Jan 5, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-386

 

અધ્યાય-૯૨-યુધિષ્ઠિરની તીર્થયાત્રાની તૈયારી  


II लोमश उवाच II धनंजयेन चाप्युक्तं यत्तछ्रुणु युधिष्ठिर I युधिष्ठिरं भ्रातरं मे योजयेद्वर्म्यया श्रिया II १ II

લોમશ બોલ્યા-હે યુધિષ્ઠિર,ધનંજય અર્જુને પણ મને જે કહ્યું  હતું તે તમે સાંભળો.તેણે કહ્યું હતું કે'મારા ભાઈ યુધિષ્ઠિરને ધાર્મિક ઐશ્વર્યવાળા કરજો.ને તમે પાંડવોને તીર્થપુણ્ય પ્રાપ્ત કરાવજો.તેઓ તીર્થોમાં જાય ને ગોદાન કરે એવું સર્વ પ્રકારે કરજો.તમારાથી રક્ષાયેલા એ યુધિષ્ઠિરનું તમે વિકટ ને વિષમ સ્થાનોમાં રાક્ષસોથી રક્ષણ કરજો.

કેમ કે તમારાથી રક્ષાયેલા એ કુંતીપુત્ર આગળ દાનવો ને રાક્ષસો આવી શકશે નહિ'

Jan 4, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-385

અધ્યાય-૯૧-લોમશ અને યુધિષ્ઠિરનો સંવાદ 


II वैशंपायन उवाच II एवं संभासमाध्ये तु धौम्ये कौरवनन्दन I लोमशः स महातेजा ऋषिस्तव्राजगाम ह II १ II

વૈશંપાયન બોલ્યા-'હે કુરુનંદન,ધૌમ્ય મુનિ આ પ્રમાણે બોલતા હતા,ત્યારે મહાતેજસ્વી લોમશ ઋષિ ત્યાં આવી પહોંચ્યા.યુધિષ્ઠિરે,સર્વની સાથે મળીને ઉભા થઈને તેમનો સત્કાર કર્યો ને યથાવિધિ પૂજન કરીને આસન આપી,

તેમને ત્યાં આવવાનો હેતુ વિશે પૂછ્યું,ત્યારે લોમશ ઋષિએ પ્રસન્ન થઈને મધુર વાણીમાં કહ્યું કે-

'હે કૌંતેય,સર્વ લોકોમાં હું સ્વાભાવિકપણે વિચરી રહ્યો છું.હું ઇન્દ્રભવને ગયો હતો,ત્યારે મેં તમારા વીર ભાઈ

અર્જુનને ઇન્દ્રના અર્ધા આસન પર બેઠેલો જોઈને મને ભારે આશ્ચર્ય થયું હતું.તે વખતે મને ઇન્દ્રે કહ્યું કે -

'તમે પાંડવો તરફ જાઓ' એથી તેમના વચનથી હું આપ સર્વેને મળવા અહીં આવ્યો છું.(8)

Jan 3, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-384

 

અધ્યાય-૯૦-ઉત્તર દિશાનાં તીર્થો 


II धौम्य उवाच II उदीच्यां राजशार्दूल दिशि पुण्यानि यानि वै I तानि ते कीर्त्तयिष्यामि पुण्यान्यायतनानि च II १ II

ધૌમ્ય બોલ્યા-હે રાજસિંહ,હવે ઉત્તર દિશામાં જે પવિત્ર પુણ્યસ્થાનો આવ્યાં છે તે હું વર્ણવીશ,તે સાંભળો 

ઉત્તરમાં અનેક તીર્થો વડે સુશોભિત સરસ્વતી નદી છે,ને મહાવેગવાળી યમુના નદી છે.ત્યાં પ્લક્ષાવતરણ નામે 

શુભ ને પવિત્ર તીર્થ છે.ત્યાં યજ્ઞો કરીને બ્રાહ્મણો સરસ્વતી જળથી અવભૃત સ્નાન કરીને સ્વર્ગમાં જાય છે. 

ત્યાં અગ્નિશિર નામે દિવ્ય,પુણ્યકારી ને મંગલ સ્થાન છે કે જ્યાં સૃન્જય પુત્ર સહદેવે,અગ્નિઓ સ્થાપીને 

લાખોની દક્ષિણા આપી હતી.તે જ સ્થાને રાજા ભારતે એકસો અડતાલીસ અશ્વમેઘ યજ્ઞો કર્યા હતા.

બ્રાહ્મણોની કામના પુરી કરનાર પ્રસિદ્ધ શરભંગ મુનિનો આશ્રમ પણ ત્યાં જ આવ્યો છે (9)

Jan 2, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-383

અધ્યાય-૮૯-પશ્ચિમનાં તીર્થો 


II धौम्य उवाच II आनर्तेषु प्रतीच्यां वै कीर्त्तयिष्यामि ते दिशि I यानि तत्र पवित्रापि पुण्यान्यायतनानि च II १ II

ધૌમ્ય બોલ્યા-આનર્તદેશમાં પશ્ચિમ દિશામાં જે પુણ્યતીર્થો આવેલાં છે તે હવે તમને કહીશ.ત્યાં પશ્ચિમ તરફ 

વહેતી પવિત્ર નર્મદા નદી છે કે જેને તીરે પ્રિયંગુ,આંબા ને નેતરનાં વનો છે.હે ભારત,ત્રણે લોકમાં જે પુણ્યધામો,સરિતાઓ,વનો,પર્વતો,બ્રહ્માદિ દેવો,સિદ્ધિ,ઋષિઓ,ચારણો ને પુણ્યસમૂહો છે 

તે સર્વ આ નર્મદામાં સદૈવ જલસ્નાન કરવા આવે છે.ત્યાં વિશ્રવા મુનિનું પુણ્યસ્થાન છે.

Jan 1, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-382

 

અધ્યાય-૮૮-દક્ષિણનાં તીર્થો 


II धौम्य उवाच II दक्षिणास्यां तु पुण्यानि शृणु तीर्थानि भारत I विस्तरेण यथाबुध्धि कीर्त्यमानानि तानि वै II १ II

ધૌમ્ય બોલ્યા-હે ભારત,યથાબુધ્ધિએ વિસ્તારપૂર્વક હવે હું જે દક્ષિણ દિશાનાં પુણ્યતીર્થો વિશે કહું છું તે તમે સાંભળો.દક્ષિણમાં તપસ્વીઓએ સેવેલી પવિત્ર ગોદાવરી નદી વહે છે.તપસ્વીઓના આશ્રમોથી શોભી રહેલી વેણા ને ભીમરથી નદીઓ ત્યાં છે.ત્યાં રાજર્ષિ નૃગની,રમણીય તીર્થવાળી પયોષ્ણી નદી છે.અહીં મહાયોગી માર્કંડેયે નૃગરાજાના વંશની કથા ગાઈ હતી કે-'પયોષ્ણીના ઉત્તમ વારાહ તીર્થમાં નૃગરાજાએ યજ્ઞ કર્યો ત્યારે ઇન્દ્ર સોમપાનથી અને બ્રાહ્મણો દક્ષિણાઓથી મસ્ત થઈ ગયા હતા,એવું અમે પ્રત્યક્ષ સાંભળ્યું છે'

Dec 31, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-381

 

અધ્યાય-૮૭-ધૌમ્યે કરેલું પૂર્વના તીર્થોનું વર્ણન 


II वैशंपायन उवाच II ताम्सर्वानुत्सुकान द्रष्टा पांडवांदीनचेतमः I आश्वासयंस्तथा धौम्यो बृहस्पतिसमोSब्रवीत  II १ II

વૈશંપાયન બોલ્યા- દુઃખી મનવાળા તે સર્વ પાંડવોને ઉત્સુક જોઈને બૃહસ્પતિ સમા ધૌમ્યે તેમને આશ્વાસન આપતાં કહ્યું કે-'બ્રાહ્મણોની સંમતિ પામેલા પુણ્યઆશ્રમો,દિશાઓ,તીર્થો ને પર્વતો વિશે હું કહું છું સાંભળો.

તે સાંભળીને તમે સર્વ શોકમુક્ત થશો,ને પુણ્ય પામશો.પહેલાં હું પૂર્વદિશાનું મારી સ્મૃતિ મુજબ વર્ણન કરીશ.

હે ભારત,પૂર્વ દિશામાં દેવર્ષિસેવિત નૈમિષારણ્ય છે,રમણીય ગોમતી છે.

પૂર્વદિશામાં દેવોની યજ્ઞભૂમિ છે,ગય નામનો મહાપર્વત છે અને કલ્યાણકારી બ્રહ્મ સરોવર છે.(8)

Dec 30, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-380

 

અધ્યાય-૮૬-ધૌમ્યને યુધિષ્ઠિરનું નિવેદન 


II वैशंपायन उवाच II भ्रातृणां मतमाज्ञाय नारदस्य धीमतः I पितामहसमं धौम्ये प्राह राजः युधिष्ठरः II १ II

વૈશંપાયન બોલ્યા-ધીમાન નારદનો તથા ભાઈઓનો મત મેળવીને,રાજા યુધિષ્ઠિર,પિતામહ બ્રહ્માના જેવા ધૌમ્ય મુનિને કહેવા લાગ્યા કે-'એ સત્યપરાક્રમી,મહાબાહુ અર્જુનને મેં અસ્ત્રો મેળવવા માટે બહાર મોકલ્યો છે,કેમ કે તે સમર્થ છે ને અસ્ત્રવિદ્યામાં વાસુદેવ સમાન છે.વળી,હું જાણું છું કે અર્જુન ને વાસુદેવ એ બંને નર-ને નારાય  ઋષિઓ છે,

ને એથી અર્જુન સમર્થ છે-એમ માનીને મેં તેને આજ્ઞા કરી છે.પરાક્રમમાં ઈન્દ્રથી ન ઉતરે

તે ઇન્દ્રપુત્રને મેં ઇંદ્રનાં દર્શન કરવા ને ઇંદ્રનાં અસ્ત્રો મેળવવા દેશ બહાર મોકલ્યો છે.

Dec 29, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-379

 

ત્યાં વાસુકિના ભોગવતીતીર્થમાં સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞફળ મળે છે.વળી,ત્યાં હંસપ્રપતન ને દશાશ્વમેધીક તીર્થ છે. ગંગામાં ગમે ત્યાં સ્નાન કર્યું હોય તો કુરુક્ષેત્ર સમાન ફળ મળે છે,જો કે કનખલમાં વિશેષ ફળ ને પ્રયાગમાં તો અતિમહાન ફળ મળે છે.સેંકડો દુષ્કર્મો કર્યા છતાં જો ગંગાસ્નાન કરે તો તેના પાપો બળી જાય છે.

સતયુગમાં સર્વ તીર્થો,ત્રેતામાં પુષ્કરતીર્થ,દ્વાપરમાં કુરુક્ષેત્ર તીર્થ ને કળિયુગમાં ગંગાતીર્થ એ પવિત્ર કહેવાય છે.

Dec 28, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-378

 

ત્યાંથી,જે ગોદાવરી નદીએ જાય છે તે ગોમેઘ યજ્ઞફળ મેળવે છે ને વાસુકી લોકમાં જાય છે.વેણાના સંગમમાં સ્નાન

કરવાથી અશ્વમેઘ યજ્ઞફળ મળે છે.જે વરદાના સંગમમાં સ્નાન કરે છે તે સહસ્ત્ર ગોદાન ફળ પામે છે.

પછી જે બ્રહ્મસ્થાને જઈ ત્રણ રાત્રિના ઉપવાસ રાખે છે તે સહસ્ત્ર ગોદાન દળ પામે છે,ત્યાંથી,જે કુશપ્લવન જઈ ત્રણ રાત્રિનો વાસ ને સ્નાન કરે છે તે અશ્વમેઘ યજ્ઞફળ મેળવે છે.પછી જે,અરણ્યમાં કૃષ્ણા ને વેણાના જલમાંથી છૂટેલા

દેવહૃદ ને જાતિસ્મરહ્રુદમાં સ્નાન કરે છે તે પૂર્વજન્મનું સ્મરણ પામે છે.(38)

Dec 27, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-377

 

અધ્યાય-૮૫-તીર્થવર્ણન (ચાલુ)


II पुलस्त्य उवाच II अथ संध्यां समासाद्य संवेद्यं तीर्थमुत्तमं I उपस्पृश्य नरो विद्यां लभते नाव संशयःII १ II

પુલસ્ત્ય બોલ્યા-તે પછી,સંધ્યા સમયે ઉત્તમ સંવેદ્ય નામના તીર્થમાં જઈ જે સ્નાન કરે તે વિદ્યા પામે છે,એમાં સંશય નથી.પૂર્વે શ્રીરામચંદ્રના પ્રભાવ વડે લૌહિત્યતીર્થ નિર્માણ થયેલું છે તેમાં જવાથી,મનુષ્ય વિપુલ સુવર્ણ મેળવે છે.

ત્યાંથી કરતોયામાં જઈ જે ત્રણ રાત્રિના ઉપવાસ કરે તે અશ્વમેઘ યજ્ઞફળ મેળવે છે.ત્યાં ગંગાસાગરના સંગમમાં જે સ્નાન કરે તેને અશ્વમેઘનું દશગણું ફળ મળે છે.ને ગંગાની સામે પર જઈ ત્રણ રાત્રિનો વાસ કરે તે સર્વ પાપોમાંથી મુક્ત થાય છે.પછી,વૈતરણી નદીએ જઈ ત્યાંથી વિરજ તીર્થમાં જવાથી મનુષ્ય ચંદ્રની જેમ શોભી રહે છે,

પોતાના કુળને પાવન કરે છે,કુળને તારે છે,ને સહસ્ત્ર ગોદાન ફળ મેળવે છે.(7)

Dec 26, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-376

 

ત્યાંથી મહાદેવના ગૃધ્રવટ નામના સ્થાનમાં જઈ,ભસ્મથી સ્નાન કરી મહાદેવનાં દર્શન કરવાથી.બાર વર્ષના તપનું ફળ મળે છે.પછી,ઉદ્યન્ત નામના પર્વત પર સાવિત્રીની પાદુકાના દર્શન કરી સંધ્યોપાસના કર્યાથી બાર વર્ષ સુધી સંધ્યોપાસના કર્યાનું ફળ મળે છે.ત્યાં જ પ્રસિદ્ધ યોનિદ્વાર છે,ત્યાં જવાથી પરુષ યોનિસંકટમાંથી છૂટે છે.

જે ગયામાં એક માસ વાસ કરે છે તે પોતાની સાત પેઢીને પવિત્ર કરે છે (97)

Dec 24, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-375

 

ત્યાંથી રુદ્રાવર્ત જઈ ત્યાં સ્નાન કરવાથી સ્વર્ગલોક મળે છે.જે ગંગા અને સરસ્વતીના સંગમમાં સ્નાન કરે છે તે અશ્વમેઘ યજ્ઞફળ મેળવે છે ને સ્વર્ગલોકમાં જાય છે.જે ભદ્રકર્ણેશ્વર તીર્થમાં જઈ દેવની યથાવિધિ પૂજા કરે છે તે દુર્ગતિ પામતો નથી

ને સ્વર્ગલોકમાં પૂજ્ય થાય છે.ત્યાંથી કુબ્જામ્રક તીર્થમાં જવાથી સહસ્ત્ર ગોદાન ફળ મળે છે.

પછી,અરૂંધતીવટ તીર્થમાં જઈ સામુદ્રકતીર્થમાં સ્નાન કરે છે ને ત્રણ રાત્રિના ઉપવાસ કરે છે તે અનુક્રમે 

અશ્વમેઘ યજ્ઞફળ ને સહસ્ત્ર ગોદાન ફળ મેળવે છે ને પોતાના કુળનો ઉદ્ધાર કરે છે.(42)

Dec 23, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-374

 

અધ્યાય-૮૪-તીર્થવર્ણન (ચાલુ) 


II पुलस्त्य उवाच II ततो गच्छेन्महाराज धर्मतीर्थमनुत्तमम I यत्र धर्मो महाभागस्तप्तवानुत्तमं तपः II १ II

પુલસ્ત્ય બોલ્યા-હે મહારાજ,ત્યાંથી અનુપમ ધર્મતીર્થે જવું.ધર્મરાજાએ ત્યાં અતિ ઉત્તમ તપ કર્યું હતું.ને તે તીર્થને પવિત્ર કરીને પોતાના નામથી પ્રસિદ્ધ કર્યું હતું.ત્યાં સ્નાન કરનાર પોતાની સાત પેઢીઓને પવિત્ર કરે છે.

ત્યાંથી,જ્ઞાનપાવન તીર્થમાં જવાથી મનુષ્ય અગ્નિષ્ટોમ યજ્ઞફળ પામી મુનિલોકમાં જાય છે.

ત્યાંથી સૌગન્ધિક વનમાં પ્રવેશ કરવાથી જ મનુષ્ય સર્વ પાપોમાંથી મુક્ત થાય છે.

Dec 22, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-373

 

ત્યાંથી નૈમિષકુંજમાં જવું.ત્યાં સ્નાન કરવાથી અગ્નિષ્ટોમ યજ્ઞફળ અને પછી,કન્યાતીર્થમાં સ્નાન કરવાથી સહસ્ત્ર

ગોદાનફળ મળે છે.ત્યાંથી બ્રહ્માતીર્થ જવું ત્યાં સ્નાન કરવાથી બ્રાહ્મણપણું મળે છે.ને પરમ ગતિ મળે છે.

પછી,સોમતીર્થે જવું જ્યાં સ્નાન કરનારને સોમલોકની પ્રાપ્તિ થાય છે.ત્યાંથી સપ્તસારસ્વત તીર્થમાં જવું,

જ્યાં મંકણક મુનિ થયા હતા,મહાદેવની આજ્ઞાથી,અહીં સ્નાન કરવાથી સારસ્વત લોકની પ્રાપ્તિ થાય છે (134)

Dec 21, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-372

 

હે રાજેન્દ્ર,ત્યાંથી અરંતુક દ્વારપાળ નામના તીર્થમાં જવું,મહાત્મા યક્ષેન્દ્રનું સરસ્વતીના તીર પર આવેલા આ તીર્થમાં સ્નાન કરવાથી અગ્નિષ્ટોમ યજ્ઞફળ મળે છે.પછી,બ્રહ્માવર્ત તીર્થમાં જઈ સ્નાન કરવાથી મનુષ્ય બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે.ત્યાંથી સુતીર્થકમાં જવું ત્યાં પિતૃઓ,દેવો સાથે નિત્ય વાસ કરે છે.ત્યાં સ્નાન અને પિતૃઓ તથા  દેવોનું પૂજન અર્ચન કરનારને અશ્વમેઘ યજ્ઞફળ મળે છે ને તે પિતૃલોકમાં જાય છે.(55)