મનુ મહારાજને ત્યાં,ઇક્ષ્વાકુ નામનો પુત્ર થયો. તેના વંશ માં માંધાતા થયો.
માંધાતા રાજાની પચાસ કન્યાઓનું લગ્ન સૌભરીઋષિ સાથે થયેલું.
સૌભરી તપશ્ચર્યા કરતા હતા.તે સિદ્ધ થયા –એટલે લોકોની બહુ ભીડ થવા માંડી.
બહુ જનસંઘ એકત્ર થાય એટલે ભજનમાં ભંગ થાય છે,સૌભરી વિચારે છે-કે –હું ક્યાં જાઉં ? છેવટે સૌભરી યમુનાજીના ધરામાં પ્રવેશી તપશ્ચર્યા કરે છે.
દુર્વાસા, અંબરીશ રાજાને કહે છે-કે-“રાજા મારી ભૂલ થઇ છે” દુર્વાસા,વંદન કરવા જાય છે.ત્યાં અંબરીશ કહે છે-કે-ના,ના,મહારાજ આપ બ્રાહ્મણ અને હું ક્ષત્રિય,તમે મને વંદન કરો તે શોભે નહિ.અંબરીશ રાજા ,દુર્વાસાને વંદન કરે છે.ભગવાનના લાડીલા ભક્તો ગમે તે થાય પણ મર્યાદા છોડતા નથી.દુર્વાસા કહે છે-રાજન તું વાતો કરે છે,પણ સુદર્શન ચક્રને કંઈ કહેતો નથી,તે મને બાળે છે.અંબરીશ,સુદર્શન ચક્રને કહે છે,-કે-શાંત થઇ જાવ.આજ દિન સુધી મેં જે કોઈ દાન કર્યું હોય,યજ્ઞ કર્યો હોય,સર્વની સેવા કરી હોય,તે પુણ્યપ્રતાપે તમારો વેગ શાંત થાય. સુદર્શન ચક્ર શાંત થયું છે.
અંબરીશ રાજા –દુર્વાસાને કહે છે-કે-તેરસ પહેલાં પારણાં કરવાનું મારું વ્રત છે,માટે જલ્દી પધારજો.દુર્વાસા સંધ્યાપૂજા કરવા ગયા છે.જમનાજીના કિનારે આવી,
સ્નાનવિધિ પતાવી અને પૂજામાં એવા તન્મય થયા છે-કે-સમયનું ભાન રહ્યું નથી. દુર્વાસાએ જાણી જોઈને વિલંબ કર્યો નથી.આ બાજુ અંબરીશ ચિંતામાં છે,
બ્રાહ્મણને જમવાનું આમંત્રણ આપ્યું છે,બ્રાહ્મણને જમાડ્યા પહેલાં જમાય નહિ,