Nov 8, 2020

ભાગવત રહસ્ય -૪૪૦

ગુરુકુળનું અધ્યયનની સમાપ્તિ કરીને શ્રીકૃષ્ણ મથુરામાં આવ્યા છે.
શ્રીકૃષ્ણે મથુરાની ગાદી પર ઉગ્રસેનને બેસાડ્યો હતો,તે ઉગ્રસેન શ્રીકૃષ્ણને કહે છે કે-હું તો નામ નો રાજા છું,ખરા રાજા તો આપ જ છો,આપ જે હુકમ કરશો તે પ્રમાણે હું કરીશ.
અત્યંત વિવેકવાળા ઉગ્રસેને સર્વ સંપત્તિ શ્રીકૃષ્ણનાં ચરણો માં અર્પણ કરી.શ્રીકૃષ્ણ માટે મથુરાના રાજ મહેલમાં રોજ છપ્પન ભોગની સામગ્રી થાય છે.હવે શ્રીકૃષ્ણ ગોપાલ નથી,
હવે તે મથુરાનાથ છે.મથુરામાં ઐશ્વર્ય પ્રધાન છે.ગોકુળમાં પ્રેમ પ્રધાન છે.
મથુરામાં અનેક દાસ-દાસીઓ છે.ઉદ્ધવ શ્રીઅંગની સેવા કરે છે.સર્વ પ્રકારે સુખ છે.

Nov 7, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-58-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-58


ભાગવત રહસ્ય -૪૩૯

કેટલાક જ્ઞાનીઓ માને છે કે-અમને ભક્તિની જરૂર નથી.તેઓ ભક્તિનો તિરસ્કાર કરે છે.
જયારે કેટલાક ભક્તો માને છે કે-અમને જ્ઞાન-વૈરાગ્યની જરૂર નથી.આ બંને વિચારો યોગ્ય નથી.ભક્તિ તો જ્ઞાન-વૈરાગ્ય વગર રડે છે.જ્ઞાન-વૈરાગ્ય આવે તો ભક્તિ દૃઢ બને છે.
ભક્તિમાં જ્ઞાનનો સાથ ના હોય તો અખંડ ભક્તિ થતી નથી.
અહીં, ઉદ્ધવ જ્ઞાની છે પણ તેમના જ્ઞાનને ભક્તિ નો સાથ નથી.
જ્ઞાન એ ભક્તિ વિનાનું હોય તો અભિમાન આવે છે,ભક્તિ હોય તો તે નમ્ર બને છે.
બ્રહ્મજ્ઞાન થાય પણ “સ્વ-રૂપ” માં પ્રીતિ ના થાય,ત્યાં સુધી બ્રહ્મનો અનુભવ થતો નથી.