Jun 5, 2020

ભાગવત રહસ્ય -૨૯૬

સનાતન ધર્મ માં “દેવો” અનેક છે,પરંતુ ઈશ્વર (પરમાત્મા) “એક” જ છે.
પરમાત્માના જે પણ “દેવ” સ્વ-રૂપમાં પ્રેમ હોય તેનું “ધ્યાન” કરવાનું કહેલું છે.
ભાગવતમાં ભક્તિ માટે આગ્રહ છે-પણ દુરાગ્રહ નથી.ભક્તિમાં દુરાગ્રહ આવે તો ભક્તિ છિન્ન-ભિન્ન થાય છે.પરમાત્માના કોઈ પણ “એક” સ્વરૂપનું મન જયારે -વારંવાર ચિંતન કરે એટલે મન ત્યાં ચોંટી જાય છે.અને તેથી મનની શક્તિ વધે છે.

Jun 4, 2020

ભાગવત રહસ્ય -૨૯૫

મહાપ્રભુજી કહે છે-કે-મથુરા અને મધુરા એક જ છે.મધુરાધિપતે અખિલમ મધુરમ. 
મધુ=મધ અને રા=રક્ષણ કરે છે. એટલે મધથી શરીરનું રક્ષણ કરે છે-તે.
મધથી માનવ શરીરને- જે-મનુષ્ય- સાચવે તેનું શરીર મથુરા (મધુરા) બને છે.
મધ બે જગ્યાએ છે.કામસુખ ને સંપત્તિમાં. આ બે વસ્તુમાં મન ફસાયેલું છે.
શરીર હંમેશને માટે કોઈનું સારું રહેતું નથી,શરીરને તો-ક્ષય રોગ લાગુ પડ્યો છે.”શીર્યતે ઇતિ શરીરમ” એટલે ભલે બીજું બધું બગડે પણ મન ના બગડે તેની કાળજી રાખવાની છે.

Jun 3, 2020

ભાગવત રહસ્ય -૨૯૪

લોકો વર્ષમાં એકવાર નંદમહોત્સવ કરે છે,પણ,નંદમહોત્સવ તો રોજ કરવો જોઈએ.નંદ મહોત્સવ રોજ સવારે ચારથી સાડા પાંચ વચ્ચે કરવો જોઈએ.
બ્રાહ્મમુહૂર્તનો આ સમય બહુ પવિત્ર હોય છે.આપણા શાસ્ત્રમાં લખ્યું છે-કે-
રાતે દશ વાગ્યા પછી,રાક્ષસો જાગે છે-અને-સવારે ચાર વાગે સૂઈ જાય છે.
રાક્ષસો ને શું બે શીંગડા હોતાં હશે ?ના,તેવું નથી –પણ-સવારે ચાર વાગ્યા પછી પથારીમાં સૂઈ રહે તે જ રાક્ષસ છે.