Jul 6, 2020

ભાગવત રહસ્ય -૩૨૪

બાલકૃષ્ણ ધીરે ધીરે મોટા થયા છે.ત્રણ વર્ષ પૂરાં થયા અને ચોથું બેઠું છે.
મનસુખ,મધુમંગલ,શ્રીદામા –વગેરે મિત્રો સાથે રમવા જાય છે.કેટલાક ગરીબ ગોવાળ ના છોકરા બહુ દુર્બળ હતા.કનૈયો કહે છે-મનસુખ તું બહુ દુબળો છે,આવો દુર્બળ મિત્ર મને ગમે નહિ,તું મારા જેવો તગડો થા.મનસુખ રડવા લાગ્યો,કહે છે-કે- તું તો રાજા નો દીકરો છે,તારી મા તને રોજ માખણ ખવડાવતી હશે,કનૈયા અમે ગરીબ છીએ,માખણ ક્યાંથી ખાઈ શકીએ? લાલા,મને તો દૂધ પણ મળતું નથી,મારે તો છાશ પીવી પડે છે,મને પણ કોઈ માખણ ખવડાવે તો તારા જેવો તગડો થાઉં.

Jul 3, 2020

ભાગવત રહસ્ય -૩૨૩

એ દૃશ્યની કલ્પના કરવા જેવી છે,હમણાં સુધી વૈશ્યના છોકરા ના (કૃષ્ણના) ખીરને અડી જવાથી જે,ગર્ગાચાર્ય- નવી રસોઈ બનાવે છે, તે જ બ્રાહ્મણ અત્યારે લાલાના હાથ થી કોળિયો લઇ રહ્યા છે.બીજી બાજુ યશોદા મા જાગ્યાં,જોયું,તો -લાલો ગોદમાં ના મળે,એકદમ હાંફળા-થઇ ગયા ને વિચારે છે-કે-લાલો ગયો ક્યાં ? જુએ છે તો,કનૈયો ગર્ગાચાર્યની ગોદમાં બેઠેલો છે,મહારાજ હાથ જોડી ને બેઠા છે,અને કનૈયો મહારાજને ખીર ખવડાવે છે.

Jul 2, 2020

ભાગવત રહસ્ય -૩૨૨

યશોદા મા હવે ગર્ગાચાર્યને કહે છે-કે-નાદાન છોકરો છે,તેને અક્કલ નથી,બાળક છે,
ભૂલ થઇ છે,તમે ક્ષમા કરો.ગર્ગાચાર્ય કહે છે-કે ક્ષમા તો કરું પણ આ ખીર મારાથી કેવી રીતે ખવાશે ?ફરીથી ખીર બનાવવી પડશે.યશોદા મા કહે છે-કે- મહારાજ તમે ફરીથી ખીર બનાવો.યશોદાજીનો પ્રેમ એવો હતો કે-મહારાજ ફરી રસોઈ કરવા તૈયાર થયા છે,મહારાજે ઘડો ઉઠાવ્યો,અને યમુનાજી માં ફરીથી સ્નાન કરવા ગયા છે.