Aug 23, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-6-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-6

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-5-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-5

ભાગવત રહસ્ય -૩૬૯

બ્રહ્માજી વિચારે છે-કે આ બધું છે શું ? મારા જ ઘરમાં મને નકલી બ્રહ્મા કહીને મારા જ નોકરો મને મારે છે !!! મારા ઘરમાં છે કોણ ? બ્રહ્માજીએ આંખ બંધ કરીને (ધ્યાનમાં) જોયું તો-ગાદી પર શ્રીકૃષ્ણ લાલજી આરામથી વિરાજ્યા છે.આજુ બાજુ સર્વ ગોપબાળકો અને વાછડાં છે.બ્રહ્માજી ને પોતાની ભૂલ સમજાઈ.બ્રહ્માજીને ખાત્રી થઇ કે- શ્રીકૃષ્ણ સાધારણ દેવ નથી પણ સર્વ દેવોના પણ દેવ છે.બ્રહ્માજી વિચારે છે કે-
“મારા નારાયણ જ શ્રીકૃષ્ણ બન્યા છે. તેમની પરીક્ષા લેવા જતાં મારી જ પરીક્ષા થઇ ગઈ. મેં પ્રભુનો અપરાધ કર્યો છે,તેમના ભોજનમાં ભંગ કર્યો છે.એટલે હું હવે તેમની ક્ષમા માંગીશ”