Aug 17, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-2-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-2

ભાગવત રહસ્ય -૩૬૩

પાપ અને સાપ સરખાં છે.સાપ કરડે કે તરત જ જે અંગ પર સાપ કરડ્યો હોય તે આંગળી અથવા અંગ કાપી નાખવામાં આવે તો ઝેર શરીરમાં પ્રસરતું નથી અને બચી જવાય છે. તે જ પ્રમાણે પાપનો વિચાર મનમાં આવે તે જ ક્ષણે તેને કાપી નાખવામાં આવે તો પાપમાંથી બચી જવાય છે.જો પાપ થોડો સમય પણ મનમાં ઘર કરે તો પછી તેને અટકાવવું મુશ્કેલ છે.

Aug 16, 2020

ભાગવત રહસ્ય -૩૬૨

એક વખતે શ્રીહરિ ગોપબાળકો સાથે જમુના કિનારે વનમાં વાછરડાં ચરાવવા આવ્યા.અને જમુના કિનારે તેઓ બાળમિત્રો સાથે જાતજાતની રમતો રમવા લાગ્યા.
આ ગોપ-બાળો પણ કેવા બડભાગી છે? તેમના ભાગ્ય નું કોણ વર્ણન કરી શકે ?જેનાં દર્શન યોગીઓ ને પણ દુર્લભ છે,તે પરબ્રહ્મ પરમાત્મા સાથે તેઓ રમી રહ્યા છે !!!!
શ્રીકૃષ્ણ બાળમિત્રો સાથે રમી રહ્યા હતા તેવે વખતે “અઘાસુર” નામનો રાક્ષસ મોટા અજગરનું રૂપ લઇને સર્વને ગળી જવાની ઈચ્છાથી માર્ગમાં આવી,મોઢું ફાડીને બેઠો છે.અઘાસુરનું મુખ પર્વતની ગુફા જેવું લાગે છે.જે જોઈને-