Sep 29, 2020

ભાગવત રહસ્ય -૪૦૪

ગોપીઓ કહે છે કે-આપે અમને પતિવ્રતાનો ધર્મ સમજાવ્યો અને સર્વમાં અને પતિમાં “ઈશ્વર ની ભાવના” રાખીને સેવા કરવાની જે આજ્ઞા કરી તે અમારે માથે છે.તેમ છતાં.ઈશ્વરની ભાવના ઈશ્વરના વિયોગમાં (ઈશ્વર જ્યાં સુધી મળ્યા ના હોય ત્યાં સુધી) કરવાની હોય,પણ જયારે ઈશ્વરનો સંયોગ (પરમાત્માનાં પ્રત્યક્ષ દર્શન થાય) થાય તો -હવે તમને છોડીને અન્યમાં શા માટે “ભાવના” કરવી પડે ? જ્યાં સુધી તમારાં દર્શન થતાં નહોતાં ત્યાં સુધી અમારા પતિમાં અમે તમારી ભાવના કરતાં હતાં,પણ આજે તો તમારાં પ્રત્યક્ષ દર્શન થયાં છે.તો શું હવે ભાવના આવશ્યક છે ?

Sep 28, 2020

ભાગવત રહસ્ય -૪૦૩

ગીતામાં કહ્યું છે કે-કર્મેન્દ્રિયોને (કર્મેન્દ્રિયોથી વિષયોને) કાબૂમાં રાખે,
પણ જો મનથી તે વિષયોનું ચિંતન કરે તો તે મિથ્યાચાર (દંભ) કહેવાય છે.
મનુષ્ય ત્યાં છે જ્યાં તેનું મન છે,ભલે તેનું શરીર ગમે ત્યાં હોય.
વાયુપુરાણમાં એક કથા આવે છે.શ્રુત અને અનુશ્રુત નામે બે બ્રાહ્મણ (મિત્રો) હતા.
પ્રયાગરાજમાં વેણીમાધવના મંદિર જવા,જાત્રા કરવા નીકળ્યા છે.
જન્માષ્ટમીનો દિવસ છે,સંકલ્પ થયો છે-કે-આજે રાત્રે વેણીમાધવનાં દર્શન કરવાં છે.