Aug 29, 2020

ભાગવત રહસ્ય -૩૭૫

ગોપીઓના પ્રશ્નના જવાબમાં વાંસળી કહે છે કે-મેં બહુ તપશ્ચર્યા કરી છે,બહુ દુઃખ સહન કર્યું છે.મારા પર છ ઋતુઓના માર પડ્યા છે.મારું હૈયું પોલું છે.મારા હૈયામાં કશું નથી,છતાં લોકો એ મને કોતરી,મને સાત કાણાં પાડ્યાં તો પણ હું બોલી નહિ.હું મારી મેળે એકલી બોલતી નથી.ધણીની ઈચ્છા પ્રમાણે તેને જે બોલાવવું હોય તે બોલું છું.માલિકની ઈચ્છા પ્રમાણે સુર કાઢું છું.