Sep 15, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-624

અધ્યાય-૫૮-દ્રોણાચાર્ય અને અર્જુન વચ્ચે સંગ્રામ 


II वैशंपायन उवाच II क्रुपेपनिते द्रोणस्तु प्रगृह्य सशरं धनुः I अभ्यद्रवदनाधृष्पः शोणाश्वः श्वेतवाहनम् II १ II 

વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે કૃપાચાર્ય રણભૂમિમાંથી પાછા હટ્યા,એટલે લાલ અશ્વના રથવાળા અને અપરાજિત એવા દ્રોણાચાર્ય ધનુષ્યબાણ લઈને શ્વેતવાહન અર્જુનની સામે ધસી આવ્યા.સુવર્ણરથમાં બેસેલા ગુરુને પોતાની સમીપ આવી રહેલા જોઈને અર્જુને ઉત્તરને કહ્યું કે-'સામે આવી રહેલા મારા ગુરુ દ્રોણાચાર્ય સામે તું રથ લે,આ સંગ્રામમાં હું તેમની સામે યુદ્ધ કરવા ઈચ્છું છું' અર્જુનના કહેવાથી ઉત્તરે રથને વેગપૂર્વક રથને દ્રોણાચાર્ય તરફ હાંક્યો.ત્યારે શંખના ઘોષો થયા અને સેંકડો ભેરીઓના નાદ ઉઠ્યા.એટલે ત્યાં આખું સૈન્ય ઉછળી રહેલા સાગરની જેમ ખળભળી ઉઠ્યું.લોકો વિસ્મયમાં પડ્યા.

Sep 14, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-623

 

અધ્યાય-૫૬-યુદ્ધ જોવા માટે દેવો-આદિનું આગમન 


II वैशंपायन उवाच II तान्यानिकान्यद्रष्यंत कृरुणामग्रधन्विनाम I संसर्पत्ते यथा मेघा धर्मान्ते मंदमारुताः II १ II

 વૈશંપાયન બોલ્યા-ત્યાં ઉગ્ર ધનુષ્યને ધારણ કરનારી કુરુઓની સેનાઓ,ગ્રીષ્મકાલે પવનથી ચાલતા મેઘોની જેમ હળવે હળવે આગળ વધતી જણાઈ.કૃપાચાર્યની સાથેના યોદ્ધાઓ,તેમના હાથીઓ,ઘોડાઓ ને રથોથી સજ્જ સેના સાથે થનારા સંગ્રામને જોવા વિશ્વદેવા,અશ્વિનીકુમારો,મરુતગણો આદિ સાથે ઇંદ્ર ત્યાં તેના સુંદર વિમાનમાં બેસીને આવ્યો.દેવો,યક્ષો,ગંધર્વો

અને મહાસર્પોથી ભરાઈ ગયેલું આકાશ તે વખતે ગ્રહમંડળની જેમ શોભી રહ્યું.

Sep 13, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-622

 

અધ્યાય-૫૫-અર્જુનનો સપાટો 

II वैशंपायन उवाच II अपयाते तु राधेये दुर्योधनपुरोगमाः I अनीकेन यथा स्वेन शनैरार्च्छत् पाण्डवं II १ II

વૈશંપાયન બોલ્યા-તે રાધેય કર્ણ પલાયન થયો ત્યારે દુર્યોધન આદિ કૌરવો પોતપોતાની સેનાની સાથે ધીરે ધીરે અર્જુનની સામે આવવા લાગ્યા.વ્યુહબદ્ધ થઈને તેઓએ અર્જુન પર બાણોની વૃષ્ટિ કરવા માંડી.ત્યારે અર્જુને તેમના વેગને રોકીને,દિવ્ય અસ્ત્રોનો પ્રયોગ કરતો તે સામે ધસ્યો.ને ગાંડીવથી અસંખ્ય બાણો છોડીને તેણે દશે દિશાઓને ઢાંકી દીધી.તે વખતે રથો,અશ્વો,હાથીઓ અને કવચોની બે આંગળ જેટલી જગ્યા પણ અર્જુનનાં તીક્ષણ બાણોથી વીંધાયા વગરની રહી નહોતી.અર્જુનનું આ શીઘ્ર અને શ્રેષ્ઠ પરાક્રમ જોઈને શત્રુઓ પણ તેની સ્તુતિ કરવા લાગ્યા. 

Sep 12, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-621

 
અધ્યાય-૫૪-કર્ણ પલાયન થયો 

II वैशंपायन उवाच II 
स शत्रुसेनां तरसा प्रनुध्य गास्ता विजित्याथ धनुरधराभ्यः I दुर्योधनायाभिमुखं प्रयातो भूयो रणं सोभिचिकीर्पमाणः II १ II
વૈશંપાયન બોલ્યા-આમ શ્રેષ્ઠ ધનુર્ધર અર્જુને,શત્રુસેનાને શીઘ્ર અસ્તવ્યસ્ત કરી નાખી અને ગાયોને જીતી લીધી,પછી ફરી યુદ્ધ કરવાની ઈચ્છાથી તેણે દુર્યોધન તરફ પ્રયાણ કર્યું.ત્યારે સામે ગાયોને પાછી જતી જતી જોઈ,કુરુ યોદ્ધાઓ અર્જુન સામે ધસ્યા.
તે વખતે સામે ધસી આવેલા તે યોદ્ધાઓને જોઈને અર્જુને,ઉત્તરને રથને કર્ણ તરફ લઇ જવાનું કહ્યું અને તે રથીઓની સેનાને વીંધી દઈને રણભૂમિની મધ્યમાં કર્ણની સામે આવીને ઉભો.ત્યારે કર્ણને બચાવવા ચિત્રસેન આદિયોદ્ધાઓ તેની સામે દોડી આવ્યા તો અર્જુને ક્રોધે ભરાઈને તેમના રથોને બાળી મૂકીને નિઃસહાય કરી દીધા.

Sep 11, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-620

 

અધ્યાય-૫૩-અર્જુને ગાયોને પાછી વાળી 


II वैशंपायन उवाच II तथा व्युढेष्वनिकेषु कौरवेयेषु भारत I उपायादर्जुनस्तुर्ण रथघोषेण नादयन् II १ II

વૈશંપાયન બોલ્યા-હે ભારત,આમ,કૌરવોએ વ્યુહબંધી કરી ત્યારે અર્જુન રથના ઘોષથી દિશાઓ ગજવતો ત્યાં આવી પહોંચ્યો.

ત્યારે કૌરવોએ અર્જુનની ધજા જોઈ,ને ગાંડીવના લાગલગાટ થતા ટંકારોથી તેમના કાન ભરાઈ ગયા.આ જોઈને અને અર્જુનને આવી પહોંચેલો જાણીને દ્રોણાચાર્ય બોલ્યા-'આ પૃથાનંદનના ધ્વજની ટોચ દૂરથી ઝગઝગી રહી છે,એના રથનો ઘોષ ગાજી રહ્યો છે ને એની ધજા ઉપર રહેલા વાનરની ગર્જના સંભળાઈ રહી છે.જુઓ એના ગાંડીવના બે બાણો મારા પગ આગળ આવીને પડ્યા,એ અર્જુન આમ કરીને મને પ્રણામ કરે છે.રથમાં બેઠેલો તે અગ્નિના જેવો શૉભી રહ્યો છે.(9)

Sep 10, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-619

 

અધ્યાય-૫૨-વનવાસનાં વર્ષોનો નિર્ણય ને વ્યૂહરચના 


II भीष्म उवाच II कलाः काष्ठाश्च युज्यंते मुहुर्ताश्व दिनानि च I अर्धमासाश्व नक्षत्राणि ग्रहास्तथा II १ II

ભીષ્મ બોલ્યા-કલા,કાષ્ઠા,મુહૂર્ત,દિવસ,પક્ષ,નક્ષત્ર,ગ્રહ,ઋતુ અને સંવત્સર એ સૌના યોગથી કાળગણના થાય છે ને એ રીતે 

કાળવિભાગ પ્રમાણે કાળચક્ર ચાલ્યા કરે છે.તેમાં કાળના અતિરેકથી અને નક્ષત્રોના વ્યતિક્રમને લીધે જે ભેદ પડે છે તે દૂર કરવાને માટે પ્રત્યેક પાંચ પાંચ વર્ષે,બબ્બે માસ ઉમેરવામાં આવે છે,એ રીતે જોતાં,પાંડવોને તેર વર્ષ ઉપર પાંચ મહિના અને બાર રાતો વધારે થાય છે,એમ મારુ માનવું છે.તેમને જે પ્રતિજ્ઞા કરી હતી તે તેમણે યથાર્થ પાળી છે.અને ખાતરીપૂર્વક જાણ્યા પછી જ અર્જુન અહીં યુદ્ધ કરવા સામે આવ્યો છે.તે સર્વ પાંડવો ધર્મ ને અર્થમાં નિષ્ણાત છે,તેઓ નિર્લોભી છે ને તેમણે દુષ્કર કાર્યો કર્યા છે,તેથી તેઓ કેવળ ઉલટા ઉપાયથી રાજ્ય મેળવવાની ઈચ્છા કરે તેમ નથી.

Sep 9, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-618

 
અધ્યાય-૫૧-ભીષ્મે સાંત્વન કર્યું 

II भीष्म उवाच II साधु पश्यति वै द्रौणिः कृपः साध्वनुपश्यति I कर्णस्तु क्षात्रधमण केवलं योद्धवुमिच्छति II १ II
ભીષ્મ બોલ્યા-આ દ્રોણપુત્ર અને કૃપાચાર્ય યોગ્ય જ કહે છે.એક આ કર્ણ જ કેવળ ક્ષાત્રધર્મથી યુદ્ધ કરવાની ઈચ્છા રાખે છે.
પણ,વિદ્વાન પુરુષે આચાર્યને દોષ દેવો યોગ્ય નથી,દેશકાળને જોઈને જ યુદ્ધ કરવું જોઈએ એમ હું પણ માનું છું.
જેના સૂર્ય જેવા તેજસ્વી ને પ્રહાર કરનારા પાંચ શત્રુઓ (પાંડવો) છે એ શત્રુઓનો ઉદય થાય ત્યારે પંડિત મનુષ્ય પણ કેમ મૂંઝવણમાં ન પડે? સર્વ ધર્મવેત્તા મનુષ્યો પણ સ્વાર્થની વાતમાં મૂંઝાઈ પડે છે.કર્ણે,આચાર્યની નિંદા કરનારાં જે વચન કહ્યાં તે તો આચાર્યમાં તેજ પ્રગટાવવા માટે છે માટે અશ્વસ્થામા તેને ક્ષમા કરે,કેમ કે અત્યારે આપણી સમક્ષ મોટું કામ આવી ઉભું છે.

Sep 8, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-617

 

અધ્યાય-૫૦-અશ્વસ્થામાનું ભાષણ 


II अश्वस्थामा उवाच II न च ताव्ज्विता गावो न च सिमांतरं गताः I न हस्तिनापुरं प्राप्तास्तवं च कर्ण विकत्थसे II १ II

અશ્વસ્થામા બોલ્યો-હે કર્ણ,હજુ તો આ ગાયો હસ્તિનાપુરમાં પહોંચી નથી ને તું શેની બડાશો મારે છે? શૂરાઓ તો સંગ્રામો જીતીને

પોતાના પરાક્રમની કશી લાંબીચોડી વાતો કરતા નથી.અગ્નિ બોલ્યા વિના જ બળે છે,સૂર્ય મૌન રહીને જ ઝળહળે છે.

જુગટાથી ને છેતરપિંડીથી,ક્રૂર અને નિર્લજ્જ દુર્યોધને રાજ્ય મેળવ્યું છે,ને આવા રાજ્યથી કયો ક્ષત્રિય સંતોષ લઇ શકે?

કે કોણ તેની બડાઈ હાંકી શકે? આજે મેળવેલું ગૌધન શું તેં કોઈ સામે યુદ્ધ કરીને મેળવ્યું છે? કયા યુદ્ધમાં તેં પાંડવોના એકને

પણ જીત્યો છે? કયા યુદ્ધમાં ઇન્દ્રપ્રસ્થ પર વિજય મેળવ્યો છે? કયા યુદ્ધમાં દ્રૌપદીને જીતી હતી? 

Sep 7, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-616

 

અધ્યાય-૪૯-કૃપાચાર્યનું ભાષણ 


II कृप उवाच II सदैव तव राधेय युद्धे क्रुरतरा मतिः I नार्थानां प्रकृतिं वेत्सि नानुवन्धमवेक्षसे II १ II

કૃપ બોલ્યા-હે રાધેય,યુદ્ધના વિષયમાં તારી મતિ સદૈવ ક્રૂર હોય છે પણ તું કાર્યનું સ્વરૂપ જાણતો નથી અને તેના પરિણામને પણ લક્ષમાં લેતો નથી.શાસ્ત્રનો આધાર લઈને અનેક કપટયુક્તિઓ વિચારાઈ છે પણ તેમાં યુદ્ધ એ સૌથી પાપિષ્ટ છે એમ શાસ્ત્રવેત્તાઓ કહે છે.દેશ અને કાળને અનુસરીને કરવામાં આવેલું યુદ્ધ જ વિજયદાયી ને કલ્યાણકારી છે.ઊંડો વિચાર કરવામાં આવે તો જણાશે કે જેણે એકલાએ જ ખાંડવ વનમાં અગ્નિને તૃપ્ત કર્યો હતો,તે એકલો જ જો અહીં આપણી સામે ચડી આવ્યો હશે તો તેની સામે યુદ્ધ કરવામાં આપણે સમર્થ નથી.એણે એકલાએ જ સુભદ્રાનું હરણ કરી,કૃષ્ણ ને બલરામને યુદ્ધનું આહવાન આપ્યું હતું,એણે એકલાએ જ કિરાતરૂપમાં રહેલા શિવ સાથે યુદ્ધ કર્યું હતું,

Sep 6, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-615

 
અધ્યાય-૪૮-કર્ણની બડાઈ 

II कर्ण उवाच II सर्वानायुष्मतो भीतान संत्रस्तानिव लक्षये I अयुद्वमनसश्चैव सर्वाश्वैवानवस्थितान् II १ II
કર્ણ બોલ્યો-મને તો તમે સર્વ વૃદ્ધો,ભયભીત થયેલા અને સર્વશઃ અસ્થિરચિત્ત બની ગયેલા લાગો છો.અહીં સામે મત્સ્યરાજ કે અર્જુન ગમે તે આવ્યો હોય,પણ હું તેમને,જેમ કિનારા સમુદ્રને અટકાવી રાખે છે તેમ તેમને અટકાવી રાખીશ.મારા હાથનાં બાણો,જેમ તીડો,વૃક્ષને ઢાંકી દે છે,તેમ તે પૃથાપુત્રને ઢાંકી દેશે.મારા સુવર્ણ બાણોથી આકાશ આગિયાથી છવાઈ ગયેલા જેવું જણાશે.પૂર્વે વચનથી સ્વીકારેલું દુર્યોધનનું ઋણ,આજે હું આ સંગ્રામમાં અર્જુનને હણીને વાળી દઈશ.જેમ,ગરુડ,સાપને પકડી લે છે તેમ આજે હું તે અર્જુનને મારા બાણોથી વિવશ કરીને રથમાંથી જ પકડી લઈશ.

Sep 5, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-614

 

અધ્યાય-૪૭-કર્ણ અને દુર્યોધનનાં વચન 


II वैशंपायन उवाच II अथ दुर्योधनो राजा समरे भीष्मब्रवीत I द्रोणं च रथशार्दुलं कृपं च सुमहारथम् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,દુર્યોધને રણભૂમિમાં ભીષ્મને,રથશાર્દુલ દ્રોણને અને ઉત્તમ મહારથી કૃપાચાર્યને કહ્યું કે-

'મેં આ એક વાત વારંવાર કહી છે કે એવો ઠરાવ હતો કે પાંડવોએ તેરમે વર્ષે અજ્ઞાતવાસમાં રહેવું,હવે એ અજ્ઞાતવાસનું તેરમું વર્ષ

પૂરું થયું નથી અને અર્જુન આપણી સામે આવ્યો છે,એટલે પાંડવોએ ફરીથી બાર વર્ષ વનમાં રહેવાનું થશે.તેઓ સમયની

ગણતરીમાં ચૂક ખાઈ ગયા હોય કે અમારી કોઈ ગફલત થતી હોય તો સમયના સંબંધમાં નિર્ણય કરવા ભીષ્મ યોગ્ય છે.

આપણે તો મત્સ્યદેશની ઉત્તર તરફની ગાયો મેળવવાને યુદ્ધ કરી રહ્યા છીએ,ત્યારે અર્જુન જ સામેથી આવ્યો હોય 

તો તેમાં આપણે કોનો અપરાધ કર્યો ગણાય? (5)

Sep 4, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-613

 
અધ્યાય-૪૬-અર્જુનનો શંખનાદ તથા ઉત્પાતો 

II वैशंपायन उवाच II उत्तरं सारथिं कृत्वा शमीं कृत्वा प्रदिक्षणम् I आयुधं सर्वमादाय प्रपयो पांडवर्षभ: II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,પાંડવવર અર્જુને ઉત્તરને સારથિ કર્યો,શમીવૃક્ષની પ્રદિક્ષણા કરી અને સર્વ આયુધો લઈ 
ત્યાંથી પ્રયાણ કર્યું.જતી વખતે તેણે તે રથમાંથી સિંહધ્વજ ઉતારીને તેને શમીવૃક્ષના મૂળ આગળ મુક્યો અને 
વિશ્વકર્માએ નિર્મેલી,દૈવી માયાવાળી અને શત્રુઓનો સંહાર કરે એવા વાનરના ચિહ્નવાળી સોનેરી ધ્વજાનું અને 
અગ્નિદેવના પ્રસાદથી મળેલા રથનું મનમાં ચિંતન કર્યું કે તરત જ તે રથ આકાશમાંથી નીચે ઉતરી આવ્યો.
અગ્નિદેવે પોતાની સર્વ ભૂતમંડળીને રથના ધ્વજ પર રહેવાનો આદેશ આપ્યો.

Sep 2, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-612

 

અધ્યાય-૪૫-ઉત્તર અને અર્જુનનો સંવાદ 


II उत्तर उवाच II आस्थाय रुचिरं वीर रथं सारथिना मया I कतमं यास्यसेनीकमुक्तो यास्याम्यहं त्वया II १ II

ઉત્તર બોલ્યો-હે વીર,તમે આ સોહામણા રથમાં બેસીને કઈ બાજુ જવા ઈચ્છો છે તે મને સારથિને કહો,

તમારી આજ્ઞા થતાં જ,હું તમને આ રથમાં એ પ્રમાણે લઇ જઈશ 

અર્જુન બોલ્યો-હે ઉત્તર,હું પ્રસન્ન થયો છું,હવે તને ભય નથી,હું તારા સર્વ શત્રુઓને રણમાંથી નસાડી મુકીશ,હવે તું મારુ

મહાભયંકર કર્મ જો,તું આ સર્વ ભાથાઓને રથ સાથે બાંધી દે ને માત્ર સોનાથી મઢેલી મારી તલવાર લઇ લે.

Sep 1, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-611

 

અધ્યાય-૪૪-અર્જુનનો પરિચય 


II उत्तर उवाच II सुवर्णविकृतानिमान्यायुधानि महात्मनः I रुचिराणि प्रकाशंते पार्थानामाशुकरिणां II १ II

ઉત્તર બોલ્યો-શીઘ્ર કામ કરનારા આ મહાત્મા પૃથાનંદનોના સુવર્ણચિત્રિત અને સોહામણાં આયુધો અહીં છે તો તે 

અર્જુન,યુધિષ્ઠિર,ભીમ,નકુલ અને સહદેવ ક્યાં છે?દ્રૌપદી પણ તેમની પાછળ વનમાં ગઈ હતી,તો તે ક્યાં છે?

અર્જુન બોલ્યો-'હું અર્જુન છું,તારા પિતાના સભાસદ યુધિષ્ઠિર છે,બલ્લવ ભીમસેન છે,અશ્વશિક્ષક નકુલ છે અને

ગોરક્ષક સહદેવ છે.ને જેને કારણે કીચકો માર્યા ગયા તે સૈરંધ્રીને તું દ્રૌપદી જાણ (6)

Aug 31, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-610

 

અધ્યાય-૪૩-અર્જુનનો ઉત્તર 


II बृहन्नला उवाच II यन्मां पुर्वमिहाप्रुच्छ: शत्रुसेनापहारिणीम I गाण्डिवमेतत्पार्थस्य लोकेषु विदितं धनुः II १ II

બ્રહન્નલા બોલ્યો-તેં મને પ્રથમ આ જે ધનુષ્ય વિશે પૂઢહ્યું તે શત્રુસેનાને સંહારનારું અને ત્રણે લોકમાં પ્રસિદ્ધ એવું અર્જુનનું ગાંડીવ ધનુષ્ય છે,આ ધનુષ્ય આગળ સર્વ ધનુષ્યો પાણી ભરે છે,અર્જુનનું આ પરમ આયુધ લાખ ધનુષ્યોની બરાબરી કરનારું છે,કે જેનાથી અર્જુન દેવો ને મનુષ્યો પર વિજય મેળવે છે.પૂર્વે આ ગાંડીવને બ્રહ્માએ એક હજાર વર્ષ સુધી ધારણ કર્યું હતું,પછી પ્રજાપતિએ પાંચસો ને ત્રણ વર્ષ,ઇન્દ્રે પંચ્યાશી વર્ષ,સોમરાજાએ પાંચસો વર્ષ,વરુણે સો વર્ષ સુધી ધારણ કર્યું હતું ને પછી અર્જુને વરુણ પાસેથી તે મેળવી,પાંસઠ વર્ષથી તેને ધારણ કર્યું છે.