Aug 26, 2020

ભાગવત રહસ્ય -૩૭૨

એક વખત પ્રભુએ નિશ્ચય કર્યો કે કાલિયનાગનો હવે હું ઉદ્ધાર કરીશ.
બાળમિત્રોને લઇને તે કાલિયનાગ જે ધરામાં રહેતો હતો તે જગ્યાએ આવીને રમવા લાગ્યા.રમતાં રમતાં દડો તે ધરામાં પડ્યો.કનૈયો તે દડો લેવા જવા તૈયાર થયો.બાળમિત્રો કહે છે-કનૈયા,આ ધરા માં ઝેરી નાગ રહે છે,આ ધરાનું પાણી ઝેરી છે,તે પાણી કોઈ પીતું નથી.ઝેરી નાગ છે એટલે તું તેમાં દડો લેવા ના જા.
પણ શ્રીકૃષ્ણ કદંબ ના ઝાડ પર ચઢ્યા અને તે ધરામાં ભૂસકો માર્યો.

Aug 25, 2020

ભાગવત રહસ્ય -૩૭૧

મહાત્માઓ કહે છે-કે-ગોકુળમાં હતા ત્યાં સુધી શ્રીકૃષ્ણે ચાર પ્રતિજ્ઞાઓ પાળી છે.
(૧) સીવેલાં કપડાં પહેર્યા નથી.ગોપ-બાળકો ગરીબ હતાં. મિત્રો સારાં કપડાં પહેરે નહિ એટલે શ્રીકૃષ્ણ પણ વિચારે છે કે -”મારા મિત્રોને સારાં કપડાં પહેરાવી હું સીવેલાં કપડાં પહેરીશ.(૨) ગોકુળ માં હતા ત્યાં સુધી હાથમાં અસ્ત્ર-શસ્ત્ર લીધું નથી.એક હાથમાં બંસી અને બીજા હાથમાં માખણ.કનૈયો ગોકુળમાં વાંસળીથી ઘાયલ કરે છે.(૩) અગિયાર વર્ષ સુધી માથાના વાળ ઉતરાવ્યા નથી.વ્રજના બાલકૃષ્ણ અલૌકિક છે.પ્રેમની મૂર્તિ છે.(૪) ગોકુળમાં પગમાં પગરખા પહેર્યા નથી.