
અધ્યાય-૬-દુર્ગા સ્તવન
II वैशंपायन उवाच II विराटनगरं रम्यं गच्छमानो युधिष्ठिरः I अस्तुवन्मनसा देवीं दुर्गा त्रिभुवनेश्वरीं II १ II
વૈશંપાયન બોલ્યા-રમણીય વિરાટનગરીમાં પ્રવેશ કરતી વખતે,યુધિષ્ઠિરે યશોદાના ગર્ભમાં ઉત્પન્ન થયેલાં,નારાયણને અતિપ્રિય,નંદગોપના કુળમાં જન્મેલાં,મંગલ આપનારાં,કૂલનું વર્ધન કરનારાં,કંસને ભગાડનારાં,અસુરોનો ક્ષય લાવનારાં,શિલા પર પછાડતાં જ આકાશ તરફ ઉડી જનારાં,વાસુદેવનાં બહેન,દિવ્ય ફુલમાળાઓથી શોભિત,દિવ્ય અંબરને ધારણ કરનારાં અને ઢાલ-તલવારને ધારણ કરનારાં એ ત્રિભુવનેશ્વરી
દેવી દુર્ગાનું મનથી સ્તવન કર્યું.જે મનુષ્યો,પૃથ્વીનો ભાર ઉતારનારાં,પુણ્યરૂપા,અને સદૈવ કલ્યાણકારી
એ દેવીનું સ્મરણ કરે છે તેને તે,કાદવમાં ખૂંચેલી દુબળી ગાયની જેમ તે પાપમાંથી તારી લે છે (5)











