Aug 25, 2020

ભાગવત રહસ્ય -૩૭૧

મહાત્માઓ કહે છે-કે-ગોકુળમાં હતા ત્યાં સુધી શ્રીકૃષ્ણે ચાર પ્રતિજ્ઞાઓ પાળી છે.
(૧) સીવેલાં કપડાં પહેર્યા નથી.ગોપ-બાળકો ગરીબ હતાં. મિત્રો સારાં કપડાં પહેરે નહિ એટલે શ્રીકૃષ્ણ પણ વિચારે છે કે -”મારા મિત્રોને સારાં કપડાં પહેરાવી હું સીવેલાં કપડાં પહેરીશ.(૨) ગોકુળ માં હતા ત્યાં સુધી હાથમાં અસ્ત્ર-શસ્ત્ર લીધું નથી.એક હાથમાં બંસી અને બીજા હાથમાં માખણ.કનૈયો ગોકુળમાં વાંસળીથી ઘાયલ કરે છે.(૩) અગિયાર વર્ષ સુધી માથાના વાળ ઉતરાવ્યા નથી.વ્રજના બાલકૃષ્ણ અલૌકિક છે.પ્રેમની મૂર્તિ છે.(૪) ગોકુળમાં પગમાં પગરખા પહેર્યા નથી.

Aug 24, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-7-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-7

ભાગવત રહસ્ય -૩૭૦

એક દિવસ કનૈયો મા ને કહે છે કે-મા હું મોટો થયો,મા હું હવે ગાયોને ચરાવવા લઇ જાઉં ? યશોદાજી લાલાને સમજાવે છે કે-બેટા, હજી તું નાનો છે,જરા મોટો થા પછી સારું મુહૂર્ત જોઈને ગોપાળ બનાવીશ. તે વખતે શાંડિલ્ય ઋષિ આવ્યા છે,યશોદાએ તેમને પૂછ્યું કે-લાલાના જન્માક્ષર જોઈ ને તેને ગોપાળ બનાવવાનું મુહૂર્ત જોઈ આપો.
કાર્તિક માસ શુક્લપક્ષ અષ્ટમી તિથીના દિવસે કનૈયો ગોપાળ થાય છે.કનૈયાને તે દિવસે બહુ ઉતાવળ થાય છે,આગલા દિવસે લાલાને ઊંઘ આવતી નથી.