રામની આસ પાસ ઘણા બધા લોકો એકત્ર થયા છે અને ચર્ચા ચાલે જાય છે, ભરત આજ્ઞા માગે છે.રામજીએ છેલ્લો નિર્ણય જાહેર કર્યો-કે-ભરત આજ સુધી મેં તને કદી નારાજ કર્યો નથી પણ આજે મારે તને નારાજ કરવો જ પડશે.પિતાજીની આજ્ઞાનું પાલન કરવું તે મારો અને તારો બંનેનો ધર્મ છે.પિતાજીની બંને આજ્ઞાનું પાલન કરવાનું જ છે.પહેલી આજ્ઞા તારે પાળવાની છે અને બીજી આજ્ઞા મારે પાળવાની છે. તારે ચૌદ વર્ષ રાજ્ય કરવાનું છે-અને મારે ચૌદ વર્ષ વનમાં રહેવાનું છે.
Apr 20, 2020
Apr 19, 2020
ભાગવત રહસ્ય -૨૫૦
રામજીએ પિતાજીના મૃત્યુના સમાચાર સાંભળી –પછી પિતાજીનું શ્રાદ્ધ કર્યું છે.
રામજીએ ચૌદ વર્ષ કંદમૂળનું સેવન કર્યું છે,અનાજ ખાધું નથી તેથી ફળનું પિંડદાન કર્યું છે.શ્રાદ્ધમાં શ્રદ્ધા પ્રધાન છે. મોટે ભાગે વાસના રાખીને જીવ,શરીર છોડે છે.જે વિકાર-વાસના સાથે મરે તેની પાછળ શ્રાદ્ધ કરવાની ખાસ જરૂર છે,પણ જે નિર્વાસન (વાસના વગરનો) થઇ ને મરે તેની પાછળ શ્રાદ્ધ -ના થાય તો પણ વાંધો નથી, તેનું શ્રાદ્ધ ના થાય તો પણ તેની સદગતિ થાય છે.દશરથ મહારાજ પાછળ પિંડદાન કરવાની જરૂર નથી,તેઓ છેલ્લા શ્વાસ સુધી રામજીનું સ્મરણ કરતા હતા.પણ જગતને આદર્શ બતાવવા –શ્રાદ્ધ કર્યું છે.
રામજીએ ચૌદ વર્ષ કંદમૂળનું સેવન કર્યું છે,અનાજ ખાધું નથી તેથી ફળનું પિંડદાન કર્યું છે.શ્રાદ્ધમાં શ્રદ્ધા પ્રધાન છે. મોટે ભાગે વાસના રાખીને જીવ,શરીર છોડે છે.જે વિકાર-વાસના સાથે મરે તેની પાછળ શ્રાદ્ધ કરવાની ખાસ જરૂર છે,પણ જે નિર્વાસન (વાસના વગરનો) થઇ ને મરે તેની પાછળ શ્રાદ્ધ -ના થાય તો પણ વાંધો નથી, તેનું શ્રાદ્ધ ના થાય તો પણ તેની સદગતિ થાય છે.દશરથ મહારાજ પાછળ પિંડદાન કરવાની જરૂર નથી,તેઓ છેલ્લા શ્વાસ સુધી રામજીનું સ્મરણ કરતા હતા.પણ જગતને આદર્શ બતાવવા –શ્રાદ્ધ કર્યું છે.
Subscribe to:
Posts (Atom)