ગોપીઓ
અક્રૂરને કહે છે કે-કૃષ્ણ-વિયોગ સમાન બીજું કોઈ દુઃખ નથી.કૃષ્ણ વિરહ અમારાથી સહન
થશે નહિ.કનૈયા
વગર અમારું ગોકુળ ગામ સ્મશાન જેવું લાગશે.કનૈયો ના દેખાય તો ગાયો ખડ ખાતી નથી,પાણી
પીતી નથી, અક્રૂર,આ ગાયોનો નિસાસો તને લાગશે.અક્રૂર,તું હજી વિચાર કર,તારે લઇ
જવા હોય તો બલરામને લઇ જા,પણ અમારા કનૈયાને લઇ ના જતો.લોકો કહે છે કે-મથુરાની સ્ત્રીઓ
જાદુ જાણે છે,તો તે અમારા
લાલા પર જાદુ કરશે તો અમારો કનૈયો પાછો નહિ આવે.તે કદાચ અમને ભૂલી જાય પણ અમે
તેને ભૂલીશું નહિ,અક્રૂર,તું કૃષ્ણ-વિયોગમાં અમને મારીશ નહિ.
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Oct 28, 2020
Oct 27, 2020
ભાગવત રહસ્ય -૪૨૮
યશોદાજીને થોડો આનંદ થયો છે કે-આજે લાલો તેમને સમજાવે છે.મા એ લાલાને છાતી સરસો ચાંપ્યો છે. યશોદા કહે છે કે-બેટા, મને કંઈ થતું નથી પણ આવતી કાલે તું મથુરા જવાનો છે,તેથી મને રડવું આવે છે.બેટા,મને છોડીને તું જઈશ નહિ,તારો વિયોગ મારાથી સહન થશે
નહિ.મને બીજું કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી,પણ બસ મારી એક જ ઈચ્છા છે કે-
મારા લાલા ને હું આખો દિવસ આનંદમાં નિહાળું,મારો કનૈયો મારી આંખથી દૂર ના જાય.
તારા આધારે મારું જીવન છે,મને છોડીને તું મથુરા જઈશ નહિ.
ભાગવત રહસ્ય -૪૨૭
બધાંને આનંદ થયો છે પણ યશોદાજીએ જયારે સાંભળ્યું કે-કનૈયો મથુરા જવાનો છે.ત્યારે મા
ને અતિ દુઃખ થયું છે.તે નંદબાબાને પૂછે છે કે-શું તમે આવતી કાલે મારા લાલાને
મથુરા લઇ જવાના છો ? નંદબાબા
એ કહ્યું-કે-કંસ રાજાએ સોનાનો રથ કનૈયા માટે મોકલ્યો છે.યશોદાજી
કહે છે કે-રથ જોઈ ભુલા પડશો નહિ,કંસ કપટી છે,તેને કપટથી રથ મોકલ્યો છે.આ
અક્રૂર ભલે તમને સારો લાગતો હોય પણ મને તો તે ક્રૂર જેવો લાગે છે.
Subscribe to:
Comments (Atom)


