Feb 5, 2020

ભાગવત રહસ્ય-૧૮૦

આત્મા –અનાત્માનો વિવેક એ સર્વનો ધર્મ છે. વેદોની વાણી ગૂઢ હોય છે.
કોઈ અધિકારી પાસેથી તેનો સાચો અર્થ સમજવો જોઈએ.
એક ઉદાહરણ છે.એક શેઠે પોતાના ચોપડામાં લખી રાખેલું કે ગંગા-યમુનાની મધ્યમાં લાખ રૂપિયા રાખ્યા છે.છોકરાઓને એક વખત પૈસાની તાણ પડી.ચોપડામાં પિતાજીના હાથનું લખાણ વાંચે છે-પણ કંઈ સમજણ પડતી નથી.

Feb 4, 2020

ભાગવત રહસ્ય-૧૭૯

હવે મિશ્ર વાસનાનું પ્રકરણ શરુ થાય છે. 
૧૧ અધ્યાયથી ૧૫ અધ્યાય સુધી મિશ્ર વાસનાનું વર્ણન છે.
--મનુષ્યની મિશ્ર વાસના છે.-હું સુખ ભોગવીશ અને વધે તો બીજાને આપીશ –તે મિશ્ર વાસના.--સંત ની સદવાસના છે-જાતે દુઃખ ભોગવી બીજાને સુખ આપવું-તે સદવાસના.--રાક્ષસોની અસદવાસના છે-કોઈ કારણ વગર બીજાને દુઃખ-ત્રાસ આપવો-તે અસદવાસના.

Feb 3, 2020

ભાગવત રહસ્ય-૧૭૮

ધર્મરાજાના રાજસૂય યજ્ઞમાં ભગવાન શ્રીકૃષ્ણ લોકોનાં એંઠાં પતરાવડા ઉપાડે છે.
હલકામાં હલકું કામ ભગવાન કરે છે.તેથી -લોકો એમ માને કે-જો પરમાત્મા હોય તો આવાં એંઠાં પતરાવડા ઉપાડે ? આ છે-ગીતાના ગાનાર શ્રીકૃષ્ણનો દિવ્ય કર્મયોગ.ફળ ઉપર કોઈ અધિકાર રાખ્યો નથી, ફળની કોઈ અપેક્ષા નથી,કોઈ સ્વાર્થ નથી,આશા નથી-છતાં કર્મ કરે છે.