Jun 2, 2020

ભાગવત રહસ્ય -૨૯૩

ગોપી,નૌલખો હાર અને લાલાની –સાદી વાર્તા પાછળનો સિદ્ધાંત દિવ્ય છે.
હાર,વસ્ત્રો,ચાંદીની થાળી વગરે લૌકિક સુખના પ્રતિક છે, જે લૌકિક સુખ ને છોડે,તેને લાલો મળે.જે લૌકિક સુખમાં આનંદ માને તેને પરમાનંદ મળતો નથી.
પરમાત્મા પરમાનંદનું સ્વ-રૂપ છે.જે આનંદ કાયમ માટે ટકે તેને પરમાનંદ કહે છે.
વિષયાનંદ એક-બે ક્ષણથી વધારે ટકતો નથી.

Jun 1, 2020

ભાગવત રહસ્ય -૨૯૨

આ બાજુ ગોપીઓએ યશોદાને ત્યાં લાલાના પ્રાગટ્યના સમાચાર સાંભળ્યા,અને તેમને --લાલાના દર્શનની “આતુરતા “ જાગી છે--લાલાને “આપવા” ભેટો લઇને દોડી છે.ગોપીઓ કૃષ્ણદર્શન,માટે દોડે છે,જાણે નવધા ભક્તિ સાકાર રૂપ ધારણ કરી દોડતી ઈશ્વરને મળવા જાય છે.જયારે ગોપીઓ દોડતી લાલાને મળવા જાય છે,ત્યારે તેમના એક એક અંગને –જાણે પ્રભુના દર્શનની ઉતાવળ થઇ હોય તેવું લાગે છે.ઇન્દ્રિયોને જાણે વાચા ફૂટી છે.(ઇન્દ્રિયો બોલે છે)

May 31, 2020

ભાગવત રહસ્ય -૨૯૧

નંદબાબાને બાલકૃષ્ણની ઝાંખી થઇ છે,અને તે સ્તબ્ધ થઇ ગયા છે,નંદજી ને લાગ્યું કે -“જે બાળક સ્વપ્નમાં મેં જોયેલો તે આ જ બાળક છે” બાલકૃષ્ણ નંદબાબાને કહે છે, “બાબા તમે ગાયોની ચિંતા ના કરો,હું ગાયોની સેવા કરવા આવ્યો છું.” સ્તબ્ધતામાં નંદબાબાને દેહનું ભાન રહ્યું નથી,બાલકૃષ્ણના દર્શન કરતાં તે જડ જેવા થઇ ગયા છે.તેમને યાદ આવતું નથી કે-“ હું સૂતો છું કે જાગું છે ?કે હજુ હું સ્વપ્નમાં તો નથી ને ?”