Aug 30, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-609

 

અધ્યાય-૪૧-ઉત્તરે અસ્ત્રો ઉતાર્યા 


II उत्तर उवाच II अस्मिन् वृक्षे किलोदबद्वं शरीरमिति नः श्रुतम् I तदहं राजपुत्रः सन् स्पृशेयं पाणिना कथम् II १ II

ઉત્તર બોલ્યો-'મેં સાંભળ્યું છે કે આ ઝાડ પર કોઈનું મડદું બાંધ્યું છે,તો હું રાજપુત્ર કેમ તેને હાથથી અડું?

હું ક્ષત્રિયવંશમાં જન્મ્યો છું,મંત્ર-તંત્ર ને યજ્ઞોનો જાણકાર છું,તો હું તેને અડકું તે યોગ્ય નથી,હું તેને સ્પર્શ કરું તો શબના

ખાંધિયાની જેમ અપવિત્ર થઈશ,તો એ સ્થિતિમાં તું મારી સાથે સ્પર્શાદિક વ્યવહાર કરી શકે નહિ.

Aug 29, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-608

 
અધ્યાય-૩૯-અર્જુનની પ્રશંસા 

II वैशंपायन उवाच II तं दष्ट्वा क्लीववेषेण रथस्थं नरपुंगवम I शमीमभिमुखं यांतं रथमारोप्य चोत्तरम्  II १ II

વૈશંપાયન બોલ્યા-આમ ઉત્તરને રથમાં બેસાડીને નપુંસક વેશમાં રહેલો તે ધનંજય પોતે રથમાં બેઠો અને શમીવૃક્ષ તરફ જવા લાગ્યો.

તેને જોઈને ભીષ્મ,દ્રોણ આદિ શ્રેષ્ઠ મહારથીઓ 'આ અર્જુન છે' એવી બીકથી મનમાં થરથર્યા.

આમ ઉત્સાહભંગ થયેલા તેમને જોઈને ને અદ્ભૂત ઉત્પાતોને નીરખીને ગુરુ ભારદ્વાજ બોલ્યા કે-

Aug 28, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-607

 

અધ્યાય-૩૮-કૌરવોની સેનાએ જોઈને ઉત્તર ગભરાયો 


II वैशंपायन उवाच II स राजधान्या निर्याय वैराटिरकुतोभय: I प्रयाहीत्यब्रवित्सुतं यत्र ते कुरवो गता II १ II

વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે નિર્ભય વિરાટપુત્ર ઉત્તર,રાજધાનીમાંથી બહાર નીકળ્યો ને સારથિને કહેવા લાગ્યો કે-'પેલા કુરુઓ જ્યાં ગયા હોય ત્યાં તું રથને હાંકીને લઇ જા.તે સર્વને હું હરાવીને,ગાયો પાછી મેળવીને જલદીથી આ નગરમાં પાછો આવીશ' ત્યારે અર્જુને ઉત્તમ અશ્વોને હાંક્યા ને રથ વેગથી દોડવા લાગ્યો.

Aug 27, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-606

 

અધ્યાય-૩૬-ઉત્તરની બડાઈ 


II उत्तर उवाच II अद्याहमनुगच्छेयम् द्रढधन्वा गवां पदम् I यदि मे सारथिः कस्चिद्भवेदश्वेषु कोविदः II १ II

ઉત્તર બોલ્યો-'અહો,મારી પાસે જો કોઈ અશ્વનિષ્ણાત સારથિ હોય,તો હું આ જ ઘડીએ ધનુષ્ય ધારણ કરીને

ગાયોની પાછળ જાઉં.પણ એવો કોઈ પુરુષ મારી નજરમાં આવતો નથી,માટે કોઈ સારથિને શીઘ્ર શોધી કાઢો,

પૂર્વે થયેલા યુદ્ધમાં મારો સારથિ તો મારાં પામ્યો છે,હવે જો અશ્વગતિને જાણનારો બીજો કોઈ સારથિ મળે તો હું પલકવારમાં નીકળી પડું ને તે કુરુઓને નિર્વીર્ય કરી નાખી,પશુઓને પાછાં વાળી લાવું.તે એકઠા થયેલા કુરુઓ મારુ પરાક્રમ જોશે તો તેઓ એમ માનશે કે શું સાક્ષાત અર્જુન જ આપણને પીલી રહ્યો છે કે શું?

Aug 26, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-605

 

અધ્યાય-૩૪-વિરાટની કૃતજ્ઞતા અને જયઘોષણા 


II वैशंपायन उवाच II एवमुक्ते तु सव्रिडः सुशर्मासीदधोमुखः I समुक्तोभ्येत्य राजानमभिवाद्य प्रतस्थिवान II १ II

વૈશંપાયન બોલ્યા-યુધિષ્ઠિરના આમ કહેવાથી સુશર્માએ શરમથી પોતાનું માથું નીચે કર્યું.ભીમસેને તેને છોડી દીધો

ત્યારે તે વિરાટરાજને અભિનંદન આપી ત્યાંથી ચાલ્યો ગયો.આમ,યુદ્ધ જીતીને તે પાંડવો તે રાત્રે તે સંગ્રામના

મધ્ય ભાગમાં સુઈ રહ્યા.વાંચી,વિરાટરાજે તે પાંડવોને માન અને ધનથી સન્માન આપતાં કહ્યું કે-આ જે મારાં

રત્નો છે તે તમારાં જ છે તો તમે તમને સુખ થાય તેમ કરો.હું તમને શણગાર સજેલી કન્યાઓ ને વિવિધ ધનો

આપું છું.ને વળી તમારી જે કોઈ બીજી ઈચ્છા હોય તે પૂરવાને હું તૈયાર છું.કેમ કે તમારા પરાક્રમથી જ

હું મુક્ત ને સ્વાધીન થયો છું.આથી તમે જ મત્સ્યદેશના સ્વામી થાઓ (6)

Aug 25, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-604

 

અધ્યાય-૩૩-ભીમસેને વિરાટરાજને છોડાવ્યો 


II वैशंपायन उवाच II तमसाभिप्लुते लोके रजसा चैव भारत I अतिष्ठन्वै मुहूर्त तु व्यूढानिकाः प्रहारिणः II १ II

વૈશંપાયન બોલ્યા-હે ભારત,આ પ્રમાણે જયારે આ લોક ધૂળ અને અંધકારમાં ડૂબી ગયો ત્યારે વ્યુહબદ્ધ યોદ્ધાઓ ઘડીભર વિરામ લઈને ઉભા.પછી,ચંદ્રમા ઉગ્યો એટલે તેના પ્રકાશમાં ફરીથી ભયંકર યુદ્ધ શરુ થયું.ને સુશર્માએ પોતાના નાના ભાઈઓને સાથે લઈને વિરાટરાજની સેના પર બધી બાજુએથી ધસારો કર્યો,ને સર્વ સેનાને બળપૂર્વક છિન્નભિન્ન કરીને તેને હરાવીને વિરાટરાજ પર એકદમ હલ્લો કર્યો.તેણે વિરાટરાજના રથના ઘોડાઓને 

મારી નાખ્યા અને તેની પાછળના અંગરક્ષકોને પણ મારી નાખ્યા ને આમ રથ વગરના ને સહાય વગરના તે મત્સ્યરાજને એણે જીવતો જ પકડી પડ્યો,ને તેને પોતાના રથમાં નાખીને ઉતાવળે ત્યાંથી ચાલી નીકળ્યો.(9)

Aug 24, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-603

 

અધ્યાય-૩૨-વિરાટરાજ અને સુશર્માનુ યુદ્ધ 


II वैशंपायन उवाच II निर्याय नगराच्छुरा व्यूढानिकाः प्रहारिणः I त्रिगर्तानस्पृशन्मत्स्या: सूर्ये परिणते सति II १ II

વૈશંપાયન બોલ્યા-આમ,મત્સ્યદેશના શૂર યોદ્ધાઓ નગરની બહાર નીકળ્યા અને સેનાને વ્યુહબદ્ધ કરીને તેમણે સૂર્ય અસ્ત પામે તે પહેલાં જ ત્રિગર્તોને પકડી પાડ્યા.ત્રિગર્તો અને મત્સ્યોને ક્રોધમાં આવીને યુદ્ધ કરવા માટે ભારે મદ ચડ્યો હતો,ને બંને ગાયો લઇ જવા તત્પર હતા.ત્યાં તેઓ એકબીજા સામે ગર્જના કરવા લાગ્યા,ને પછી,

પરસ્પર અસ્ત્રોના પ્રહાર કરીને ભયંકર યુદ્ધની શરૂઆત થઇ.રણસંગ્રામમાં આવેશમાં આવેલા તે યોદ્ધાઓ,

તલવારો,પ્રાસો,શક્તિઓ,બાણો આદિ જાતજાતનાં અસ્ત્રો વડે એકબીજાને હણવા લાગ્યા.

Aug 23, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-602

 

અધ્યાય-૩૧-વિરાટરાજનો રણઉદ્યોગ 


II वैशंपायन उवाच II ततस्तेषां महाराज तत्रैवामिततेजसाम् I छद्मलिंग[प्रविष्टानां पांडवानां महात्मानम् II १ II

વૈશંપાયન બોલ્યા-હે મહારાજ,અમાપ તેજવાળા અને કપટવેશમાં રહેલા તે મહાત્મા પાંડવોનો,અજ્ઞાતવાસનો સમય ત્યાં,વિરાટનગરમાં રહેતાં ને રાજાના કાર્યો કરતાં સારી રીતે વીતી ગયો.કીચક માર્યો ગયો પછી વિરાટરાજા યુધિષ્ઠિર પર સારી આશા રાખી રહ્યો હતો.ત્યાં તેરમા વર્ષની આખરે,સુશર્માએ આવીને વિરાટરાજના પુષ્કળ ગોધનને વેગપૂર્વક કબ્જે કરી લીધું.ત્યારે ગોપોનો અઘ્યક્ષ સભામાં દોડી આવ્યો ને વિરાટરાજને કહેવા લાગ્યો કે-

'સુશર્માએ અમારા બાંધવોને પરાભવ આપીને તે તમારી એકલાખ ગાયોને હાંકી જાય છે,તો તેનું રક્ષણ કરો'

Aug 22, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-601

 

અધ્યાય-૩૦-ત્રિગર્તરાજે વિરાટની ગાયોનું કરેલું હરણ 


II वैशंपायन उवाच II अथ राजा त्रिगर्तानां सुशर्मा रथयुथपः I प्राप्तकालमिदं वाक्यमुवाच त्वरितो बली II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,રથસમૂહનો પાલક ત્રિગર્તરાજ સુશર્મા ઉતાવળો આવીને સમયોચિત વચન કહેવા લાગ્યો કે-મત્સ્યરાજના સેનાપતિ કીચકે  મારા રાજ્યને અનેકવાર રંજાડ્યું છે,પણ હવે તે કીચકોને ગંધર્વોએ મારી નાખ્યો છે

એટલે વિરાટરાજનો આધાર તૂટી ગયો હશે એમ હું માનું છું.આથી તમને સર્વ કૌરવો ને કર્ણને રુચે તો આપણે

તેના રાજ્ય પર ચડાઈ કરી એનાં રત્નો,વિવિધ ધનને કબ્જે કરી ભાગ પાડી વહેંચી લઈએ.અથવા આપણે બળપૂર્વક

તેના નગરને સારી રીતે પીડીએ ને તેની જાતજાતની અત્યંત સુંદર એવી ગાયોનું હરણ કરીએ.

આપણે સેનાના વિભાગ કરીને,ચારે બાજુથી આક્રમણ કરી તેના સૈન્યને હણીને,તેમને આધીન કરવાથી 

તમારા બળમાં નિઃસંશય વૃદ્ધિ થશે.અને આપણે સુખેથી રહી શકીશું (13)

Aug 21, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-600

 

અધ્યાય-૨૮-ભીષ્મનું ભાષણ 


II वैशंपायन उवाच II ततः शांतनवो भीष्मो भरतानां पितामहः I श्रुतवान्देशकालज्ञस्तत्त्वज्ञ: सर्वधर्मवित II १ II

વૈશંપાયન બોલ્યા-દ્રોણાચાર્યનું ભાષણ પૂરું થયું ત્યારે શાસ્ત્રજ્ઞ,દેશકાળને જાણનારા,તત્વના જ્ઞાતા,સર્વ ધર્મોના જ્ઞાનવાળા,ભરતવંશીઓના પિતામહ અને શાંતનુના પુત્ર ભીષ્મ,કૌરવોના હિત માટે બોલવા લાગ્યા કે-

સર્વ વિષયના તત્વોને જાણનારા દ્રોણે,પાંડવોના સંબંધમાં જે કહ્યું તે સત્ય જ છે.તે પાંડવો ધર્મથી અને અત્યંત

પરાક્રમથી સુરક્ષિત છે તેથી તેઓ નાશ નહિ જ પામે,એવું મારુ પણ માનવું છે.હું મારી બુદ્ધિ અનુસાર જે કહું છું 

તે સાંભળો,ને હું તમારો દ્રોહ કરું છું એવું તમે રખે સમજતા.મારા જેવાએ આ નીતિ દુર્જનોને કહેવી 

જોઈએ નહિ,તેમ છતાં મારે અનીતિ પણ કહેવી જોઈએ નહિ.

Aug 20, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-599

 

અધ્યાય-૨૬-કર્ણ અને દુઃશાસનના વાક્યો 


II वैशंपायन उवाच II ततो दुर्योधनो राज ज्ञात्वा तेषां वचस्तदा I चिरमंतर्मना भूत्वा प्रत्युवाच सभासदः II १ II

ત્યારે દૂતોનાં આ વચન સાંભળીને દુર્યોધનરાજ ઘણા સમય સુધી મનમાં વિચાર કરીને સભાસદોને કહેવા લાગ્યો કે-

'તમે સર્વ સારી રીતે વિચાર કરો કે તે પાંડવો ક્યાં ગયા હશે? અજ્ઞાતવાસનો હવે થોડો જ સમય બાકી રહ્યો છે,

જો આ સમય વીતી જશે તો તે તીવ્ર વિષવાળા સર્પો જેવા પાંડવો પોતાની પ્રતિજ્ઞા પુરી થવાથી અહીં પાછા આવશે

અને અહીં આવી કૌરવો પર કોપશે ને દુઃખ આપશે.આથી તેઓને જલ્દી શોધી કાઢો,એટલે તેઓ ફરીથી વનવાસ

જાય ને આપણું રાજ્ય નિષ્કંટક થાય.તેઓ ન ઓળખી શકાય તેવા વેશ ધરીને રહ્યા હોવા જોઈએ.(7)

Aug 19, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-598

 

ગોહરણ પર્વ 

અધ્યાય-૨૫-ગુપ્ત દૂતો દુર્યોધન પાસે પાછા આવ્યા 


II वैशंपायन उवाच II कीचकस्य तु घातेन सानुजस्य विशांपते I अत्याहितं चिंतयित्वा व्यस्ययंत पृथक्जना: II १ II

વૈશંપાયન બોલ્યા-હે રાજન,કીચક અને તેના ભાઈઓનો એકસાથે નાશ થયો,તેને ભયંકર કામ જાણીને સાધારણ

માણસો પણ આશ્ચર્યમાં પડી ગયા.તે નગરમાં અને આખા દેશમાં વાતો ચાલવા લાગી કે-'તે મહાબળવાન કીચક

તેના શૌર્યને કારણે રાજાને વહાલો હતો,પણ તેની બુદ્ધિ દુષ્ટ હતી અને પરસ્ત્રીની લાજ લૂંટતો હતો

તેથી જ તે પાપી મનના દુષ્ટ પુરુષને ગંધર્વોએ મારી નાખ્યો છે' (4)

Aug 18, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-597

 

અધ્યાય-૨૪-દ્રૌપદી નગરમાં આવી 


II वैशंपायन उवाच II ते द्रष्ट्वा निहतान्सुतान राज्ञे गत्वा न्यवेदयन I गन्धर्वैर्निहता राजन सूतपुत्रा महाबलाः II १ II

વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે સુતપુત્રોને માર્યા ગયેલા જોઈને,તે લોકોએ રાજાને ખબર આપી કે-હે રાજન ગાંધર્વોએ મહાબલાવન સૂતપુત્રોને મારી નાખ્યા છે,ને તે પૃથ્વી પર આડાઅવળા પડયા છે,સૈરંધ્રી તેમનાથી છૂટી થઈને રાજભવને પછી આવી રહી છે,તમારું સમસ્ત નગર ભયમાં આવી પડશે તેથી તમે તત્કાલ એવો ઉપાય કરો કે તે સૈરંધ્રીના રોષથી આ નગરનો વિનાશ થાય નહિ' તેમનાં વચન સાંભળી વિરાટરાજ બોલ્યો કે -'પહેલાં તો તે સૂતપુત્રોની અંત્યેષ્ટિક્રિયા કરો' પછી ભયભીત થયેલા તે રાજાએ સુદેષ્ણા પાસે જઈને કહ્યું કે-

'તે સૈરંધ્રી ઘેર આવે ત્યારે મારા કહેવાથી તેને કહેજે કે-તારું કલ્યાણ થાઓ.હવે તારી ઇચ્છામાં આવે 

ત્યાં તું ચાલી જા,કેમ કે ગંધર્વો તારી રક્ષા કરે છે ને રાજાને તેમનાથી પરાભવ થવાનો ડર છે' (10)

Aug 17, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-596

 

અધ્યાય-૨૩-કીચકના ભાઈઓનો વધ 


II वैशंपायन उवाच II तस्मिन्काले समागम्य सर्वे तव्रास्य बान्धवाः I रुरुदुः कीचकं द्रष्ट्वा परिवार्य समंततः II १ II

વૈશંપાયન બોલ્યા-તે સમયૅ કીચકના ભાઈઓ ત્યાં ભેગા થઇ ગયા,કીચકને મરેલો જોઈને તેની આસપાસ

વીંટળાઈને મોટેથી પોક મૂકીને રડવા લાગ્યા.ઓળખાઈ પણ ન શકે તેવી કીચકની હાલત જોઈને,તેના અગ્નિસંસ્કાર

કરવા લઇ જવાની તૈયારી કરવા લાગ્યા.તે જ સમયે તેઓએ દ્રૌપદીને ત્યાં નજીકમાં જોઈ એટલે તે સર્વે

એક સાથે બોલી ઉઠયા કે-આને.લીધે જ કીચકને મોત આવ્યું છે તેથી તેને પણ કીચક સાથે બાળી મુકો'

Aug 16, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-595

અધ્યાય-૨૨-કીચક વધ 


II भीमसेन उवाच II तथा भद्रे करिष्यामि यथा त्वं भीरु भाषसे I अद्य तं सुदयिष्यामि कीचकं सह बान्धवं II १ II

ભીમસેન બોલ્યો-હે ભદ્રા,તું કહે છે તેમ જ હું કરીશ.આજેજ હું તે કીચકને ને તેના ભાઈઓ સાથે પૂરો કરી દઈશ.

તું શોક અને દુઃખને ખંખેરી નાખી એ કીચકને મળીને એવી રીતે વાત કરજે કે તે કાલની રાતની સંઘ્યાવેળાએ

અવશ્ય આ નૃત્યશાળામાં આવે.બીજા કોઈ તને તેની સાથે વાત કરતી ન જુએ તેનો ખ્યાલ રાખજે'

આમ વાતચીત કરીને તે બંનેએ તે રાત્રિ  મહાભારની જેમ જેમતેમ વિતાવી (6)