Jun 1, 2020

ભાગવત રહસ્ય -૨૯૨

આ બાજુ ગોપીઓએ યશોદાને ત્યાં લાલાના પ્રાગટ્યના સમાચાર સાંભળ્યા,અને તેમને --લાલાના દર્શનની “આતુરતા “ જાગી છે--લાલાને “આપવા” ભેટો લઇને દોડી છે.ગોપીઓ કૃષ્ણદર્શન,માટે દોડે છે,જાણે નવધા ભક્તિ સાકાર રૂપ ધારણ કરી દોડતી ઈશ્વરને મળવા જાય છે.જયારે ગોપીઓ દોડતી લાલાને મળવા જાય છે,ત્યારે તેમના એક એક અંગને –જાણે પ્રભુના દર્શનની ઉતાવળ થઇ હોય તેવું લાગે છે.ઇન્દ્રિયોને જાણે વાચા ફૂટી છે.(ઇન્દ્રિયો બોલે છે)

May 31, 2020

ભાગવત રહસ્ય -૨૯૧

નંદબાબાને બાલકૃષ્ણની ઝાંખી થઇ છે,અને તે સ્તબ્ધ થઇ ગયા છે,નંદજી ને લાગ્યું કે -“જે બાળક સ્વપ્નમાં મેં જોયેલો તે આ જ બાળક છે” બાલકૃષ્ણ નંદબાબાને કહે છે, “બાબા તમે ગાયોની ચિંતા ના કરો,હું ગાયોની સેવા કરવા આવ્યો છું.” સ્તબ્ધતામાં નંદબાબાને દેહનું ભાન રહ્યું નથી,બાલકૃષ્ણના દર્શન કરતાં તે જડ જેવા થઇ ગયા છે.તેમને યાદ આવતું નથી કે-“ હું સૂતો છું કે જાગું છે ?કે હજુ હું સ્વપ્નમાં તો નથી ને ?”

May 30, 2020

ભાગવત રહસ્ય -૨૯૦

વસુદેવ ગોકુળમાં આવ્યા છે,યોગમાયાના પ્રભાવથી,સર્વ સૂતાં છે.ગોકુલમાં આવી-વસુદેવે શ્રીકૃષ્ણને યશોદા પાસે મૂકી અને યોગમાયાને લઇ પાછા ફર્યા.માર્ગમાં વસુદેવજી મનમાં વિચારે છે-કે-હજુ મારું પ્રારબ્ધ બાકી છે, એટલે પરમાત્માને આપી ને હું માયાને લઇને પાછો જાઉં છું.વસુદેવ યોગમાયાને ટોપલીમાં લઈને કારાગૃહમાં પાછા આવ્યા છે.માયાને લઈને પાછા આવ્યા એટલે હાથપગમાં બેડીઓ આવી,કારાગૃહના દરવાજા બંધ થયા.ફરીથી બંધન આવ્યું. ભગવાનની આજ્ઞા થી વસુદેવે બંધન સ્વીકાર્યું છે.