Feb 26, 2020

ભાગવત રહસ્ય-૨૦૧

બલિરાજાએ ધન આપ્યું,મન આપ્યું પણ જ્યાં સુધી –પોતાનું તન આપ્યું નથી.-
પોતાની જાતનું સમર્પણ કરતો નથી.- દાન આપ્યા પછી ભગવાનને નમતો નથી –
ત્યાં સુધી તે ભગવાનને ગમતો નથી.બલિરાજ ને સૂક્ષ્મ અભિમાન હતું કે –હું દાન આપું છું.મન માં થોડી ઠસક હતી કે મેં બધું આપી દીધું છે. હું મોટો દાનવીર છું.
સમર્પણ કર્યા પછી દૈન્યતા આવી નહિ.

Feb 25, 2020

ભાગવત રહસ્ય-૨૦૦

બલિરાજા અને વામનજીનું ચરિત્ર ની કથા પાછળનું રહસ્ય એવું છે –કે-
બલિરાજા એ જીવાત્મા છે-અને વામનજી એ પરમાત્મા છે.બલિરાજાના ગુરુ શુક્રાચાર્ય છે-એટલે કે જે શુક્રની સેવા કરે-જે સંયમી છે-જે પ્રત્યેક ઇન્દ્રિયથી બ્રહ્મચર્યનું પાલન કરે છે-તેને કોઈ મારી શકતું નથી.
વામન ભગવાન પણ બલિરાજાને મારી શકતા નથી.
કંસ –વગેરેને માર્યા છે-પણ બલિરાજાને મારતા નથી.

Feb 24, 2020

ભાગવત રહસ્ય-૧૯૯

ગીતાજીનો આરંભ-ધર્મ-શબ્દથી કર્યો છે.અને અંત –મમ-શબ્દથી કર્યો છે.
આ બે શબ્દો ની મધ્યમાં ગીતા છે.
મમ-એટલે મારું- મારુ શું ? તો મમ-ધર્મ-એટલે-મારો એક માત્ર ધર્મ જ છે.
અહીં ધર્મ એટલે સત્કર્મ- મારે હાથે જેટલું સત્કર્મ થયું એટલું જ મારું છે.શરીર પણ મારું નથી.અર્જુને ભગવાનને કહ્યું-હું તમારો છું-તમારી શરણે આવ્યો છું.તો તેને ભગવાને અપનાવવો પડ્યો.અને પ્રેમથી વશ થઇ - તેનો રથ હાંકવો પડ્યો.