શુકદેવજી વર્ણન કરે છે-એક સમયે ઇન્દ્ર ફરવા નીકળ્યો. દુર્વાસા ઋષિ સામે મળ્યા.
દુર્વાસા વૈકુંઠલોકમાંથી પાછા આવતા હતા.તેમના હાથમાં પ્રભુએ આપેલી પ્રસાદીની માળા હતી.દુર્વાસાએ તે માળા ઇન્દ્રને આપી. ઇન્દ્ર એ ગુમાનમાં તે માળા હાથીની સૂંઢ પર ફેંકી દીધી.હાથીની સૂંઢ પરથી તે હાથીના પગ આગળ પડી અને હાથી તેને પગથી કચડવા લાગ્યો.દુર્વાસાને લાગ્યું-કે-ઇન્દ્રે મારું અને ફૂલમાં જે લક્ષ્મીજી છે –તેનું અપમાન કર્યું છે.
તેથી દુર્વાસાએ-ઇન્દ્રને શાપ આપ્યો છે-તું દરિદ્ર થઈશ.
સ્કંધ-૮-(આઠમો) સાતમા સ્કંધમાં વાસનાની કથા કહી.પ્રહલાદની સદવાસના, મનુષ્યની મિશ્ર વાસના અને હિરણ્યકશિપુની અસદવાસના.
આ આઠમાં સ્કંધ માં વાસનાના વિનાશ કરવા માટે ચાર ઉપાયો બતાવ્યા છે
--સતત હરિસ્મરણ.હૃદયમાં હંમેશ રામ હોય ત્યાં કામ (વાસના) આવી શકે નહિ.
--પોતાની પાસે જે ધન-મિલકત વગેરે જે બધું જ છે-તે ઈશ્વરનું છે-તેમ માનો.
જીવ લક્ષ્મીનો માલિક થઇ શકે નહિ. લક્ષ્મીનો માલિક એક માત્ર ઈશ્વર છે.જીવ એ લક્ષ્મીનો દીકરો છે. બાળક થવામાં જે મજા છે-તે ધણી થવામાં નથી.