Sep 12, 2020

ભાગવત રહસ્ય -૩૮૯

યશોદા મા નો પ્રશ્નનો જવાબ આપતાં કનૈયો કહે છે કે-મા હું તારો છું.હું તારો જ પુત્ર છું.યશોદા કહે છે કે-લોકોને શંકા થાય છે કે,નંદ-યશોદા ગોરા અને તું કાળો કેમ ?
કનૈયો કહે છે કે-મા,મારા જન્મ વખતે તો હું ગોરો જ હતો,પણ તેં ભૂલ કરી તેથી હું કાળો થયો.મારા જન્મ વખતે ચારે બાજુ અંધારું હતું,બધાં સૂતેલાં હતાં અને તું પણ સુતેલી હતી, હું આખી રાત અંધારામાં આળોટ્યા કર્યો,તેથી અંધારું મને વળગી ગયું,અને હું કાળો થયો.

Sep 11, 2020

ભાગવત રહસ્ય -૩૮૮

ટેકો લેવો હોય,આધાર લેવો હોય તો માત્ર ઈશ્વરનો જ લેવો,બીજા કોઈનો નહિ.
કનૈયાએ માત્ર સાત વર્ષ ની ઉંમરે ટચલી આંગળી પર ગિરિરાજને ધારણ કરીને પોતાની અલૌકિક દિવ્ય શક્તિ બતાવી છે.કનૈયાએ બીજા હાથમાં વાંસળી લઇને તેનો સુર છેડ્યો છે.એવી સુંદર વાંસળી વગાડી છે કે-ગોવર્ધનનાથ ડોલવા લાગ્યા છે,
વાંસળીના નાદબ્રહ્મમાં બધા વ્રજવાસીઓ એવા તન્મય થયા છે કે-વ્રજવાસીઓ સાત દિવસ સુધી દેહધર્મને ભૂલી ગયા છે.નથી કોઈને ભૂખ લાગતી કે નથી કોઈને તરસ લાગતી.