Sep 16, 2020

ભાગવત રહસ્ય -૩૯૩

સર્વનો આધાર એકમાત્ર ભગવાન જ હોવાથી,સર્વને ભગવાન તો મળેલા જ છે.
ભગવાનને ક્યાંય શોધવા જવાના નથી,પણ આ જે ભગવાન મળેલા છે તેનો અનુભવ કરવાનો છે.જે પ્રાપ્ય (મળેલું છે-જે ભગવાન મળેલા છે) તેની જ પ્રાપ્તિ કરવાની છે.
પ્રભુ નો સાક્ષાત્કાર થાય એટલે શું ભગવાન બહારથી આવે છે ? ના.....
આ જીવ માં જે ભગવાન છે (આત્મા) તેનો જ અનુભવ થાય છે.પણ જીવને અજ્ઞાનને લીધે,વાસનાને લીધે,અહમને લીધે તે પરમાત્માનો અનુભવ થતો નથી.

Sep 15, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-19-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-19

ભાગવત રહસ્ય -૩૯૨

વ્રજ ની કેટલીક કુમારિકાઓ (કુમારિકા ગોપીઓ) ગૌરીવ્રત કરે છે.પાંચ વર્ષની કન્યાને કુમારિકા કહે છે.ગોપી માટે અહીં કુમારિકા શબ્દ વાપર્યો છે.સારો પતિ મળે તે માટે આ કુમારિકાઓ ગૌરીવ્રત કરે છે.કુમારિકાઓ યમુના કિનારે આવે,રેતીમાંથી પાર્વતી ની મૂર્તિ બનાવે અને પાર્વતીમાની આરાધના કરે.જરા વિચાર કરવામાં આવે તો-સમજાશે કે-પાંચ વર્ષ ની કન્યા ને ખબર શું હોય ?- કે- પતિ એટલે શું ? અને લગ્ન એટલે શું ? પણ આ ઋષિરૂપા કુમારિકા-ગોપીઓ કામનો નાશ કરવા કાત્યાયની (પાર્વતી) દેવીની આરાધના કરે છે.