Oct 7, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-639

અધ્યાય-૨-બળરામનું ભાષણ 


II बलदेव उवाच II श्रुतं भवद्विर्गदपूर्वजस्य वाक्यं यथा धर्मवदर्थवश्व I 

अजातशस्त्रोस्च हितं हितं च दुर्योधनस्यायि तथैव राज्ञः II १ II

બળદેવ બોલ્યા-તમે શ્રીકૃષ્ણનું ધર્મયુક્ત તથા અર્થયુક્ત ભાષણ સાંભળ્યું ને?એમાં યુધિષ્ઠિર અને દુર્યોધન એ બંનેનું હિત છે.વીર કુંતીપુત્રો અર્ધરાજ્ય દુર્યોધન માટે ત્યજી દઈને,પોતાના માટે અર્ધરાજ્ય મેળવવા જ યત્ન કરે છે,તેથી દુર્યોધન તે અર્ધરાજ્ય પાંડવોને આપીને સુખી થશે,જો કૌરવો સારી રીતે વર્તશે તો પાંડવો પણ જરૂર શાંત થઈને સુખ ભોગવશે.કે જેથી કૌરવોને પણ શાંતિ થશે ને પ્રજાનું પણ હિત થશે.આ માટે દુર્યોધનનો અભિપ્રાય જાણવા અને યુધિષ્ઠિરનો સંદેશો કહેવા જો કોઈ દૂત જાય તો જ પ્રિય થશે.જે દૂત ત્યાં જાય

Oct 6, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-638-Book-Part-3

 

મહાભારત-મૂળરૂપે-ભાગ-૩

(૫) ઉદ્યોગ પર્વ 

સેનોદ્યોગ પર્વ 

અધ્યાય-૧-વિરાટની સભામાં શ્રીકૃષ્ણનું ભાષણ 

મંગલાચરણ 

नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् I देवी सरस्वती चैव ततो जयमुदीरयेत् II 

ૐ નારાયણ,નરોત્તમ એવા નર ભગવાન અને દેવી સરસ્વતીને પ્રણામ કરીને 

'જય'(મહાભારત)નું કીર્તન શરુ કરીશું.

વૈશંપાયન બોલ્યા-અભિમન્યુના પક્ષના પાંડવો તથા યાદવો વગેરે અભિમન્યુનો વિવાહ કરીને આનંદ પામ્યા અને રાત્રે વિસામો લઈને સવારે વિરાટરાજની સભામાં ગયા.વૃદ્ધોમાં માન્ય એવા વિરાટરાજા અને દ્રુપદ રાજા સભામાં આવીને બેઠા તે પછી પિતા વાસુદેવની સાથે શ્રીકૃષ્ણ અને બલરામ આવીને આસન પર બેઠા.પછી પાંડવો,દ્રુપદના પુત્રો,કૃષ્ણના પુત્રો ને અભિમન્યુ ઉત્તમ આસનો પર આવીને બેઠા.ત્યારે તે સભા ગ્રહોથી ભરેલા આકાશની જેમ શોભવા'લાગી.પછી સર્વેએ પરસ્પર અભિવાદન અને વાતો કરીને શ્રીકૃષ્ણ પર દ્રષ્ટિ રાખી વિચાર કરવા લાગ્યા.વાતોના અંતે શ્રીકૃષ્ણે પાંડવોના કાર્ય માટે સર્વને સાવધાન કર્યા એટલે સર્વે સાથે મળીને મહાન અર્થવાળા શ્રીકૃષ્ણના વચનને સાંભળવા લાગ્યા.(9)

Sep 28, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-637

 

અધ્યાય-૭૨-ઉત્તરાનાં લગ્ન 


II विराट उवाच II किमर्थ पांडवश्रेष्ठ भार्या दुहितरं मम I प्रतिग्रहीतुं नेमां रवं मया दत्तामिहेच्छसि II १ II

વિરાટ બોલ્યો-હે પાંડવશ્રેષ્ઠ અર્જુન,હું મારી પુત્રીને તમારી વેરે આપું છું તો તેને તમે પોતે કેમ ભાર્યા તરીકે સ્વીકારતા નથી?

અર્જુન બોલ્યો-હે રાજા,મારામાં પિતાની જેમ વિશ્વાસ રાખનારી તમારી પુત્રીને,જાહેર અને એકાંતમાં જોતો હું તમારા અંતઃપુરમાં રહ્યો છું.હું કુશળ નર્તક અને ગાયક હતો તેથી તમારી પુત્રીને હું અત્યંત પ્રિય હતો ને તે મને સદૈવ આચાર્યની જેમ આદર આપતી હતી.આમ તમારી વયમાં આવેલી એ પુત્રી સાથે હું એક વર્ષ રહ્યો છું,તેથી હું જો તેને પરણું તો લોકને ભારે શંકાનું સ્થાન થઇ પડે.આથી તમારી દીકરીને મારી પુત્રવધુ કરવાની માંગણી કરું છું.

Sep 27, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-636

 

અધ્યાય-૭૧-ઉત્તરાના વિવાહનો પ્રસ્તાવ 


II विराट उवाच II यद्येष राजा कौरव्यः कुन्तीपुत्रो युधिष्ठिरः I कतमोस्यार्जुनो भ्राता भीमश्च कतमो बली II १ II

વિરાટે પૂછ્યું-જો આ યુધિષ્ઠિર છે,તો પછી આમાં અર્જુન કોણ છે? ભીમ,નકુલ અને સહદેવ અને દ્રૌપદી કોણ છે? 

જ્યારથી તે કુંતીપુત્ર જુગારમાં હારી ગયા,ત્યારથી તો તેમનો કોઈ પતો નથી.

અર્જુન બોલ્યો-હે રાજન,તમારો જે બલ્લવ નામધારી રસોઈઓ છે તે જ ભીમ છે.દુરાત્મા કીચકોનો સંહાર કરવાવાળા 

ગંધર્વ પણ તે જ છે.એમને જ હિડિમ્બ,બકાસુર,કિરમીર અને જટાસુર નામના રાક્ષસોનો સંહાર કર્યો હતો.

Sep 26, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-635

વૈવાહિક પર્વ 

અધ્યાય-૭૦-પાંડવો પ્રગટ થયા 


II वैशंपायन उवाच II ततस्तृतिये दिवसे भ्रातरः पञ्च पांडवा : I स्नाताः शुक्लांबरधरा: समये चरितव्रताः II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,ત્રીજે દિવસે પાંડવોએ સ્નાન કર્યું,ઉજ્જવળ વસ્ત્રો પહેર્યા,સર્વ આભૂષણો સજ્યાં અને યોગ્ય કાળે  અજ્ઞાતવાસના વ્રતની પૂર્ણાહુતિ કરી.ને પછી,યુધિષ્ઠિરને આગળ કરીને વિરાટરાજની સભામાં જઈને રાજાઓ માટેના આસનો પર વિરાજ્યા ત્યારે તેઓ વેદીમાં રહેલા અગ્નિઓની જેમ શોભવા લાગ્યા.થોડીવારે વિરાટરાજ સર્વ રાજકાર્યો કરવા માટે તે સભામાં આવ્યા ત્યારે કંકના તરફ જોઈને તેને કહ્યું કે-અરે,તું તો દ્યુત રમનારો છે એટલા માટે મેં તને આ સભાનો સભાસદ નીમ્યો છે,તો તું આમ સારી રીતે અલંકાર ધારણ કરીને કેમ રાજાના આસન પર ચડી બેઠી છે? (7)

Sep 25, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-634

 

અધ્યાય-૬૯-વિરાટ અને ઉત્તરનો સંવાદ 


II उत्तर उवाच II न मया निर्जिता गावो न मया निर्जिताः परे I कृतं तत्सकलं तेन देवपुत्रेण केनचित् II १ II

ઉત્તર બોલ્યો-ગાયોને મેં જીતી નથી અને શત્રુઓને મેં હરાવ્યા નથી,એ બધું તો કોઈ દેવપુત્રે કર્યું છે.હું તો તે વખતે કુરુઓની સેનાએ જોઈને ડરી ગયો હતો અને નાસવા માંડતો હતો ત્યારે તે દેવપુત્રે આવી મને વાર્યો અને તે યુવાન જ રથીના સ્થાન પર આવીને બેઠો ને તેણે જ કુરુઓને પરાજિત કરીને ગાયોને પછી મેળવી છે.કૃપ,દ્રોણ,ભીષ્મ,કર્ણ,અશ્વસ્થામા અને દુર્યોધન એ છ મહારથીઓને તેણે જ બાણોના પ્રહારથી વિમુખ કર્યા હતા.દુર્યોધન ભયભીત થઈને નાસી જતો હતો ત્યારે તે મહાબળવાને તેને કહ્યું હતું કે-હે કૌરવપુત્ર,હસ્તિનાપુરમાં પણ તારું કંઈ રક્ષણ થાય એમ મને લાગતું નથી,તો દેશાંતરમાં રખડી તારા જીવનું જતન કર.આમ નાસી છૂટ્યે તું છુટકારો પામવાનો નથી,માટે તું યુદ્ધમાં મન લગાડ.'

Sep 24, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-633

 

અધ્યાય-૬૮-વિરાટનો હર્ષોન્માદ 


II वैशंपायन उवाच II धनं चापि विजित्याशु विराटो वाहिनीपतिः I विवेश नगरं हृष्टश्चतुर्भिः पाण्डवैः सह II १ II

વૈશંપાયન બોલ્યા-આ બાજુ સેનાપતિ વિરાટરાજ પણ પોતાનું ગોધન જીતીને ચાર પાંડવો સાથે હર્ષપૂર્વક નગરમાં પ્રવેશ્યો.

સંગ્રામમાં ત્રિગર્તોને હરાવીને ઐશ્વર્યસંપન્ન થયેલા વિરાટરાજને અભિનંદન અને સન્માન આપવા બ્રાહ્મણો ને મંત્રીમંડળ આવ્યું.

સન્માન આપીને તે સર્વ વિદાય થયા ત્યારે વિરાટરાજે ઉત્તરના સંબંધી પૂછ્યું એટલે અંતઃપુરવાસીઓએ સર્વ વૃતાંત કહ્યું.

પોતાનો રણઉત્સાહી પુત્ર બૃહન્નલાને સારથી કરીને રથમાં કુરુઓ સામે યુદ્ધમાં ગયો છે એ સાંભળીને વિરાટરાજ સંતાપમાં પડ્યો ને મંત્રીઓને કહેવા લાગ્યો કે-'ત્રિગર્તોને નાસી છૂટેલા સાંભળીને કુરુઓ અને બીજા રાજાઓ સાવ ઉભા નહિ રહે.

આથી જે યોદ્ધાઓ ત્રિગર્તો સાથેના યુદ્ધમાં ઘવાયા ન હોય તે સેનાથી વીંટળાઈને ઉત્તરના રક્ષણ અર્થે જાઓ.'

Sep 23, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-632

 

અધ્યાય-૬૭-ઉત્તરનું નગરાગમન 


II वैशंपायन उवाच II ततो विजित्य संग्रामे कुरुन्स वृषभेक्षण : I स मानयामास तदा विराटस्य धनं महत् II १ II

વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે વિશાળ દ્રષ્ટિવાળા અર્જુને કુરુઓને સંગ્રામમાં હરાવીને વિરાટરાજનું ગોધન પાછું વાળ્યું.

વિરાટનગર તરફ પાછા વળતાં અર્જુને,ઉત્તરને કહ્યું કે-'સર્વ પૃથાપુત્રો તારા પિતા પાસે રહે છે તે હવે તું જાણે છે પણ 

ત્યાં જઈને તું એ પાંડુપુત્રોની પ્રશંસા કરીશ નહિ કેમ કે મત્સ્યરાજ કદાચિત ભયભીત થઈને મરણ પામે.તું નગરમાં 

જઈને પિતાને એમ જ કહેજે કે-મેં જ કુરુઓની સેનાને હરાવી છે ને ગાયોને પાછી વાળી છે'

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-631

 

અધ્યાય-૬૬-પલાયન અને મૂર્ચ્છા 


II वैशंपायन उवाच II आहयमानश्व स तेन संख्ये महात्मना वै धृतराष्ट्रपुत्रः I निवर्तितस्तस्य गिरांकुशेन महागजो मत्त इवांकुशेन II १ II

વૈશંપાયન બોલ્યા-મહાત્મા અર્જુને,ધૃતરાષ્ટ્રપુત્ર દુર્યોધનને આ પ્રમાણે આહવાન કર્યું,એટલે જેમ,અંકુશના પ્રહારથી મહાગજ પાછો ફરે તેમ,અર્જુનના વાણીરૂપ અંકુશના પ્રહારથી દુર્યોધન પાછો ફર્યો.વીંધાયેલા દુર્યોધનને પાછો વળતો જોઈને કર્ણે તેને રોક્યો અને પોતે જ અર્જુનની સામે યુધ્ધે ચડ્યો.તે જ વખતે ભીષ્મ પણ પાછા આવ્યા ને દુર્યોધનનું રક્ષણ કરવા લાગ્યા.

વળી,દ્રોણ,કૃપ,દુઃશાસન આદિ પણ ત્યાં દુર્યોધનના રક્ષણ માટે આવી પહોંચ્યા.સર્વેએ મળીને અર્જુનને ઘેરી લઈને તેના પર 

ચારે તરફથી બાણોની ઝડી વરસાવી.ત્યારે અર્જુને તે સર્વના અસ્ત્રોને અસ્ત્રોથી હટાવી દીધાં અને 'સંમોહન' નામનું એક બીજું દુર્ધર અસ્ત્ર પ્રગટ કર્યું,ને ગાંડીવનો ઘોષ ગજાવીને યોદ્ધાઓના મનને વ્યથિત કર્યા.

Sep 21, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-630

 

અધ્યાય-૬૫-દુર્યોધનનો પરાભવ 


II वैशंपायन उवाच II भीष्मे तु संग्रामशिरो विहाय पलायमाने धृतराष्ट्रपुत्रः I उत्सृज्य केतुं विदन्महात्मा धनुर्विग्रुह्यार्जुनमाससाद II १ II

વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે ભીષ્મ સંગ્રામનો મોખરો છોડી ગયા ત્યારે ધૃતરાષ્ટ્રપુત્ર દુર્યોધને ધનુષ્ય હાથમાં લીધું ને ગર્જના કરતો અર્જુનની સામે ચડી આવ્યો.તેણે ધનુષ્યને કાન સુધી ખેંચીને એક ભલ્લ બાણ મૂક્યું અને અર્જુનના લલાટના મધ્યભાગને વીંધ્યું.તેથી અર્જુનનું લલાટ ચિરાઈ ગયું.અર્જુને પણ સામે દુર્યોધનને વીંધ્યો.બંને વચ્ચે યુદ્ધ થયું.એ જ વખતે એક મહાગજ પર બેસીને વિકર્ણ પણ અર્જુન પર ચડી આવ્યો.ત્યારે અર્જુને એક મહાન અતિવેગવાળું ગજવેલનું બાણ મૂક્યું કે જેથી તે હાથી પૃથ્વી પર ઢળી પડ્યો.એટલે વિકર્ણ ત્રાસનો માર્યો હાથી પરથી ઉતરીને,દોડીને વિવીંશતિના રથમાં ચડી ગયો.

Sep 20, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-629

 

અધ્યાય-૬૪-ભીષ્મનું પાછું હટવું 


II वैशंपायन उवाच II ततः शांतनवो भीष्मो भारतानां पितामहः I वध्यमानेषु योधेषु धनंजयमुपाद्रवत II १ II

વૈશંપાયન બોલ્યા-આમ યોદ્ધાઓ હણાઈ ગયા,ત્યારે શાંતનુપુત્ર પિતામહ ભીષ્મ ધનંજયની સામે ચડી આવ્યા.તેમણે સોનાથી શણગારેલું શ્રેષ્ઠ ધનુષ્ય લીધું હતું અને તીણાં અણીવાળાં પ્રચંડ બાણો લીધાં હતાં,ધૃતરાષ્ટ્રપુત્રોને હર્ષ પમાડવા માટે તેમણે શંખનાદ કર્યો.તેમને ચડી આવેલા જોઈને અર્જુન અત્યંત પ્રસન્ન થયો ને જેમ,પર્વત મેઘને ઝીલી લે,તેમ તેણે તેમને આવકાર આપ્યો.પછી ભીષ્મે અર્જુનની ધજા પર સાપની જેમ ફૂંફાડા મારતાં આઠ મહાવેગવાળાં બાણો મૂક્યાં કે જે બાણોએ તે 

ધ્વજમાં રહેલા વાનરને ઘાયલ કર્યો અને ધ્વજની ટોચે રહેલ બીજાં પ્રાણીઓને વીંધી નાખ્યાં.એટલે અર્જુને વિશાળ ધારવાળું મોટું ભલ્લ બાણ છોડીને ભીષ્મના છત્રને ભેદી નાખ્યું.ને બીજા બાણો ચલાવીને રથના ઘોડાઓને ને સારથિને ઘાયલ કર્યા.

Sep 19, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-628

 

અધ્યાય-૬૨-અર્જુનનું ઘોર યુદ્ધ 


II वैशंपायन उवाच II अथ संगम्य सर्वे ते कौरवाणां महारथाः I अर्जुनं सहिता यत्ताः प्रत्ययुध्यंत भारत II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,હે ભારત,કૌરવોના સર્વ મહારથીઓ એક સાથે ભેગા થયા અને સજ્જ થઈને અર્જુનની સામે લડવા લાગ્યા.ત્યારે અર્જુને તે સર્વ મહારથીઓને બાણમય જાળોથી,જેમ ધુમ્મસ વડે પર્વતો ઢંકાઈ જાય તેમ બધી બાજુએથી ઢાંકી દીધા.અર્જુનનાં હજારો બાણો,માણસોને,અશ્વોને ને લોઢાના કવચોને ભેદીને આરપાર નીકળતાં હતાં.

Sep 18, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-627

 

અધ્યાય-૬૧-દુઃશાસન આદિ સાથે અર્જુનનું યુદ્ધ 


II वैशंपायन उवाच II ततो वैकर्तनं जित्वा पार्थो वैराटीमब्रवीत I एतन्मां प्रापयानीकं यत्र तालो हिरण्मयः II १ II 

વૈશંપાયન બોલ્યા-આમ,સૂર્યપુત્ર કર્ણને જીત્યા પછી,અર્જુને ઉત્તરને કહ્યું કે-'જ્યાં પેલો સુવર્ણમય તાલધ્વજ દેખાય છે,

તેમાં દેવ સમાન પિતામહ ભીષ્મ બેઠા છે ને મારી સાથે યુદ્ધ કરવાની ઈચ્છા રાખે છે,તો તું મને ત્યાં લઇ જા.'

ત્યારે બાણોથી અત્યંત વીંધાઈ ગયેલા ઉત્તરે કહ્યું કે-'હે વીર,હવે હું અહીં આ ઘોડાઓને નિયમનમાં રાખી શકું તેમ નથી,કેમકે મારા પ્રાણ મૂંઝાઈ રહ્યા છે.અને મારુ મન વિહવળ થઇ ગયું છે.ગાંડીવના ટંકારથી મારા કાન બહેરા થઇ ગયા છે,મારી સ્મૃતિ નાશ પામી ગઈ છે.મારુ ભાન નષ્ટ થવાથી હું જોઈ શકતો નથી,મારા પ્રાણ ગૂંગળાઈ રહ્યા છે અને આ પૃથ્વી મને ફરતીહોય એમ લાગે છે,ચાબૂકને તથા લગામને હાથમાં રાખવાની મારામાં શક્તિ પણ રહી નથી (12)

Sep 17, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-626

 

અધ્યાય-૬૦-કર્ણ ફરીથી નાઠો 


II अर्जुन उवाच II कर्ण यत्ते सभामध्ये बहु वाचा विकत्थितम् I न मे युधि समोस्तीति तदिदं समुपस्थितम् II १ II 

અર્જુન બોલ્યો-હે કર્ણ,તેં સભા વચ્ચે બહુ બકવાદ કર્યો હતો અને બડાશ મારી હતી કે યુદ્ધમાં કોઈ જ મારી બરોબરીનો નથી,તો તે સાચી કરી બતાવવાનો આજે સમય આવી ગયો છે.આજે તું તારી જાતને નિર્બળ જાણીશ ને બીજાઓનું અપમાન કરતો અટકીશ,તેં કેવળ ધર્મનો ત્યાગ કરીને કઠોર વાણી કાઢી હતી,પણ આજે તું મારી સાથે યુદ્ધ કરવા ઈચ્છી રહ્યો છે તે આ તારું કર્મ મને દુષ્કર લાગે છે.આજે તું યુદ્ધ કરીને આ કુરુઓની વચ્ચે તું તારી વાણીને સત્ય કરી બતાવ.પૂર્વે ધર્મપાશથી બંધાયેલો હોઈને મેં જે સાંખી લીધું હતું,તે મારા ક્રોધનો આજે તું યુદ્ધમાં મારો વિજય જોજે.(8)

Sep 16, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-625

 

અધ્યાય-૫૯-અર્જુન અને અશ્વસ્થામાનું યુદ્ધ 


II वैशंपायन उवाच II ततो द्रौणिर्महाराज प्रययावर्जुनं रणे I 

तं पार्थः प्रतिजग्राह वायुवेगभिवोद्वतं I शरजालेन महता वर्यमाणभिवायुदम्  II१II

વૈશંપાયન બોલ્યા-પછી,દ્રોણનંદન અશ્વસ્થામાએ રણમાં અર્જુન પર ધસારો કર્યો,એટલે વાયુના જેવા ઉદ્વત વેગોવાળા અને મેઘની જેમ મોટી બાણવર્ષા વરસાવી રહેલા એ અશ્વસ્થામાને પૃથાપુત્રે સારો સત્કાર આપ્યો.ત્યાં તે બંને વચ્ચે દેવો અને અસુરોના જેવું ઘોર યુદ્ધ ચાલ્યું.ત્યારે બાણોની વર્ષાથી આકાશ છવાઈ ગયું ને સર્વત્ર અંધકાર પથરાઈ રહ્યો.

બંને યોદ્ધાઓ એકબીજા પર પ્રહાર કરતા હતા ત્યારે ત્યાં જાણે બળતા વાંસ જેવા ભયંકર ચડચડાટ થયા.