાજન,નળ ચાલ્યો ગયો,એ પછી દમયંતી થાકથી મુક્ત થતાં,જાગી ને પોતાના સ્વામીને ત્યાં ન જોતાં,શોક ને દુઃખથી ઘેરાઈ ગઈ.ને તે દુખિયારી રોતી રોતી,વનમાં તેને આમતેમ ફરીને ખોળવા લાગી.

વારંવાર વિલાપ કરતી તે જમીન પર પડી ગઈ,ત્યારે એકાએક અજગરે ત્યાં આવોને તેને પકડી ને તેને ગળવા લાગ્યો.દમયંતીની બૂમો પાડવા લાગી જે સાંભળીને એક પારધી ત્યાં દોડી આવ્યો ને ત્યાં આવીને તેણે એક તીણા  હથિયારથી અજગરના મુખને ચીરીને તેણે દમયંતીને છોડાવી.(28)

Nov 28, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-350

 

અધ્યાય-૬૨-દમયંતીનો ત્યાગ 


II नल उवाच II यथा राज्यं तव पितुस्तथा मम न संशयः I न तु तत्र गामिप्यामि विषमस्य: कयंचन II १ II

 નળ બોલ્યો-'રાજય જેવું તારા પિતાનું છે,તેવું મારુ પણ છે એ વિષે મને સંશય નથી,પણ વિષમ સ્થિતિમાં આવેલો હું ત્યાં કોઈ રીતે જઈશ નહિ,એકવાર સમૃદ્ધિ સંપન્ન એવો હું ત્યાં ગયો હતો,ને તારા હર્ષમાં વૃદ્ધિ કરનારો થયો હતો,પણ હવે ત્યાં જઈને હું તારા શોકમાં વધારો કરનારો શા માટે થાઉં?'

Nov 27, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-349

અધ્યાય-૬૧-નળનું વનગમન 


II बृहदश्च उवाच II ततस्तु याते वार्ष्णेये पुण्यश्लोकस्य दीव्यतः I पुष्करेण हतं राज्यं यथान्यद्वसु किंचन II १ II

બૃહદશ્વ બોલ્યા-વાર્ષ્ણેય સારથિના ગયા પછી,પુષ્કરે,જુગાર રમતા પુણ્યશ્લોક નળરાજાનું રાજ્ય તથા તેની પાસે જે સંપત્તિ હતી,તે સર્વ હરી લીધું.પછી,પુષ્કરે હસતાં હસતાં કહ્યું કે-'હવે તારી પાસે એક દમયંતી બાકી છે,તને ઠીક લાગે તો તેને તું દાવમાં મૂક' ત્યારે નળનું હૃદય ક્રોધથી જાણે ફાટી ગયું,ને તેણે કોઈ ઉત્તર આપ્યા વિના,

પોતાના અંગો પરના સર્વ અલંકારો ઉતારીને માત્ર એક પહેરેલે ધોતિયે ત્યાંથી નીકળી ગયો.

તે વખતે દમયંતી પણ માત્ર એક વસ્ત્ર પહેરીને તેને અનુસરી રહી.

Nov 24, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-348

 

અધ્યાય-૬૦-દ્યુતથી રોકવાનો દમયંતીનો પ્રયાસ 


II बृहदश्च उवाच II दमयन्ती ततो दष्टवा पुण्यश्लोकं नराधिपम् I उन्मत्तवदनुन्मत्ता देवेन गतचेतसम II १ II

બૃહદશ્વ બોલ્યા-પછી,હે રાજન,પુણ્યશ્લોક નળ મહારાજને,જુગારમાં ગાંડાની જેમ ભાન ગુમાવેલો જોઈને,દમયંતી

ભય ને શોકથી ઘેરાઈ ગઈ ને રાજા પ્રત્યેના પોતાના અતિમહાન કાર્યનો વિચાર કરવા લાગી.ને તે નળ પાસે ગઈ.

રાજાએ તેના પ્રત્યે ધ્યાન ન આપ્યું એટલે દમયંતીએ બૃહત્સેના નામની દાસીને મંત્રીઓને બોલાવી લાવવા કહ્યું.

મંત્રીઓ આવ્યા ત્યારે પણ રાજાએ તેમના તરફ લક્ષ આપ્યું નહિ.ને જુગારમાં મશગુલ રહ્યો.