Oct 1, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-32-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-32



ભાગવત રહસ્ય -૪૦૬

ભાગવતના આરંભમાં કહ્યું છે કે-ભાગવતમાં સમાધિભાષા પ્રધાન છે.ભાગવતમાં આવતા અમુક શબ્દોનો જેમ લૌકિક અર્થ કરવો તે યોગ્ય નથી,તેમ –“અધરામૃત” શબ્દનો પણ લૌકિક અર્થ લેવો તે યોગ્ય નથી.પૃથ્વીને “ધરા” કહે છે,કારણ કે તે સર્વને ધારણ કરે છે 
સર્વનું પોષણ કરે છે.તેથી પૃથ્વી (ધરા) પરનું  અમૃત તે ધરામૃત.અને જે અમૃત (ધરામૃત) નો કદી પણ નાશ થતો નથી તેવું જ્ઞાનામૃત (પ્રેમામૃત) તે-અધરામૃત.