Oct 27, 2020

ભાગવત રહસ્ય -૪૨૮

યશોદાજીને થોડો આનંદ થયો છે કે-આજે લાલો તેમને સમજાવે છે.મા એ લાલાને છાતી સરસો ચાંપ્યો છે. યશોદા કહે છે કે-બેટા, મને કંઈ થતું નથી પણ આવતી કાલે તું મથુરા જવાનો છે,તેથી મને રડવું આવે છે.બેટા,મને છોડીને તું જઈશ નહિ,તારો વિયોગ મારાથી સહન થશે
નહિ.મને બીજું કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી,પણ બસ મારી એક જ ઈચ્છા છે કે-
મારા લાલા ને હું આખો દિવસ આનંદમાં નિહાળું,મારો કનૈયો મારી આંખથી દૂર ના જાય.
તારા આધારે મારું જીવન છે,મને છોડીને તું મથુરા જઈશ નહિ.

ભાગવત રહસ્ય -૪૨૭

બધાંને આનંદ થયો છે પણ યશોદાજીએ જયારે સાંભળ્યું કે-કનૈયો મથુરા જવાનો છે.ત્યારે મા ને અતિ દુઃખ થયું છે.તે નંદબાબાને પૂછે છે કે-શું તમે આવતી કાલે મારા લાલાને મથુરા લઇ જવાના છો ? નંદબાબા એ કહ્યું-કે-કંસ રાજાએ સોનાનો રથ કનૈયા માટે મોકલ્યો છે.યશોદાજી કહે છે કે-રથ જોઈ ભુલા પડશો નહિ,કંસ કપટી છે,તેને કપટથી રથ મોકલ્યો છે.આ અક્રૂર ભલે તમને સારો લાગતો હોય પણ મને તો તે ક્રૂર જેવો લાગે છે.