Aug 27, 2020

ભાગવત રહસ્ય -૩૭૩

ભક્તિ માં વિલાસિતા-વિલાસીપણું આવે તો ભક્તિનો નાશ થાય છે.
ભક્તિમાર્ગના આચાર્યો વલ્લભાચાર્યજી,રામાનુજાચાર્યજી,ચૈતન્ય મહાપ્રભુજી વગેરેમાં પરિપૂર્ણ વૈરાગ્ય હતો.તેથી જ તેઓ ભક્તિ કરી શક્યા.પૂર્ણ વૈરાગ્ય વગર ભક્તિ થઇ શકતી નથી.ભક્તિ એ તો જ્ઞાન વૈરાગ્યની જનની (મા) છે.
આ આચાર્યો એક એક વસ્ત્રભેર જગતમાં ફરતા.પણ પાછળથી ભક્તિમાર્ગમાં વિલાસી લોકો (કાલિય-નાગો) દાખલ થઇ ગયા ત્યારથી ભક્તિમાર્ગ બગડ્યો છે,બદનામ થયો છે,વગોવાયો છે.

Aug 26, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-8-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-8

ભાગવત રહસ્ય -૩૭૨

એક વખત પ્રભુએ નિશ્ચય કર્યો કે કાલિયનાગનો હવે હું ઉદ્ધાર કરીશ.
બાળમિત્રોને લઇને તે કાલિયનાગ જે ધરામાં રહેતો હતો તે જગ્યાએ આવીને રમવા લાગ્યા.રમતાં રમતાં દડો તે ધરામાં પડ્યો.કનૈયો તે દડો લેવા જવા તૈયાર થયો.બાળમિત્રો કહે છે-કનૈયા,આ ધરા માં ઝેરી નાગ રહે છે,આ ધરાનું પાણી ઝેરી છે,તે પાણી કોઈ પીતું નથી.ઝેરી નાગ છે એટલે તું તેમાં દડો લેવા ના જા.
પણ શ્રીકૃષ્ણ કદંબ ના ઝાડ પર ચઢ્યા અને તે ધરામાં ભૂસકો માર્યો.