Feb 9, 2020

ભાગવત રહસ્ય-૧૮૪

શુકદેવજી વર્ણન કરે છે-એક સમયે ઇન્દ્ર ફરવા નીકળ્યો. દુર્વાસા ઋષિ સામે મળ્યા.
દુર્વાસા વૈકુંઠલોકમાંથી પાછા આવતા હતા.તેમના હાથમાં પ્રભુએ આપેલી પ્રસાદીની માળા હતી.દુર્વાસાએ તે માળા ઇન્દ્રને આપી. ઇન્દ્ર એ ગુમાનમાં તે માળા હાથીની સૂંઢ પર ફેંકી દીધી.હાથીની સૂંઢ પરથી તે હાથીના પગ આગળ પડી અને હાથી તેને પગથી કચડવા લાગ્યો.દુર્વાસાને લાગ્યું-કે-ઇન્દ્રે મારું અને ફૂલમાં જે લક્ષ્મીજી છે –તેનું અપમાન કર્યું છે.
તેથી દુર્વાસાએ-ઇન્દ્રને શાપ આપ્યો છે-તું દરિદ્ર થઈશ.

Feb 8, 2020

ભાગવત રહસ્ય-૧૮૩

ગજેન્દ્ર બહુ અકળાયો ત્યારે તે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો.
પૂર્વજન્મ માં એણે જે મંત્રનો જપ કરેલો તે આ જન્મમાં યાદ આવે છે.
(ગજેન્દ્રની સ્તુતિનો બહુ મોટો મહિમા છે. સંસારી લોકોએ ગજેન્દ્રની સ્તુતિ નિત્ય કરવી જોઈએ.) “કાળ મને પકડવા આવ્યો છે.નાથ તમારે શરણે છું.” 
“દેવતા અને ઋષિ પણ જેના સ્વરૂપને જાણતા નથી,તો બીજા સાધારણ જીવ 
તો તમને કેમ જાણી શકે ?  તમારું વર્ણન કેમ કરી શકે ? 

Feb 7, 2020

ભાગવત રહસ્ય-૧૮૨ -સ્કંધ-૮

સ્કંધ-૮-(આઠમો) સાતમા સ્કંધમાં વાસનાની કથા કહી.પ્રહલાદની સદવાસના, મનુષ્યની મિશ્ર વાસના અને હિરણ્યકશિપુની અસદવાસના.
આ આઠમાં સ્કંધ માં વાસનાના વિનાશ કરવા માટે ચાર ઉપાયો બતાવ્યા છે
--સતત હરિસ્મરણ.હૃદયમાં હંમેશ રામ હોય ત્યાં કામ (વાસના) આવી શકે નહિ.
--પોતાની પાસે જે ધન-મિલકત વગેરે જે બધું જ છે-તે ઈશ્વરનું છે-તેમ માનો.
જીવ લક્ષ્મીનો માલિક થઇ શકે નહિ. લક્ષ્મીનો માલિક એક માત્ર ઈશ્વર છે.જીવ એ લક્ષ્મીનો દીકરો છે. બાળક થવામાં જે મજા છે-તે ધણી થવામાં નથી.