Aug 20, 2020

ભાગવત રહસ્ય -૩૬૬

મધુમંગલ જુએ છે કે-બીજાં બાળકો સુંદર સુંદર મીઠાઈઓ લઇ આવ્યા છે.એટલે છાશ ની હાંડલી લાલાને આપતાં તેને સંકોચ થયો છે.તે વિચારે છે કે-ઉત્તમમાં ઉત્તમ વસ્તુ જ લાલાને અપાય.આ છાશ આપું તે ઠીક નથી.આ છાશ કનૈયાને આપવા જેવી નથી.
કનૈયાને છાશ આપીશ તો આખો જન્મારો મારે છાશ પીવી પડશે.ખાટી છાશ પી ને કદાચ કનૈયો મારી મશ્કરી કરશે.આમ સમજી મધુમંગલ તે છાશ પી જવા લાગ્યો. તે જ વખતે શ્રીકૃષ્ણની નજર મધુમંગલ પર પડી.

Aug 19, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-3-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-3

ભાગવત રહસ્ય -૩૬૫

એક વાર ભજનમાં આનંદ મળી જાય પછી સંસારનો આનંદ ફિક્કો લાગે છે.આ જીવને ભજનમાં આનંદ મળતો નથી એટલે બીજે આનંદ ખોળવા જાય છે.પતિ શાંડિલ્યઋષિ ભોજન કરતા નથી એટલે પત્ની પૂર્ણમાસી પણ ફળાહારથી ચલાવી લે છે.ઘરમાં એક છોકરો મધુમંગલ છે,હજુ નાનો છે,જનોઈ આપી નથી એટલે નંદબાબાને ઘેર જમવા જાય છે.યશોદાજી વૈશ્ય છે એટલે શાંડિલ્યઋષિને કહેલું કે જનોઈ ના આપો ત્યાં સુધી મધુમંગલ ભલે અમારે ત્યાં જમે.ગોરનો દીકરો એટલે યશોદા મા મધુમંગલને માનથી અને પ્રેમથી જમાડે છે.