શ્રીકૃષ્ણે
મથુરાની ગાદી પર ઉગ્રસેનને બેસાડ્યો હતો,તે ઉગ્રસેન શ્રીકૃષ્ણને કહે છે કે-હું
તો નામ નો રાજા છું,ખરા રાજા તો આપ જ છો,આપ જે હુકમ કરશો તે પ્રમાણે હું કરીશ.
અત્યંત
વિવેકવાળા ઉગ્રસેને સર્વ સંપત્તિ શ્રીકૃષ્ણનાં ચરણો માં અર્પણ કરી.શ્રીકૃષ્ણ
માટે મથુરાના રાજ મહેલમાં રોજ છપ્પન ભોગની સામગ્રી થાય છે.હવે
શ્રીકૃષ્ણ ગોપાલ નથી,
હવે તે મથુરાનાથ છે.મથુરામાં ઐશ્વર્ય પ્રધાન છે.ગોકુળમાં
પ્રેમ પ્રધાન છે.
મથુરામાં અનેક દાસ-દાસીઓ છે.ઉદ્ધવ શ્રીઅંગની સેવા કરે છે.સર્વ પ્રકારે સુખ છે.

