યશોદા મા નો પ્રશ્નનો જવાબ આપતાં કનૈયો કહે છે કે-મા હું તારો છું.હું તારો જ પુત્ર છું.યશોદા કહે છે કે-લોકોને શંકા થાય છે કે,નંદ-યશોદા ગોરા અને તું કાળો કેમ ?
કનૈયો કહે છે કે-મા,મારા જન્મ વખતે તો હું ગોરો જ હતો,પણ તેં ભૂલ કરી તેથી હું કાળો થયો.મારા જન્મ વખતે ચારે બાજુ અંધારું હતું,બધાં સૂતેલાં હતાં અને તું પણ સુતેલી હતી, હું આખી રાત અંધારામાં આળોટ્યા કર્યો,તેથી અંધારું મને વળગી ગયું,અને હું કાળો થયો.
કનૈયો કહે છે કે-મા,મારા જન્મ વખતે તો હું ગોરો જ હતો,પણ તેં ભૂલ કરી તેથી હું કાળો થયો.મારા જન્મ વખતે ચારે બાજુ અંધારું હતું,બધાં સૂતેલાં હતાં અને તું પણ સુતેલી હતી, હું આખી રાત અંધારામાં આળોટ્યા કર્યો,તેથી અંધારું મને વળગી ગયું,અને હું કાળો થયો.

