Dec 20, 2019

ભાગવત રહસ્ય-૧૪૫

જડભરતજીએ –રાજા રહૂગણને તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો.અને પછી ભવાટવીનું વર્ણન કર્યું.જ્ઞાન અને ભક્તિને દૃઢ કરવા વૈરાગ્યની જરૂર છે. વૈરાગ્યનો ઉપદેશ આપવા ભવાટવીનું વર્ણન કર્યું છે.એક એક ઈન્દ્રીય આત્માનું વિવેકરૂપી ધન લુટે છે, છ ગઠિયાઓ સમજાવે છે-કે સંસાર બહુ મીઠો છે.ભવાટવીના રસ્તે તેને હંસોનું ટોળું મળે છે.(હંસોનું ટોળું એ પરમહંસોનું ટોળું છે) પણ હંસોના ટોળામાં તેને ગમતું નથી. હંસોના ટોળાને છોડી તે વાનરના ટોળા માં આવે છે. તે ટોળામાં તેને ગમે છે.વાનરો જેવું સ્વેચ્છાચારી જીવન તેને ગમે છે.

Dec 19, 2019

ભાગવત રહસ્ય-૧૪૪

તે પછી રાજા રહૂગણ પૂછે છે-આ વ્યવહારને મિથ્યા (અસત્ય) કેમ કહી શકાય ?જો કોઈ પણ વસ્તુ અસત્ય હોય –મિથ્યા હોય તો-કોઈ પણ ક્રિયા (કર્મ) થઇ શકે જ નહિ. જેમ કે જો ઘડો (મિથ્યા) અસત્ય હોય-તો તે ઘડાથી જળ લાવી શકાય નહિ.હકીકતમાં ઘડો હોય તો જ જળ લાવી શકાય. આંખે દેખાતી વ્યવહારની ક્રિયાઓમાં બધું હકીકતથી ભરેલું છે-તે મિથ્યા કેવી રીતે?

Dec 18, 2019

ભાગવત રહસ્ય-૧૪૩

કારીગીરી -અનંત ની-Photo-by Anil
જડભરતજી માને છે-કે મારે પ્રારબ્ધ પૂરું કરવું છે.શરીર જ્યાં લઇ જાય ત્યાં જવું છે. ફરતાં ફરતાં –ગંડકી નદીનો કિનારો છોડી 
ઇક્ષુમતિ નદીના કિનારે આવ્યા છે.તે સમયે સિંધુ દેશનો રાજા રહૂગણ –પાલખીમાં બેસી કપિલમુનિ પાસે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા જતો હતો.ચાર ભોઈઓએ પાલખી ઊંચકી છે.જલપાન કરવા રસ્તામાં મુકામ કર્યો છે. તેવામાં ચારમાંથી એક નાસી ગયો. 
રાજાએ કહ્યું-જે કોઈ મળે તેણે પકડી લાવો.