પુષ્પક વિમાન પ્રયાગ રાજ પાસે આવ્યું છે.ભરતજીએ આપેલી ચૌદ વર્ષની અવધિનો આજે છેલ્લો દિવસ છે.રામજી કહે છે-કે-ભરતજીને હું પરત આવું છું તેની ખબર નહિ પડે તો તે પ્રાણ ત્યાગ કરશે.હનુમાનજીને ભરતજીને ખબર આપવા સહુથી આગળ જવા માટે આજ્ઞા કરી છે.હનુમાનજી ભરત પાસે આવ્યા છે.ભરતજી રામજીની પાદુકાનું પૂજન કરી રામનામનો જાપ કરે છે.હનુમાનજી કહે છે-કે-ભરતજી,રામજી પધારે છે.
May 5, 2020
May 4, 2020
May 3, 2020
ભાગવત રહસ્ય -૨૬૩
વિભીષણ વાનરસેના પાસે આવ્યા છે.વિભીષણ વિચારે છે-કે- રામજી મને સ્વીકારશે કે નહિ ?રાવણનો ભાઈ માની મારો તિરસ્કાર કરશે તો? ના,ના,તેઓ તો અંતર્યામી છે,મારો શુદ્ધ ભાવ છે,તેઓ મને જરૂર અપનાવશે.સુગ્રીવે રામજી પાસે આવી સમાચાર આપ્યા કે-રાવણનો ભાઈ વિભીષણ આવ્યો છે,લાગે છે-કે-રાક્ષસોની આ માયા છે.અને તે આપણો ભેદ જાણવા આવ્યો હોય તેમ લાગે છે.
Subscribe to:
Comments (Atom)