Sep 19, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-22-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-22


ભાગવત રહસ્ય -૩૯૬

આપણા શરીરમાં રુધિર,માંસ,હાડકાં છે.પણ શ્રીકૃષ્ણના “શ્રી અંગ”માં રુધિર માંસ નથી.તેમના શરીરમાં કેવળ આનંદ જ ભર્યો છે.શ્રીકૃષ્ણ આનંદ છે અને આનંદ શ્રીકૃષ્ણ છે.”નિરાકાર” આનંદ એ “નરાકાર” શ્રીકૃષ્ણનું સ્વરૂપ છે.આવા સ્વયં આનંદરૂપ અને આનંદથી ભરેલા શ્રીકૃષ્ણને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા થઇ શકે? કે આવા આનંદરૂપ શ્રીકૃષ્ણ શું મળ મૂત્રથી ભરેલા શરીર સાથે રાસ રમી શકે ? જે પરમાત્મા (શ્રીકૃષ્ણ) નું યોગીઓ (મહાત્માઓ) ધ્યાન કરે છે, તેવા મહાત્માઓ પણ જો –મળમૂત્ર થી ભરેલા શરીરથી દૂર રહેતા હોય તો,તે પરમાત્મા તેવા મળમૂત્રથી ભરેલા શરીરો સાથે કેવી રીતે રમી શકે ? જે ભગવાન માં માત્ર આનંદ ભરેલો છે તે ભગવાન આવાં “શરીરો “ ને અડકતા પણ નથી.