નારદજી –ધર્મરાજાને પ્રહલાદની આ પવિત્ર કથા સંભળાવે છે.નારદજીએ પ્રેમપૂર્વક પ્રહલાદની કથા કહી-તેમ છતાં ધર્મરાજાના મુખ પર તેમણે ગ્લાનિ (દુઃખ) જોઈ.નારદજીએ ધર્મરાજાને કારણ પૂછ્યું.ધર્મરાજા જવાબ આપે છે-કે-માત્ર પાંચ વર્ષના પ્રહલાદના જ્ઞાન,વૈરાગ્ય,પ્રેમ કેવા હતા !! ધન્ય છે પ્રહલાદને,ધન્ય છે તેના પ્રેમને-કે જેનું વચન સત્ય કરવા પ્રભુ સ્તંભમાંથી પ્રગટ થયા છે.હું પંચાવન વર્ષનો થયો,મને હજુ એકવાર પણ પ્રભુના દર્શન થયાં નથી.
Feb 2, 2020
Feb 1, 2020
Jan 31, 2020
ભાગવત રહસ્ય-૧૭૫
નૃસિંહ ભગવાન પ્રહલાદને સમજાવે છે-કે-“મનુષ્યો સુખી થાય,વિવેકથી ભોગ ભોગવે –એટલે સંસારને મેં સુંદર બનાવ્યો છે.હું સુંદર છું –એટલે મેં બનાવેલો સંસાર પણ મારા જેવો સુંદર થઇ ગયો. એમાં મારો શું વાંક? એ મારી ભૂલ નથી,પણ મનુષ્ય સંસારમાં અતિશય આસક્ત થઇ, મર્યાદા બાજુએ મૂકી, વિવેક રાખતો નથી અને આ સંસારના પદાર્થો ભોગવે છે–અને દુઃખી થાય –તો તે તેમનો દોષ છે. ભૂલ છે.પણ મનુષ્ય જો મર્યાદામાં રહી, વિવેકથી જો સંસારના આ પદાર્થોને ભોગવે તો તે સુખી થાય.”
Subscribe to:
Comments (Atom)


