Jun 22, 2020

ભાગવત રહસ્ય -૩૧૨

ગરીબની પૂજા કરવી અને મદદ કરવી –એ બેમાં અંતર છે.મદદ કરવાથી “હું” વધી જાય તો તે દાન કશા કામનું નથી.દાન આપ્યા પછી,જો અભિમાન મરે,દીનતા આવે તો દાન સફળ થાય છે.ગરીબમાં રહેલા ઇશ્વરની પૂજા કરવાની છે.પૂજા ના થાય તો 
છેવટે મનથી પૂજા કરી બે હાથ જોડવાના છે,અને દાન લીધા માટે આભાર માનવાનો છે.ગરીબ ને દાન આપશો તો તે આભાર માનશે,પણ તેની મનથી પૂજા કરો અને તેનો આભાર માનો તો-તે આશીર્વાદ આપે છે.પરમાત્માની પૂજા ખાલી મંદિરમાં જ થાય તેવું નથી.બીજી અનેક રીતે થાય છે.

Jun 21, 2020

ભાગવત રહસ્ય -૩૧૧

ગોપીઓ સૂતેલા બાલકૃષ્ણલાલ ને જોતાં ધરાતી નથી.અને લાલાની ઝાંખી કરતાં તેના-એક એક અંગના વખાણ કરે છે.તે ગોપીઓના ઉદગારો કંઈક આવા છે.........
“અરી સખી,કનૈયો સૂતો હોય ત્યારે તેની ઝાંખી અલૌકિક લાગે છે”
“લાલા ના વાંકડિયા વાળ તો જો, કેટલા સુંદર લાગે છે”
“લાલા નું વક્ષ-સ્થળ કેટલું વિશાળ છે, તે બહુ બળવાન થશે”
“મને તો લાલા ના ચરણ બહુ ગમે છે,ચરણ ના તળિયાં કેવાં લાલ છે,તેમાં ધ્વજ-અંકુશ નું નિશાન સ્પષ્ટ દેખાય છે.તેને પખાળવાનું મન થાય છે”

Jun 20, 2020

ભાગવત રહસ્ય -૩૧૦

શ્રી કૃષ્ણના “કાલ્પનિક સ્વ-રૂપ” નું મનથી ચિંતન કરતાં કરતાં પ્રાણત્યાગ કરનાર યોગીને મુક્તિ મળે છે,ત્યારે સાક્ષાત પરમાત્માનાં દર્શન કરનારને અને હૃદય પર ધારણ કરનારને (પૂતનાને) સદગતિ મળે તેમાં શું આશ્ચર્ય ? શ્રીકૃષ્ણ દયાળુ છે,પ્રભુના મારમાં પણ પ્યાર છે.જેને મારે છે-તેને તારે પણ છે.ઝેર આપનારને પણ માતાને આપવા યોગ્ય સદગતિ આપી છે.તો પ્રેમથી લાલાની કરે પૂજા કરે તેને લાલો શું ના આપે ?