Oct 29, 2020

ભાગવત રહસ્ય -૪૩૦

કનૈયાના વિદાય પ્રસંગે અત્યાર સુધી ધીરજ રાખીને ઉભેલાં યશોદાજીનું ધૈર્ય હવે રહ્યું નથી.યશોદામા નો લાડીલો લાલો આજે ગોકુળ છોડીને જાય છે.”મારો લાલો હવે જાય છે!!!”મા ને લોક-લજ્જાનું ભાન રહ્યું નથી.યશોદા મા પ્રેમમાં પાગલ થયા છે.
રથની પાછળ પાછળ રડતાં રડતાં દોડે છે. પ્રભુએ જોયુ કે મારી મા પાછળ દોડતી આવે છે,તેમણે અક્રૂર ને રથ ઉભો રાખવા કહ્યું. રથ અટક્યો છે.

Oct 28, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-50-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-50


ભાગવત રહસ્ય -૪૨૯

ગોપીઓ અક્રૂરને કહે છે કે-કૃષ્ણ-વિયોગ સમાન બીજું કોઈ દુઃખ નથી.કૃષ્ણ વિરહ અમારાથી સહન થશે નહિ.કનૈયા વગર અમારું ગોકુળ ગામ સ્મશાન જેવું લાગશે.કનૈયો ના દેખાય તો ગાયો ખડ ખાતી નથી,પાણી પીતી નથી, અક્રૂર,આ ગાયોનો નિસાસો તને લાગશે.અક્રૂર,તું હજી વિચાર કર,તારે લઇ જવા હોય તો બલરામને લઇ જા,પણ અમારા કનૈયાને લઇ ના જતો.લોકો કહે છે કે-મથુરાની સ્ત્રીઓ જાદુ જાણે છે,તો તે અમારા લાલા પર જાદુ કરશે તો અમારો કનૈયો પાછો નહિ આવે.તે કદાચ અમને ભૂલી જાય પણ અમે તેને ભૂલીશું નહિ,અક્રૂર,તું કૃષ્ણ-વિયોગમાં અમને મારીશ નહિ.