Aug 24, 2020

ભાગવત રહસ્ય -૩૭૦

એક દિવસ કનૈયો મા ને કહે છે કે-મા હું મોટો થયો,મા હું હવે ગાયોને ચરાવવા લઇ જાઉં ? યશોદાજી લાલાને સમજાવે છે કે-બેટા, હજી તું નાનો છે,જરા મોટો થા પછી સારું મુહૂર્ત જોઈને ગોપાળ બનાવીશ. તે વખતે શાંડિલ્ય ઋષિ આવ્યા છે,યશોદાએ તેમને પૂછ્યું કે-લાલાના જન્માક્ષર જોઈ ને તેને ગોપાળ બનાવવાનું મુહૂર્ત જોઈ આપો.
કાર્તિક માસ શુક્લપક્ષ અષ્ટમી તિથીના દિવસે કનૈયો ગોપાળ થાય છે.કનૈયાને તે દિવસે બહુ ઉતાવળ થાય છે,આગલા દિવસે લાલાને ઊંઘ આવતી નથી.