Mar 18, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-760

 

અધ્યાય-૯૫-શ્રીકૃષ્ણની શિખામણ

II वैशंपायन उवाच II तेष्वासीनेषु सर्वेषु तुष्णार्भुतेषु राजसु I वाक्यमभ्याददे कृष्णः सुदंष्टो दुन्दुभिस्वनः II १ II

વૈશંપાયને કહ્યું-તે સર્વ રાજાઓ આસનો પર શાંત થઈને બેઠા,પછી,સુંદર દંતપંક્તિવાળા તથા દુંદુભિના જેવા સાદવાળા,લક્ષ્મીપતિ શ્રીકૃષ્ણ,ધૃતરાષ્ટ્રના તરફ જોઈને,વર્ષાઋતુના મેઘના જેવી ગર્જનાથી,સર્વ સભાને સંભળાવતા કહેવા લાગ્યા કે-'હે ભરતવંશી રાજા,વીર પુરુષોનો વિનાશ થયા વિના,કૌરવ-પાંડવોની વચ્ચે સલાહ થાય,એવી માગણી કરવા માટે હું અહીં આવ્યો છું.મારે તમારા હિતને માટે એ વિના બીજું વચન કહેવાનું નથી.હે રાજા,આજે આ કુરૂકૂળ,સર્વ રાજાઓમાં શ્રેષ્ઠ છે,શાસ્ત્રજ્ઞાન અને સદવર્તનથી સંપન્ન છે અને ગુણોથી ઝળકી રહેલું છે.આવા સદગુણવાળા,કુળમાં ખાસ કરીને તમારા જ નિમિત્તે દયા,વગેરેથી વિરુદ્ધ વર્તન થાય તે કુરૂકૂળને યોગ્ય નથી.(7)

Mar 17, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-759

 

અધ્યાય-૯૪-શ્રીકૃષ્ણનો સભામાં પ્રવેશ 


II वैशंपायन उवाच II तथा कथयतोरेव तयोर्बुध्धिमतोस्तदा I शिवा नक्षत्रसंपन्ना सा व्यतीयाय शर्वरी II १ II

વૈશંપાયને કહ્યું-એ પ્રમાણે વાતો કરતાં કરતાં તે બંને બુદ્ધિમાનોની સુખકારક તથા નક્ષત્રોવાળી રાત્રિ વીતી ગઈ.રાત્રિ પુરી થતાં જ,ઉત્તમ સ્વરવાળા સૂત તથા માગધોએ સ્તુતિથી અને શંખ દુંદુભીઓના સ્વરોથી શ્રીકૃષ્ણને જાગ્રત કર્યા.શ્રીકૃષ્ણે ઉઠયા પછી નિત્યકર્મ કર્યું અને તે સંધ્યા કરતા હતા તે વખતે દુર્યોધન અને શકુનિ ત્યાં આવ્યા અને તેમને કૃષ્ણને કહ્યું કે-'સભામાં,ધૃતરાષ્ટ્ર,

ભીષ્મ આદિ સર્વ રાજાઓ આવ્યા છે,હે ગોવિંદ,સ્વર્ગમાં જેમ ઇન્દ્રની વાટ જુએ તેમ તે તમારી રાહ જુએ છે'

Mar 16, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-758

 

અધ્યાય-૯૩-શ્રીકૃષ્ણનું વિદુર પ્રત્યે ભાષણ 


II श्रीभगवानुवाच II यथा बुयान्महाप्राज्ञो यथा बुयाद्विचक्षणः I यथा वाच्यस्त्वद्विधेन भवत मद्विधः सुहृत II १ II

શ્રીભગવાન બોલ્યા-હે વિદુર,મહાબુદ્ધિમાન,વિચક્ષણ પુરુષ જે પ્રમાણે કહે,અને તમારા જેવાએ મારા જેવા સ્નેહીને જે પ્રમાણે કહેવું જોઈએ,તેવું ધર્માર્થયુક્ત સત્યવચન,તમે મને માતપિતાની જેમ કહ્યું છે.તમે મને જે સત્ય,સમયોચિત તથા યોગ્ય કહ્યું છે તે યથાર્થ છે.પણ હવે તમે સ્વસ્થ થાઓ ને મારા આવવાનું કારણ સાંભળો.હું દુર્યોધનની દુષ્ટતા અને મારો ક્ષત્રિયો સાથેનો વેરભાવ,એ સર્વ જાણીને જ આજે અહીં કૌરવો પાસે આવ્યો છું.ઘોડા-રથ અને હાથીઓની સાથે આ પૃથ્વી નાશ પામવા બેઠી છે,તેને જે પુરુષ મૃત્યુપાશથી મુક્ત કરે,તે ઉત્તમ ધર્મને પ્રાપ્ત થાય છે.(5)

Mar 15, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-757

 

અધ્યાય-૯૨-શ્રીકૃષ્ણ આગળ વિદુરનું ભાષણ 


II वैशंपायन उवाच II तं भुक्तवंतमाश्वस्तं निशायां विदुरोब्रवीत I नेदं सम्यग्व्यवसितं केशवागमनं तव  II १ II

વૈશંપાયને કહ્યું-શ્રીકૃષ્ણ ભોજન કર્યા પછી રાત્રે શાંતિથી બેઠા હતા તે વખતે વિદુર તેમને કહેવા લાગ્યા કે-'હે કેશવ,તમારું અહીં આવવું થયું,એ સારા વિચારપૂર્વક થયું નથી,કારણકે આ દુર્યોધન,અર્થ,ધર્મનું ઉલ્લંઘન કરનારો,મૂર્ખ,ક્રોધી,બીજાનું અપમાન કરીને પોતે માનની ઈચ્છા રાખનારો અને બીજા ઘણા દોષોથી ભરેલો છે,માટે તમે તેને કલ્યાણની વાત કહેશો તો પણ તે ક્રોધને લીધે ગ્રહણ કરશે નહિ.વળી,તે ભીષ્મ,દ્રોણ,કૃપ,કર્ણ,અશ્વસ્થામા,જયદ્રથ આદિ સર્વ યુદ્ધ કરીને,તેને રાજ્યરૂપી જીવન અપાવશે,એવા વિચારથી સલાહ કરવા ધારતો નથી.

Mar 14, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-756

 

અધ્યાય-૯૧-દુર્યોધનને ત્યાં શ્રીકૃષ્ણ 


II वैशंपायन उवाच II प्रुथामामन्त्र्य गोविन्दः कृत्वा चाभिप्रदक्षिणम् I दुर्योधनगृहं शौरिरभ्यगच्छदरिन्दमः II १ II

વૈશંપાયને કહ્યું-પછી,ઇન્દ્રના મહાલય જેવા,શોભાસંપન્ન તથા ચિત્રવિચિત્ર આસનોથી યુક્ત દુર્યોધનના મહેલમાં શ્રીકૃષ્ણ દાખલ થયા.ત્યાં,દુર્યોધન,હજારો રાજાઓ,કૌરવો,દુઃશાસન,કર્ણ અને શકુનિ આદિથી વીંટાઇને બેઠેલો હતો.શ્રીકૃષ્ણને પાસે આવેલા જોઈ દુર્યોધન,તેમને માન આપવા અમાત્યોની સાથે ઉભો થયો ને તેમને આસન આપીને તેમનો વિધિપૂર્વક સત્કાર કર્યો.

દુર્યોધને શ્રીકૃષ્ણને ભોજન માટે નિમંત્રણ કર્યું હતું,પરંતુ કેશવે તે કબુલ કર્યું નહોતું,એટલે દુર્યોધને ઉપરથી મૃદુ પણ અંદરથી શઠતાભરેલાં વાક્ય વડે શ્રીકૃષ્ણને કહ્યું કે-

Mar 13, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-755

 

અધ્યાય-૯૦-કુંતીનો તથા શ્રીકૃષ્ણનો સંવાદ 


II वैशंपायन उवाच II अथोपगम्य विदुरेषुपराह्वे जनार्दनः I पितृष्वसारं प्रुथामभ्यगच्छदरिदमः II १ II

વૈશંપાયને કહ્યું-શત્રુદમન શ્રીકૃષ્ણ,વિદુરને મળ્યા પછી,પાછલે પહોરે પોતાનાં ફોઈ કુંતીની પાસે ગયા.નિર્મળ સૂર્યના જેવા તેજસ્વી શ્રીકૃષ્ણને આવેલા જોઈને કુંતી તેમને ગળે બાઝી પડ્યાં અને પુત્રોનું સ્મરણ કરીને રડવા લાગ્યાં.પછી,અતિથિ સત્કાર પામીને શ્રીકૃષ્ણ બેઠા એટલે ગળગળા થયેલા મુખ વડે તેમને કહેવા લાગ્યાં કે-જેઓ બાળવયથી જ ગુરુસેવામાં તત્પર છે,પરસ્પર સ્નેહવાળા છે,એકબીજા તરફ માનવૃત્તિવાળા છે,કપટ વડે રાજ્યભ્રષ્ટ થઈને નિર્જન અરણ્યમાં ગયા છે,ક્રોધ તથા હર્ષને સ્વાધીન રાખનારા,બ્રાહ્મણોના ભક્ત અને સત્ય બોલનારા છે,તે મારા પુત્રો પ્રિય વસ્તુઓનો ને સુખનો ત્યાગ કરીને અને મને રડતી છોડીને વનમાં જતાં જતાં મારા હૃદયને સમૂળગું હરી ગયા છે.હે કેશવ,વનવાસને અયોગ્ય એવા મારા પુત્રો વનમાં કેવી રીતે રહ્યા હશે? બાળવયમાં જ પિતા વિનાના થયેલા તેઓને મેં હંમેશાં લાડ લડાવ્યા હતાં.(8)

Mar 12, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-754

 

અધ્યાય-૮૯-શ્રીકૃષ્ણનો વિદુરના ઘરમાં પ્રવેશ 


II वैशंपायन उवाच II प्रातरुत्थाय कृष्णस्तु कृत्वान्सर्वमाहिकम् I ब्राह्मणैरभ्यनुज्ञातः प्रययौ नगरं प्रति II १ II

વૈશંપાયને કહ્યું-આ તરફ શ્રીકૃષ્ણે પણ પ્રાતઃકાળમાં ઉઠી સર્વ નિત્યકર્મ કર્યું અને બ્રાહ્મણોની આજ્ઞા લઈને હસ્તિનાપુર તરફ પ્રયાણ કર્યું.શ્રીકૃષ્ણને આવતા સાંભળીને દુર્યોધન સિવાય બીજા ધૃતરાષ્ટ્રના પુત્રો,ભીષ્મ,દ્રોણ,કૃપ વગેરે તેમને સામે લેવા ગયા.શ્રીકૃષ્ણનાં દર્શનની ઈચ્છાવાળા નગરના સર્વે લોકો બહાર નીકળ્યા હતા,કોઈ પણ ઘરમાં રહ્યું નહોતું.માર્ગમાં શ્રીકૃષ્ણ તેમને લેવા આવેલા સર્વને મળ્યા ને તેમના દર્શને આવેલા સર્વને વંદન કરતા તેઓ રાજમાર્ગ પર આવ્યા.રાજમાર્ગ મનુષ્યોથી એટલા બધો ભરાઈ ગયો હતો કે ઘોડાઓની ગતિ પણ અટકી પડી હતી.પછી શ્રીકૃષ્ણે ધૃતરાષ્ટ્રના મહેલમાં પ્રવેશ કર્યો ને ત્રણ દ્વાર ઓળંગી ધૃતરાષ્ટ્ર પાસે પહોંચ્યા.શ્રીકૃષ્ણ પાસે આવ્યા ત્યારે ધૃતરાષ્ટ્ર તેમને માન આપવા ઉભા થયા.

Mar 11, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-753

અધ્યાય-૮૮-શ્રીકૃષ્ણને કેદ કરવાની દુર્યોધનની ઈચ્છા 


II दुर्योधन उवाच II यदाह विदुरः कृष्णे सर्व तत्सत्यमच्युते I अनुरुक्तो ह्यसंहार्यः पार्थान्प्रति जनार्दनः II १ II

દુર્યોધને કહ્યું-વિદુરે કૃષ્ણના સંબંધમાં જે કહ્યું તે સઘળું કૃષ્ણને માટે સત્ય છે.જનાર્દન પાંડવો પ્રત્યે પ્રીતિવાળા છે અને આપણા પક્ષમાં ખેંચાય તેવા નથી,માટે તમે તેમને સત્કારપૂર્વક જે અનેક પ્રકારનું આપવા ધારો છો,તે તેમને કદી આપવું નહિ.કૃષ્ણ તેવા સત્કારને પાત્ર નથી,એમ મારુ કહેવું નથી,પરંતુ આ દેશ અને કાળ તેવા સત્કારને માટે અયોગ્ય છે,કારણકે તેમ કરવાથી કૃષ્ણ માનશે કે આપણે ભયથી તેમનો સત્કાર કરીએ છીએ.હે રાજા,જે કાર્ય કરવાથી ક્ષત્રિયનું અપમાન થાય,તે કાર્ય ડાહ્યા મનુષ્યે કરવું નહિ,એવો મારો દૃઢ નિશ્ચય છે.એ કૃષ્ણ,આ લોકમાં જ નહિ પણ ત્રણે લોકમાં પૂજ્ય છે એ હું સર્વથા જાણું છું,પરંતુ હમણાં કર્તવ્યની રીત એ જ છે કે,તેને કંઈપણ આપવું નહિ.લડાઈનો આરંભ થઇ ચુક્યો છે તે કંઈ લઢ્યા વિના-માત્ર અતિથિસત્કારથી શાંત પડશે નહિ (6)

Mar 10, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-752

 

અધ્યાય-૮૭-વિદુરનું સ્પષ્ટ ભાષણ 


II विदुर उवाच II राजन्बहुमतश्वासि त्रैलोक्यस्यापि सत्तमः I सम्भावितश्व लोकस्य संमतश्वासि भारत II १ II

વિદુરે કહ્યું-હે ભારત,તમે ત્રણે લોકમાં પણ બહુમાન્ય તથા સજ્જનોમાં મુખ્ય છો અને લોકમાં પ્રતિષ્ઠિત તથા સંમત છો.હમણાં તમે વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા છો,તે વખતે શાસ્ત્રજ્ઞાનથી અથવા સારા તર્કથી આવી ઉત્તમ વાતો કરો છો,તેથી તમે ખરેખર સ્થિર વિચારના તથા વૃદ્ધ છો.તમારામાં ધર્મ છે એવો પ્રજાનો નિશ્ચય છે,ને લોકો તમારા ગુણોથી સર્વદા પ્રસન્ન છે,માટે તમે બાંધવોની સાથે ગુણોના રક્ષણને માટે નિત્ય પ્રયત્ન કરો.તમે સરળતા રાખો,બાળબુદ્ધિથી પુત્રો,પૌત્રો અને સ્નેહીઓનો નાશ કરો નહિ.

Mar 9, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-751

 

અધ્યાય-૮૫-શ્રીકૃષ્ણના સત્કારની તૈયારી 


II वैशंपायन उवाच II तथा दूतै समाज्ञाय प्रयांतं मधुसूदन I धृतराष्ट्रोब्रविद्भिष्ममर्चयित्वा महाभुजम् II १ II

વૈશંપાયને કહ્યું-'શ્રીકૃષ્ણ આપણી પાસે આવે છે',એવી વાત દૂતો દ્વારા જાણીને ધૃતરાષ્ટ્રનાં રૂવાંડાં ઊભાં થઇ ગયાં,અને તેમણે ભીષ્મને,દ્રોણને,સંજયને,વિદુરને તથા અમાત્યો સહિત દુર્યોધનને કહ્યું કે-'હે કુરુનંદન,આજે એક અદભુત મહા આશ્ચર્યકારક વાત સંભળાય છે.ઘેરેઘેર સ્ત્રીઓ,બાળકો ને વૃદ્ધો એ જ વાત કરી રહ્યા છે કે-શ્રીકૃષ્ણ અહીં આવે છે.પરાક્રમી શ્રીકૃષ્ણ પાંડવોને માટે અહીં આવે છે તે મધુસુદન આપણને સર્વથા માન્ય તથા પૂજ્ય છે.સર્વ લોકનો નિર્વાહ તેમના આધારે ચાલે છે,કારણકે તે પ્રાણીઓના ઈશ્વર છે.તે શ્રીકૃષ્ણમાં ધૈર્ય,પરાક્રમ,બુદ્ધિ ને બળ રહેલાં છે,તે જ પુરુષોત્તમ સનાતન ધર્મરૂપ છે માટે તેમનો સત્કાર કરો કારણકે તે પૂજન કરવાથી સુખ આપે છે અને પૂજન ન કરવાથી દુઃખ આપે છે.(7)

Mar 8, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-750

 

અધ્યાય-૮૪-શ્રીકૃષ્ણનું પ્રયાણ (ચાલુ)


II वैशंपायन उवाच II प्रयांतं देवकीपुत्रं परवीररुजो दश I महारथ महाबाहुमन्वयुः शस्त्रपाणयः II १ II

વૈશંપાયને કહ્યું-હે જન્મેજય,મહાબાહુ દેવકીપુત્રં શ્રીકૃષ્ણ જવા લાગ્યા તે સમયે તેમની સાથે દશ મહારથીઓ,

એક હજાર પાળાઓ,એક હજાર ઘોડેસ્વારો,સેંકડો સેવકો અને પુષ્કળ અન્ન સામગ્રી હતી.

જન્મેજય બોલ્યા-શ્રીકૃષ્ણ કેવી રીતે ત્યાં ગયા? ને તેમને માર્ગમાં જતાં કયાં કયાં નિમિત્તો થયાં હતાં ?


વૈશંપાયને કહ્યું-શ્રીકૃષ્ણના પ્રયાણ વખતે,આકાશમાં વાદળો ન હોવા છતાં વીજળીના ચમકારા થવા લાગ્યા ને પછી પુષ્કળ વરસાદ વરસવા લાગ્યો.સિંધુ વગેરે સાત નદીઓ કે જે પૂર્વ તરફ વહેતી હતી તે પશ્ચિમ તરફ વહેવા લાગી.સર્વ દિશાઓ વિપરીત ભાસવા લાગી અને કંઈ પણ સૂઝે નહિ તેવું થઇ ગયું.અગ્નિઓ પ્રકટવા લાગ્યા,પૃથ્વી કંપવા લાગી.આકાશમાં મોટો શબ્દ થવા લાગ્યો પણ શબ્દ કરનારનું શરીર દેખાતું ન હતું,એ આશ્ચર્ય જેવું થઇ પડ્યું.કઠોર ને વજ્રના જેવો,નૈઋત્ય ખૂણાનો વાયુ,સંખ્યાબંધ ઝાડોને તોડી પાડતો હસ્તિનાપુરને ઝુડી નાખવા લાગ્યો (10)


પરંતુ,શ્રીકૃષ્ણ,જે જે માર્ગે થઈને જતા હતા,ત્યાં સુખકર વાયુ વાતો હતો અને સર્વ અનુકૂળ થઇ જતું હતું.ગામે ગામે હજારો બ્રાહ્મણો વાસુદેવની વાણી વડે સ્તુતિ તથા પૂજન કરતા હતા.રસ્તામાં સ્ત્રીઓ એકઠી થઈને સુગંધીવાળા વનના પુષ્પોથી તેમને વધાવતી હતી.આ પ્રમાણે સન્માન પામતા શ્રીકૃષ્ણ,અનેક દેશોનું ઉલ્લંઘન કરતા,સુખકારક અને ધર્મિષ્ઠ લોકોથી વસાયેલા,રમણીય શાલિભવન નામના સ્થાનમાં આવ્યા.તે વખતે તેમનાં દર્શન કરવાની ઈચ્છાથી અનેક લોકો ટોળે વળીને ઉભા હતા.પૂજા કરવા યોગ્ય શ્રીકૃષ્ણ પોતાના દેશમાં અતિથિ તરીકે આવ્યા એટલે ત્યાંના સર્વ લોકોએ તેમની પૂજા કરી.

સૂર્ય આથમવા આવ્યો હતો એટલે શ્રીકૃષ્ણ રથમાંથી ઉતર્યા અને રથને છોડવાની આજ્ઞા કરીને વિધિ પ્રમાણે સ્નાન-આદિ કરીને સંધ્યા વંદન કરવા બેઠા.પોતાનું સર્વ કાર્ય આટોપીને શ્રીકૃષ્ણે ત્યાં રાત્રિ નિવાસ કરવાનો નિર્ણય જાહેર કર્યો એટલે સેવકોએ તરત જ ખાવાપીવાની ઉત્તમ સગવડ કરી દીધી.પછી ગામના બ્રાહ્મણો ને નેતાઓએ આવીને શ્રીકૃષ્ણની પૂજા કરી અને તેમનો આદરસત્કાર કર્યો.શ્રીકૃષ્ણે પણ તે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું એને તે રાત્રિએ ત્યાં સુખેથી નિવાસ કર્યો (29)

અધ્યાય-84-સમાપ્ત

Mar 7, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-749

 

અધ્યાય-૮૩-શ્રીકૃષ્ણનું પ્રયાણ 


II अर्जुन उवाच II करुणामद्य सर्वेषां भवान्सुह्रद्नुत्तम I संबन्धी दयितो नित्यसुभयो: पक्षयोरपि II १ II

અર્જુને કહ્યું-હે કૃષ્ણ,આજે તમે સર્વ કુરુવંશીઓના પરમ સ્નેહી છો અને બંને પક્ષના સંબંધી તથા નિત્ય પ્રીતિપાત્ર છો,માટે તમારે ધૃતરાષ્ટ્રના પુત્રોનો પાંડવોની સાથે સંપ થાય તેમ કરવું,કારણકે તમે સલાહસંપ કરાવવા સમર્થ છો.તમે દુર્યોધનને પાસે જઈને તેને શાંતિને માટે જે કહેવા જેવું યોગ્ય હોય તે કહેજો.તમે ધર્માર્થયુક્ત,નિર્દોષ અને કલ્યાણકારક વચન કહેશો,ને તે હિતરૂપ વચનને જો મૂર્ખ દુર્યોધન સ્વીકારશે નહિ તો પછી તે ભાગ્યને અધીન થશે (4)

શ્રીભગવાને કહ્યું-ધર્મને અનુસરીને આપણું હિત અને કૌરવોનું કુશળ સાધવા હવે હું ધૃતરાષ્ટ્રને મળવા જઈશ.

Mar 6, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-748

 

અધ્યાય-૮૧-સહદેવ અને સાત્યકિનાં ભાષણ 


II सहदेव उवाच II यदेत्कथितं राज्ञा धर्म एष सनातनः I य थाच युध्ध्मेवस्यात्तथा कार्यमरिंदं II १ II

સહદેવે કહ્યું-હે શત્રુદમન કૃષ્ણ,યુધિષ્ઠિર રાજાએ જે કહ્યું તે સનાતન ધર્મ છે,પરંતુ તમારે તો જે પ્રમાણે યુદ્ધ થાય તે પ્રમાણે જ કરવું.હે કૃષ્ણ,કૌરવો જો પાંડવોની સાથે સલાહ કરવાની ઈચ્છા રાખતા હોય તો પણ તમારે તો તેઓની સાથે યુદ્ધ થાય તેવી જ યોજના કરવી,કારણકે સભામાં દ્રૌપદીની દશા જોઈને,દુર્યોધન ઉપર ઉત્પન્ન થયેલો મારો ક્રોધ,તેનો વધ કર્યા વિના કેવી રીતે શાંત થાય? જો ભીમ,અર્જુન ને ધર્મરાજા ધાર્મિક થઈને બેસી રહેશે તો પણ હું એકલો ધર્મનો ત્યાગ કરીને સંગ્રામમાં તેની સાથે યુદ્ધ કરવાની ઈચ્છા રાખું છું (4)


સાત્યકિએ કહ્યું-હે કૃષ્ણ,આ સહદેવ,સત્ય કહે છે.દુર્યોધનનો વધ કરવાથી જ સહદેવનો ને મારો ક્રોધ શાંત થશે.વનમાં પાંડવોને વલ્કલ તથા મૃગચર્મ પહેરેલા જોઈને તમને પણ ક્રોધ ઉતપન્ન થયો હતો તે તમે જાણતા નથી કે?માટે આ શૂરા સહદેવે જે વચન કહ્યાં તે મને અને સર્વ યોદ્ધાઓને માન્ય છે (7)આ પ્રમાણે સાત્યકિ કહેતો હતો ત્યારે ત્યાં સર્વ યોદ્ધાઓનો મહાભયંકર સિંહનાદ થવા લાગ્યો અને યુદ્ધની ઈચ્છાવાળા તે સર્વ વીરો સાત્યકિને હર્ષ આપતાં 'ઠીક કહ્યું'કહીને માન આપવા લાગ્યા (9)

અધ્યાય-81-સમાપ્ત 


અધ્યાય-૮૨-દ્રૌપદીનો ક્રોધ અને શ્રીકૃષ્ણનું સાંત્વન 


II वैशंपायन उवाच II राज्ञस्तु वचनं श्रुत्वा धर्मार्थसहितं हितम् I कृष्णा दाशार्हमासीन ब्रविच्छोक्स्त्रनिन्दा II १ II

વૈશંપાયને કહ્યું-ધર્મરાજાનું ધર્મ ને અર્થથી યુક્ત અને હિતકારક ભાષણ સાંભળીને શોક વડે શુષ્ક થયેલાં,લાંબા કાળા કેશવાળાં મનસ્વિની દ્રૌપદી,સહદેવ ને સાત્યકિને અભિનંદન આપીને,ભીમસેનને શાંત પડી ગયેલો જોઈ,મનમાં અત્યંત ખિન્ન થઇ તથા આંસુથી આંખો ભરી,ત્યાં બેઠેલા શ્રીકૃષ્ણને કહેવા લાગ્યા કે-હે જનાર્દન,દુર્યોધને કપટનો આશ્રય કરીને પાંડવોને સુખથી ભ્રષ્ટ કર્યા તે તમે જાણો છો.ધૃતરાષ્ટ્રે એકાંતમાં સંજયને પોતાનો ગુપ્ત વિચાર સંભળાવ્યો હતો અને સંજયે યુધિષ્ઠિરને જે સંદેશો કહ્યો હતો તે પણ તમે જાણો છો.યુધિષ્ઠિરે,સંજયને પાંચ ગામો આપવાનો સંદેશો કહ્યો હતો,તે સાંભળવા છતાં દુર્યોધને તે પ્રમાણે કર્યું નથી.માટે દુર્યોધન રાજ્ય આપ્યા વિના જો સંધિ કરવાની ઈચ્છા રાખે તો ત્યાં જઈને તમારે કોઈ પણ રીતે સંધિ કરવી નહિ,કારણકે સૃન્જયોની સાથે પાંડવો,દુર્યોધનના સૈન્યને પહોંચી વળવા સમર્થ છે.(11)

Mar 5, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-747

 

અધ્યાય-૭૯-શ્રીકૃષ્ણનું ભાષણ 


II श्रीभगवान उवाच II एवमेतन्महाबाहो यथा वदसि पांडव I पांडवानां कुरुणा च प्रतिपत्स्ये निरामयः II १ II

શ્રીભગવાને કહ્યું-હે મહાબાહુ પાંડવ,તું જે કહે છે તે યથાર્થ છે,હું પાંડવોનું તથા કૌરવોનું કલ્યાણ કરીશ.હું દૂત થઈને જાઉં છું માટે સંધિ કરવી અથવા યુદ્ધનો પ્રસંગ લાવવો એ બંને કામ મારે અધીન છે.તો પણ એમાં દૈવની અનુકૂળતાની અપેક્ષા છે.

એક ખેતર,રસાળ હોય અને ખેડૂતે મહેનતથી તૈયાર કર્યું હોય પણ તે વરસાદ વગર ફળ આપતું નથી,તેમાં દૈવનું પ્રાધાન્ય છે.

હવે તે જ ખેતરમાં પાણી પાઈને ફળ મેળવવું,તેને કેટલાએક પુરુષ યત્નનું પ્રાધાન્ય કહે છે,પરંતુ તેમાંએ દૈવયોગે જળાશય સુકાઈ જતું જોવામાં આવે છે,એટલે એમાં પણ દૈવનું પ્રાધાન્ય આવે છે.દૈવ ને પુરુષાર્થ સાથે મળવાથી જ લોકનું હિત સધાય છે.હું પુરુષાર્થ વડે સલાહના માટે પ્રયત્ન કરીશ,પરંતુ હું દૈવને કોઈ રીતે ફેરવી શકીશ નહિ.(5)

Mar 4, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-746

 

અધ્યાય-૭૮-અર્જુનનું ભાષણ 


II अर्जुन उवाच II उक्तं युधिष्ठिरेणैव यावद्वाच्यं जनार्दन I तव वाक्यं तुमे श्रुत्वा प्रतिभाति परंतप II १ II

 અર્જુને કહ્યું-હે જનાર્દન,જેટલું કહેવાનું છે તેટલું યુધિષ્ઠિરે કહ્યું જ છે,તો પણ હે પ્રભો,તમારું કહેવું સાંભળીને મને સમજાય છે કે તમે ધૃતરાષ્ટ્રના લોભને લીધે અથવા અમને પ્રાપ્ત થયેલી દીનતાને લીધે 'આ કાર્યમાં સલાહ થવી સુલભ નથી જ'એમ માનો  છો.વળી,તમે પુરુષનાં પરાક્રમને નિષ્ફળ માનો છો અને પૂર્વકર્મના સંયોગ વિના એકલા પુરુષાર્થથી ફળ પ્રાપ્ત થતું નથી એમ કહો છો.એ તમે કહ્યું તેમ જ છે.તો પણ એ ઉપરથી કોઈ વાત અસાધ્ય છે એમ પણ તમારે જાણવું નહિ.(4)