Oct 13, 2020

ભાગવત રહસ્ય -૪૧૬

ગોપી કહે છે કે-કનૈયા,અમે કેવળ તારા માટે જીવીએ છીએ.અમારા પ્રાણને લેવા કાળ આવ્યો છે પણ તે કાળ અમારા પ્રાણને પકડી શકતો નથી,કારણકે,અમારા પ્રાણ તો તારામાં છે.શ્રીકૃષ્ણ તો કાળના પણ કાળ છે,ગોપીના પ્રાણ ગોપીમાં હોય તો કાળ તે પ્રાણ ને પકડી શકે,પણ તેના પ્રાણ શ્રીકૃષ્ણ પાસે હોવાથી કાળ કશું કરી શકતો નથી,
એટલે ગોપીના પ્રાણ જતા નથી.જે પ્રભુ માટે જીવે તેને પરમાત્મા મળે છે,પણ આ સંસારમાં કોઈ પૈસા માટે,કોઈ સ્ત્રી માટે,તો વળી કોઈ સંસારસુખ ભોગવવા માટે જીવે છે. અહીં ગોપી તો માત્ર પરમાત્મા માટે જ જીવે છે.