આ બાજુ બાલકૃષ્ણલાલને ખબર પડી કે-શંકરજી આવ્યા છે –પણ મા બહાર કાઢતી નથી.....બહાર નીકળવા માટે ટે જોરથી રડવા લાગ્યા. હજાર વાનાં કર્યા છતાં લાલો શાંત થતો નથી.રડતાં રડતાં કનૈયો હાથ ઉંચા કરીને બતાવે છે-કે મારે બહાર જવું છે,પણ મા,બહાર લઈ જતી નથી.ગોપીઓ દોડતી દોડતી આવી છે,ત્રણ ચાર દિવસમાં તો બિલકુલ રડ્યો નથી,પણ આજે લાલાને થાય છે શું ?
Jun 10, 2020
Jun 9, 2020
ભાગવત રહસ્ય -૩૦૦
શિવજી મહારાજ સાધુના સ્વરૂપે લાલાજીના દર્શન કરવા યશોદાના આંગણામાં પધાર્યા છે.લોકો એમને જોઈને કહે છે-કે આ સાધારણ સાધુ લાગતો નથી,આ તો શિવજી જેવો લાગે છે.શિવજી સાધુનો વેશ લઇ સ્વ-રૂપ છુપાવે પણ શિવજીનું તેજ જાય ક્યાં ? યશોદાજી નો નિયમ હતો કે રોજ સાધુ-બ્રાહ્મણને જમાડી (ભિક્ષા આપીને) ને જમવું.દાસી મારફતે થાળીમાં ભિક્ષા (ભોજન)-શિવજીને મોકલાવી છે. દાસી શિવજી પાસે આવીને કહે છે-કે-યશોદાજીએ આ ભિક્ષા મોકલવી છે,આપ સ્વીકાર કરો અને લાલાને આશીર્વાદ આપો.
Jun 8, 2020
ભાગવત રહસ્ય -૨૯૯
ઉકરડામાં અત્તરની સુવાસ આવી શકે જ નહિ.આખો દિવસ સંસારની પ્રવૃત્તિમાં ફસાયેલો રહે તેને આનંદ મળતો નથી.રોજ થોડો સમય થોડી નિવૃત્તિ પણ લેવી જોઈએ.નિવૃત્તિનો આનંદ લેવો હોય તો –છેવટે મનથી પણ થોડો સમય પ્રવૃત્તિનો ત્યાગ કરવો જોઈએ.શરીરમાં શક્તિ હોય –ત્યારે વિવેકથી પ્રવૃત્તિ ઓછી કરવી જોઈએ,અથવા પ્રવૃત્તિ છોડવી જોઈએ.અતિ પ્રવૃત્તિ અને ભક્તિને વિરોધ છે.
Subscribe to:
Posts (Atom)