Jan 23, 2020

ભાગવત રહસ્ય-૧૬૭

જ્ઞાની પુરુષો સર્વમાં ભગવદદૃષ્ટિ રાખે છે.દૃશ્ય (સંસાર) માંથી દૃષ્ટિ હટાવી,અને સર્વને જોનાર (દ્રષ્ટા-સાક્ષી) પરમાત્માના સ્વરૂપમાં દૃષ્ટિ સ્થિર કરે છે.
જ્ઞાની કહે છે-કે-જે દેખાય છે (દૃશ્ય-સંસાર) તેની સાથે પ્રેમ કરીશ નહિ,પણ દ્રષ્ટા –પરમાત્મામાં જ પ્રેમ કર.ઈશ્વર એ દ્રષ્ટા છે-તે દૃશ્ય નથી. ઈશ્વરમાં દ્રશ્યત્વનો આરોપ માયાથી થાય છે.જે સર્વનો દ્રષ્ટા-સાક્ષી છે-તેને જાણવો સહેલો તો નથી જ. જેને પૂર્ણ વૈરાગ્ય નથી તેને આ “જ્ઞાન”નો અનુભવ થવો અઘરો છે.માટે આપણા જેવા માટે ભક્તિ માર્ગ સારો છે. જે બધું દેખાય છે-તે સર્વ ઈશ્વરમય છે.

Jan 22, 2020

ભાગવત રહસ્ય-૧૬૬

એક વખત મહારાષ્ટ્રમાં સંતો ની મંડળી એકઠી થયેલી.મુક્તાબાઈએ ગોરા કુંભાર ને ભક્તમંડળીના ભક્તોની (સંતોની) પરીક્ષા કરવાનું કહ્યું.”આમાં પાકા કોણ અને કાચા કોણ છે?”ગોરા કુંભાર ઉભા થયા અને બધાના માથા પર –ટપલી મારી પરીક્ષા કરે છે.(માટલાને જેમ ટપલી મારી તપાસાય છે તેમ) ભક્તોમાં એક નામદેવ પણ હતા.તેમને અભિમાન થયેલું-કે ભગવાન મારી સાથે વાતો કરે છે-હું ભગવાનનો લાડીલો છું.

Jan 20, 2020

ભાગવત રહસ્ય-૧૬૫

જ્ઞાનનો ઉપયોગ પ્રભુની સર્વવ્યાપકતાનો અનુભવ કરવા માટે છે.
એક મહાત્માના બે શિષ્યો.બન્ને ખુબ ભણેલા.કથા વાર્તા પણ કરતા.મહાત્માનો અંત સમય આવ્યો. મહાત્મા એ વિચાર્યું-કે –ગાદી કોને આપું ?મહાત્માએ બે ફળ મંગાવ્યા. અને બન્ને શિષ્યોને બોલાવી –બન્નેને એકએક ફળ આપ્યું.અને કહ્યું-એવી જગ્યાએ આ ફળ ખાજો કે કોઈ તમને ફળ ખાતાં જુએ નહિ.