દશરથને વંદન કરી રામજી કૌશલ્યા મા ને વંદન કરવા આવ્યા છે.
કૌશલ્યાએ બધું સાંભળ્યું-પણ ધીરજ ધારણ કરીને બોલ્યાં-બેટા,ભરત રાજા બને અને તું વનમાં જાય તેમાં કોઈ વાંધો નથી, કૈકેયીના મનમાં ભલે વિષમતા હોય-પણ મારા મનમાં કોઈ વિષમતા નથી, મને ચિંતા એક જ છે-કે-તારા વિના તારા પિતાનું શું થશે ?
ભરતનું અને અયોધ્યાનું શું થશે ?તારો વિયોગ ભરતથી સહન થશે નહિ.બેટા, હું તારી સાથે આવું,પણ પતિવ્રતાનો ધર્મ મને ના પડે છે.વનદેવ અને વનદેવી તારું રક્ષણ કરશે.
કૌશલ્યાએ બધું સાંભળ્યું-પણ ધીરજ ધારણ કરીને બોલ્યાં-બેટા,ભરત રાજા બને અને તું વનમાં જાય તેમાં કોઈ વાંધો નથી, કૈકેયીના મનમાં ભલે વિષમતા હોય-પણ મારા મનમાં કોઈ વિષમતા નથી, મને ચિંતા એક જ છે-કે-તારા વિના તારા પિતાનું શું થશે ?
ભરતનું અને અયોધ્યાનું શું થશે ?તારો વિયોગ ભરતથી સહન થશે નહિ.બેટા, હું તારી સાથે આવું,પણ પતિવ્રતાનો ધર્મ મને ના પડે છે.વનદેવ અને વનદેવી તારું રક્ષણ કરશે.
